Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 257
________________ (૨૫૨ ) દ્વાર બંધ હતું. તે ઉઘાડવાને માટે તેણે મહેનત કરી, પણ કઈ રીતે દરવાજે ન ઉઘડયો. એટલે વેશ્યા અત્યારે તે નિરાશ થઈ, અને રાજ તરફની કંઇક ધાસ્તની શંકા લાવી નિરાશ થતી તે પાછી ચાલી ગઈ. ' અહીં મંત્રી મકાનની સગવડ કરાવીને પાછ ઉદ્યાનમાં આવ્યું. ત્યાં રાજબાળા જેવામાં ન આવી. વખતસર તે શંકા ટાલવા ગઈ હશે” એમ ધારીને મંત્રી ત્યાં રાહ જોઈ બેઠો, લગભગ અર્ધ પ્રહર થતાં પણ તે આવી નહિ. તેથી મંત્રી અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યું–તેનું કોઈ હરણ કરી ગયો હશે?અથવા મારું નામ લઈ તેને લલચાવીને કેઈ પિતાને ઘેર તેડી ગયું હશે ? અહા! તે બિચારી અબળાની શી દશા થઈ હશે?સ્ત્રી જાતિ છે, એટલે દુનીયાની લાલચે તેને બહુ લાગેલી હાય. તેથી વખતસર કેઈ લાલચમાં લલચાવીને અટકી તો નહિ ગઈ હોય? પણ એ વિચાર સંભવિત નથી. તે ઉંચા કુળની બાળા છે. તેથી પ્રાણાતે પણ તેવા અધમ માગે નજ ઉતરે ગમે તેમ હોય, પણ અત્યારે તેની શોધ કરવી એ મારી ફરજ છે? એ પ્રમાણે ધારીને મતિસાગર મંત્રી ત્યાંથી શહેરમાં આ વ્ય, મેટા રસ્તામાં તથા શેરીએ શેરી તેણે શોધી જોઈ, પણ રાજકુમારીને કયાં પત્તે ન મળે. પૂવે જ્યારે ગંભીરપુરથી તે વહાણમાં નીકળી ગયા હતા, તે વખતે વિજયસુંદરીને તેણે એજ ઉદ્યાનમાં મૂકી હતી, તેની પણ મંત્રીને તપાસ કરવાની હતી. આ અપરિચિત શહેરમાં તે કોને પુછવા જાય ? તે આ દિવસ નગરના રસ્તાઓ પૈર કર્યો કરતે હતે. વિજય સુંદરીને અહીં મુકી ગયા પછી તે કુંભારના શરણે હતી. કુંભારના ઘરનું કામકાજ કરતી અને શીલ રક્ષા કરતાં તે પિતાના દીવસે નિર્ગમન કરતી હતી. એક વખતે રસ્તામાં કઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330