Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 323
________________ (૩૮) એટલેહે ભવ્યાત્મન ! જ્યાં સુધી કેલરૂપ સ જાગ્યે નથી. જ્યાં સુધી કામદેવરૂપ સિંહ સેડ તાણીને સુતો છે અને જ્યાં સુધી મેહરૂપ રાત્રિ વિવેકથી દબાયેલી છે, ત્યાં સુધીમાં સાવધાન થઈને આ સંસારરૂપ વનમાંથી બહાર નીકળી જા. હે ધર્મ બંધુઓ ! એ પ્રમાણે અંતરમાં ધર્મની લાગણી રાખીને આપણે જે આત્મનિ પ્રતિદિન ઉન્નતિના પગથીયાપર મૂકતા જઈશું, તે છેવટે આ સંસારની જન્મ મરણની જાળને છેદીને મુક્ત થઈ શકીશું માટે જેમ બને તેમ આપણે આપણા વ્યવહાર કર્તવ્યની સાથે ધર્મ કર્તવ્યમાં લાગવું જોઈએ.” એ પ્રમાણે વિવિધ પ્રકારને પ્રતિબંધ આપીને પુરંદર તેમને સન્માન પૂર્વક વિદાય કરતે હતો. આથી તેની સાધર્મિ બંધુઓ પ્રત્યેની ભકિત તથા ગુરૂભકિત વધવા લાગી અને તેથી તેનામાં વિનય, ગુણાનુરાગ, વિવેક, પ્રેમ, વૈરાગ્ય, દાન, સંતોષ, દયા, ઉદારતા, ક્ષમા, સરલતા, નરમાશ વિગેરે ગુણે તેમાં દાખલ થવા પામ્યા હતા. મુનિના સદુપદેશને તે રસીયા બન્યા હતે જ્ઞાનની આરાધના કરવામાં તેણે પોતાની મનવૃત્તિ જેડી દીધી હતી. દુનિયાના ભોગવિલાસ તેને ભયંકર લાગતા હતા. જોકે તે સંસારના વ્યવહારથી મુક્ત થઈ શક્યો ન હતો, છતાં તદાતપણે તે વત્તતા ન હતા જળમાં ઉત્પન્ન થયા છતાં કમળ જેમ જળથી ન્યારું રહે છે, તેમ લોકાચારની ખાતર સંસાર વ્યવહાર ચલાવતે પણ અંતરથી તે તેમાં આસકત થતો ન હતું. આથી તે ભરત મહારાજાની જેમ મેહમુક્ત થયેલ હોય એમ ન હતું, છતાં ભેગાસકિત તેની કેટલેક અંશે ક્ષીણ થઈ હતી. એકદા તેને વિચાર આવ્યો કે- અહિ ! ધન ઘણું બચીને અનેક ધર્મકૃત્ય કર્યો, છતાં એક જિનપ્રાસાદ જ્યાં સુધી કરાવ્યા નથી, ત્યાંસુધી મારા મનમાં પ્રસન્નતા આવવાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330