Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 52
________________ ४७ તે હકીકત અઘટિત જાણુ હરિનગમેષી દેવને મોકલી તે ગર્ભ ક્ષત્રિયકુંડ ગ્રામે સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલા માતાની કુક્ષીમાં મૂકાવ્યા. ત્રિશલા માતાએ ૧૪ સ્વમ જોયા. સ્વપાઠકએ તેના ફળ કહા. અનુક્રમે દેહલા પૂરતાં ગર્ભ વૃદ્ધિ પામ્યો અને ચૈત્ર શુદિ ૧૩ શે પ્રભુને જન્મ થયો. પ્રભુનું પ્રસૂતિકાર્ય કરવા ૫૬ દિશાકુમારિકાઓ આવી. ત્યારપછી સિધર્મેન્દ્ર માતા પાસે આવી પાંચ રૂપ કરી પ્રભુને મેરુપર્વત પર લઈ ગયા. ત્યાં બધા ઈન્દ્રાદિકે મળી પ્રભુને જન્મોત્સવ કર્યો. પછી સૌધર્મેદ્ર પ્રભુને ત્રિશલા માતા પાસે મૂકી ગયા. પ્રાત:કાળે સિદ્ધાર્થ રાજાએ જન્મોત્સવ કર્યો અને બારમે દિવસે પ્રભુનું વર્ધમાન નામ પાડ્યું. પ્રભુ આમલકી ક્રીડા કરવા ગયા. ત્યાં એક દેવે આવી પ્રભુના બળની પરીક્ષા કરી અને પ્રભુને અતુલ બળી જાણું મહાવીર નામ આપી સ્વસ્થાને ગયે. પ્રભુ આઠ વર્ષના થતાં માતાપિતાએ નિશાળે મૂકવાને મહોત્સવ કર્યો. પ્રભુ તે જન્મથી ત્રણ જ્ઞાનયુક્ત હતા એટલે ગુરુ થનાર અધ્યાપકના સંશોને દૂર કર્યા. પ્રભુ થોવનવય પામતાં માતાપિતાએ યશોદા રાજપુત્રી સાથે પરણાવ્યા. તેને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. તેને સુદર્શનાના પુત્ર જમાલિ સાથે પરણાવી. પ્રભુને નંદીવર્ધન નામે મોટા ભાઈ હતા. સુદર્શના નામે બહેન હતી. પ્રભુએ ગર્ભમાં કરેલા નિયમ પ્રમાણે તેમની ૨૮ વર્ષની વયે જ્યારે માતાપિતા સ્વર્ગવાસી થયા ત્યારે પિતાને ચારિત્ર લેવાનો ભાવ નંદીવર્ધનને જણાવ્યું. તેમના આગ્રહથી બે વર્ષ પ્રભુ સંસારમાં અનાસક્તપણે રહ્યા. એક વર્ષ પછી કાંતિક દે આવ્યા બાદ એક વર્ષ પ્રભુએ અખંડ દાન દઈ દીક્ષા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88