Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 252
________________ . (૨૪૭) એમ રાક્ષસીના કહેતાં જ પ્રથમના સકેત પ્રમાણે મતિસાગર મંત્રી તરતજ પ્રગટ થયે. મંત્રીના રૂપ રંગ જોતાં રાક્ષસી પ્રસન્ન થઈ અને તેને રાજી થઈને રાજકન્યા પરણાવી. પુણ્યની અદભુત લીલાથી જંગલમાં મંગળ થાય છે, કરમેચન વખતે રાક્ષસીએ કહ્યું, એટલે પ્રધાને પૂર્વે કહેલી પાંચ વસ્તુ માગી લીધી. પછી શક્ષસી જ્યારે વનમાં રમવા અને ફરવાને નીકળી ગઈ ત્યારે રાજકુમારીએ મંત્રીએ કહ્યું–“હે નાથ! હવે અહીં આપણે શા માટે રહીએ? આપણું સ્થાને ચાલ્યા જઈએ. મંત્રી બેત્યે રાજબાળા! તમારું કહેવું યોગ્ય છે. પણ મને મારા નગરના માગની ખબર નથી. વળી હું એકલો હોઉં, તો ગમે ત્યાં નિ થ થઈને ચાલ્યા જાઉં, પણ એકને બદલે જે બીજો માર્ગ હાથ આવે તો તને ભટકવું ભારે થઈ પડે. વળી તું રસ્તે ચાલેલ નથી, ટાઢ, તડકે વેઠેલ નથી, તેથી પગે ચાલવું, માટે પંથ ઓળંગ, કાંટાનું કષ્ટ સહન કરવું, આ તપને તાપ વેઠ અને શીત જાતુમાં ટાઢની સખ્તાઈ સહન કરવી-એ હેલી. વાત નથી. એ વિચારતાં બહાર નીકળવાને મારું મન અચ કાય છે.” એ પ્રમાણે મંત્રીનું વચન સાંભળતાં રાજબાળા બેલી– પ્રાણનાથ ! આપ તે બાબતની ચિંતા ન કરે આપણને જે ખાટલી મળી છે, તે એવીજ આફતમાં ઉપયોગી થવાની છે. તેના પર બેસીને સફેત કાંબથી તાડન કરતાં મનમાં ધારેલ સ્થાને તે પહોંચાડે છે માર્ગે જતાં કાંઈ પણ તકલીફ વેઠવી પડતી નથી આ દૈવી પ્રયોગથી આપણે સવર નિવિદને સ્વસ્થાને પહોંચી શકીશું. વળી કદાચ પેલી રાક્ષસી મેહને લીધે મારી પાછળ દોડી આવે, તે તેને રાતી કાબ મારતાં મીઠું જેમ જળમાં ગળી જાય, તેમ તે ગળી જશે અર્થાત્ તેનું કંઇ પણ જેર ચાલી શકશે નહિ, એટલે તે પિતાની મેળે પાછી ચાલી જશે, અને આપણે આપણા ઈષ્ટ સ્થાને જઈશું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330