SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૨ ) દ્વાર બંધ હતું. તે ઉઘાડવાને માટે તેણે મહેનત કરી, પણ કઈ રીતે દરવાજે ન ઉઘડયો. એટલે વેશ્યા અત્યારે તે નિરાશ થઈ, અને રાજ તરફની કંઇક ધાસ્તની શંકા લાવી નિરાશ થતી તે પાછી ચાલી ગઈ. ' અહીં મંત્રી મકાનની સગવડ કરાવીને પાછ ઉદ્યાનમાં આવ્યું. ત્યાં રાજબાળા જેવામાં ન આવી. વખતસર તે શંકા ટાલવા ગઈ હશે” એમ ધારીને મંત્રી ત્યાં રાહ જોઈ બેઠો, લગભગ અર્ધ પ્રહર થતાં પણ તે આવી નહિ. તેથી મંત્રી અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યું–તેનું કોઈ હરણ કરી ગયો હશે?અથવા મારું નામ લઈ તેને લલચાવીને કેઈ પિતાને ઘેર તેડી ગયું હશે ? અહા! તે બિચારી અબળાની શી દશા થઈ હશે?સ્ત્રી જાતિ છે, એટલે દુનીયાની લાલચે તેને બહુ લાગેલી હાય. તેથી વખતસર કેઈ લાલચમાં લલચાવીને અટકી તો નહિ ગઈ હોય? પણ એ વિચાર સંભવિત નથી. તે ઉંચા કુળની બાળા છે. તેથી પ્રાણાતે પણ તેવા અધમ માગે નજ ઉતરે ગમે તેમ હોય, પણ અત્યારે તેની શોધ કરવી એ મારી ફરજ છે? એ પ્રમાણે ધારીને મતિસાગર મંત્રી ત્યાંથી શહેરમાં આ વ્ય, મેટા રસ્તામાં તથા શેરીએ શેરી તેણે શોધી જોઈ, પણ રાજકુમારીને કયાં પત્તે ન મળે. પૂવે જ્યારે ગંભીરપુરથી તે વહાણમાં નીકળી ગયા હતા, તે વખતે વિજયસુંદરીને તેણે એજ ઉદ્યાનમાં મૂકી હતી, તેની પણ મંત્રીને તપાસ કરવાની હતી. આ અપરિચિત શહેરમાં તે કોને પુછવા જાય ? તે આ દિવસ નગરના રસ્તાઓ પૈર કર્યો કરતે હતે. વિજય સુંદરીને અહીં મુકી ગયા પછી તે કુંભારના શરણે હતી. કુંભારના ઘરનું કામકાજ કરતી અને શીલ રક્ષા કરતાં તે પિતાના દીવસે નિર્ગમન કરતી હતી. એક વખતે રસ્તામાં કઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy