________________
ધર્મવિહીનતા
ભગવાને જગતના છના કલ્યાણ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર વસ્તુઓની દુર્લભતા બતાવી છે. તેમાં પહેલી જ વસ્તુ મનુષ્યભવ એ અતિ દુર્લભ છે. આ વાત તે તમે સૌએ સાંભળી હશે, અને મનુષ્યભવ તે દુર્લભ છે જ તે બરાબર પણ તેમાં એમનુષ્યત્વ અતિ દુર્લભ છે. મેતીની કિંમત અંકાય છે તે કયારે તેમાં પાણી હોય તે તેની કિંમત અંકાય છે, તેમ જીવનમાં ધર્મ હોય તે તેની કીંમત છે. એકલા માનવ દેહથી હરખાવવાનું નથી. પણ માનવતા આવે ત્યારે જ મનુષ્યની ખરી કિંમત અંકાય છે. બાકી ધર્મ વગરને મનુષ્ય. દેહ તે દુર્ગતિના ખાડામાં નાખે છે. અને તે ધર્મ વગરને દેહ કેટલે અપવિત્ર અને નિંદ્ય હોય છે તે એક મહાત્મા અને શિયાળનાં સંવાદ ઉપરથી સમજી શકાય છે.
દષ્ટાંત એક મહાત્મા ભર જંગલમાં ધ્યાનસ્થ બેઠેલ હતા, મહામાની મુખમુદ્રા ઘણીજ શાન્ત હતી. જાણે એમના મુખારવિન્દ પરથી શાન્ત રસને ધોધ વહ્યો જતો હતે. એ મહાત્મા જ્યાં બેઠેલ હતા ત્યાં એમનાથી થોડેક દૂર એક મનુષ્યનું મડદું પડેલ હતું. તે મડદાનું એક શિયાળ ભક્ષણ કરી જવાની તૈયારીમાં હતા. ત્યાં એ મહાત્માનું ધ્યાન પુરૂ થતાં તે શિયાળને એ રીતે સંબંધે છે કે –