Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 326
________________ (૩૧) આ તેની ભલામણથી કારીગરોએ ખંતથી કામ કરવા માંડયું. એમ જિનપ્રસાદને કેટલેક ભાગ તૈયાર થયે, અને તેમાં ઘણું ધનનો વ્યય થઈ ગયે. એવામાં એકદા પુરંદરને વિચાર આવે કે – અડે! આટલું બધું ધન ખરચીને હું જિનમંદિર બંધાવું છું, તેનું મને કાંઈ ફળ મળશે કે નહિ મળે ?” એ વિચાર આવ્યા પછી તરતજ તેને બીજે વિચાર આવ્યો કે– અહા ! મેં કેવું મિથ્યા ચિંતવ્યું, એનું ફળ તે મને જરૂર મળશે. હું જરૂર મેક્ષફળને પામીશ.” પુરંદર જે કે પૂર્ણ શ્રદ્ધાળુ હતે, ધનમાં તેને આસકિત ન હતી , છતાં ક્ષણભર તેને એ વિચાર આવી ગયે. અને તે વિચા રના કર્મના બંધ મંત્રી ભર સમુદ્રમાં પડે. જો કે તે કિલષ્ટ વિચાર તેના મનમાં વધારે વખત રહી શક્યો ન હતો, છતાં તે કર્મ બંધનું ફળ તેને ભોગવવું પડયું. તરતજ તેને ઘણે પશ્ચાતાપ થયે અને એ મિથ્યા વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે તેણે એકને બદલે ઘણું જિનમંદિર બંધાવ્યાં અને હર્ષોલ્લાસથી ધણા જિનબિ બે ભરાવ્યાં. શ્રી ગુરૂમહારાજના હાથે મહામહેન્સવ પૂર્વક તેણે પ્રતિષ્ઠા કરાવી અને સ્વયમી બંધુઓને ખાનપાનાદિથી સંતાપ્યા. ગુરૂ મહારાજની સાથે સંઘ કહાડીને તેણે તીર્થયાત્રા કરી, ત્યાં સાધર્મિ ભકિત કરી. એમ અનેક પ્રકારે ધમ કૃત્ય કરીને હે રાજન ! તે પુરંદર મરણ પામીને તારે મતિસાગર મંત્રી થયા છે. એણે પુણ્યના. ઘણાં કામ કર્યા તેથી અહીં એ તેનું ફળ પામ્યા છે. વળી તે પૂર્વ ભવના સંસ્કાર તેને ઉદય આવ્યા, તેથી એ ધર્મના વિચા રથી કદિ વિમુખ થતું નથી. ગમે તેવા સંકટ સમયે પણ એનું મનરૂપ વિહંગ ધર્મરૂપ આરામમાં વિચર્યા કરે છે. ઉત્તમ પુરની એજ વિશેષતા છે કે તેઓ ગમે તેવા વિકટ સંભાં આવ્યા , છતાં પિતાની ઉત્તમ કદી છેડતા નથી, : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330