Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ بفكارفك وفكرترفرفرفرفرف فى رفع 9 શ્રી વીરપ્રભુના છદ્મસ્થપણુના ૧રા ૬ 4 વર્ષના વિહારમાં થયેલા ઉપસર્ગાદિનું સંક્ષિપ્ત વર્ણન (માસાના સ્થળ સાથે) શ્રી વીરપરમાત્માએ કાર્તિક વદિ દશમે ( મા. માગશર વદિ ૧૦ મે) ક્ષત્રિયકુંડ ગામે દીક્ષા લીધી અને સ્વજનવર્ગની અનુમતિ માગીને વિહાર કર્યો. સ્વજને શાક સાથે પોતાને સ્થાને ગયા. પ્રભુને શરીરે કરેલા બાવનાચંદન વિગેરે સુગંધી પદાર્થના વિલેપનથી આવેલા ભ્રમરાદિકે પ્રભુના શરીરને ઘણું ઉપાધિ કરી. યુવાનેએ તેમ જ યુવતીઓએ પણ અનુકૂળ ઉપસર્ગ કર્યા. પ્રભુ ત્યાંથી બે ઘડી દિવસ હતું ત્યારે કુમારગ્રામે ગયા. રાત્રે કાર્યોત્સર્ગ રહ્યા, તે દિવસે વાળ સાંજે પોતાના બળદ પ્રભુ પાસે મૂકી જાળવવાનું કહીને ગયા. પાછા આવ્યા ત્યારે બળદ નહેતા. કયાં ગયા?” એમ પ્રભુને પૂછતાં તેઓ તે મૌન રહ્યા. એટલે તેઓ શોધવા ગયા. પાછા આવતાં પ્રભુ પાસે બળદને દીઠા એટલે પ્રભુએ સંતાડ્યા હશે એમ માની મારવા દેડ્યા. ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણ ત્યાં આવી તેનું નિવારણ કર્યું. પછી ઇંદ્ર પ્રભુને કહ્યું કે “આપને બાર વર્ષ પર્યત ઘણું ઉપસર્ગો થવાના છે તે તેના નિવારણ માટે હું આપની પાસે રહું.” પ્રભુએ કહ્યું કે હે ઇ! તીર્થ કરે અન્યની સહાયથી કર્મ ખપાવતા નથી, તેથી તમારે રહેવાની જરૂર નથી.” આમ કહેવાથી ઇંદ્ર સિદ્ધાર્થ નામના વ્યંતરને પ્રભુ પાસે રાખીને ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88