Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 44
________________ 39. હોય છે. અકએ પીડામાંથી શિશુ જન્મે છે. બાળકને જોતાં જ તમામ વેદના પળમાત્રમાં અલોપ થઈ જાય છે. માતા દીકરાને કયારે પણ કહી બતાવતી નથી કે એને જન્મ આપતાં કેટલી પીડા થઈ! બાળકના જન્મ સાથે પીડામુકિત છે. પરંતુ જે બાળકનો ઉદ્ગમ પીડામાંથી જ થયો છે. તે બાળક કેમ જીવનભર પીડાને પંપાળ્યા કરે છે? રોજિંદી ઘટનામાંથી પણ માણસ કશું શીખતો નથી? ટાગોર કહેતા દરેક બાળક જે જન્મે છે, તે ઈશ્વરનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વર “માનવીથી હજી કંટાળ્યો નથી.” ઈશ્વરને માનવીમાં જેટલી શ્રદ્ધા છે, તેટલી શ્રદ્ધા માનવીને ઈશ્વરમાં હોત તો? દુ:ખ નિમૂળ કરવાની પ્રાર્થના ઈશ્વર પાસે કરવી, એ માનવીય ગૌરવ Dignity of Manની ઉપેક્ષા છે. માગવું તો શું? હિંમત અને ધર્ય. થૉમસ હાર્ટનું કાવ્ય છે.: God Grant me the courage To change the things I can change; The Serenity to Accept those I cannot change, And Wisdom to know the difference. બદલી શકાય તેવી પરિસ્થિતિને બદલવાની હિંમત, ન બદલી શકાય એવા સંજોગોની સ્વીકારવા જેટલી સ્વસ્થતા, સહૃદયતા અને બે વચ્ચેનો ભેદ સમજવા જેટલી પ્રજ્ઞા-સમજણ હે, પ્રભુ મને આપજે! વળી કહ્યું છે: That which cannot be cured, must be endured. જેનો ઉપાય ન હોય, તે સહન કર્યું જ છૂટકો. ફોઈડ કહેતા: આનંદની અવસ્થા, આનંદિત વૃત્તિ નર્વસ ટેન્શનની અસરકારક ચિકિત્સા છે. ઈમેન્યુઅલ કૅન્ટ કહેતા: Laughter produces health through furtherance of vital bodily processes: હાસ્ય, શરીરના પ્રાણભૂત ચાલક પરિબળોને કાર્યાન્વિત કરીને શરીરને સ્વસ્થતા અર્પે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148