SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 39. હોય છે. અકએ પીડામાંથી શિશુ જન્મે છે. બાળકને જોતાં જ તમામ વેદના પળમાત્રમાં અલોપ થઈ જાય છે. માતા દીકરાને કયારે પણ કહી બતાવતી નથી કે એને જન્મ આપતાં કેટલી પીડા થઈ! બાળકના જન્મ સાથે પીડામુકિત છે. પરંતુ જે બાળકનો ઉદ્ગમ પીડામાંથી જ થયો છે. તે બાળક કેમ જીવનભર પીડાને પંપાળ્યા કરે છે? રોજિંદી ઘટનામાંથી પણ માણસ કશું શીખતો નથી? ટાગોર કહેતા દરેક બાળક જે જન્મે છે, તે ઈશ્વરનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વર “માનવીથી હજી કંટાળ્યો નથી.” ઈશ્વરને માનવીમાં જેટલી શ્રદ્ધા છે, તેટલી શ્રદ્ધા માનવીને ઈશ્વરમાં હોત તો? દુ:ખ નિમૂળ કરવાની પ્રાર્થના ઈશ્વર પાસે કરવી, એ માનવીય ગૌરવ Dignity of Manની ઉપેક્ષા છે. માગવું તો શું? હિંમત અને ધર્ય. થૉમસ હાર્ટનું કાવ્ય છે.: God Grant me the courage To change the things I can change; The Serenity to Accept those I cannot change, And Wisdom to know the difference. બદલી શકાય તેવી પરિસ્થિતિને બદલવાની હિંમત, ન બદલી શકાય એવા સંજોગોની સ્વીકારવા જેટલી સ્વસ્થતા, સહૃદયતા અને બે વચ્ચેનો ભેદ સમજવા જેટલી પ્રજ્ઞા-સમજણ હે, પ્રભુ મને આપજે! વળી કહ્યું છે: That which cannot be cured, must be endured. જેનો ઉપાય ન હોય, તે સહન કર્યું જ છૂટકો. ફોઈડ કહેતા: આનંદની અવસ્થા, આનંદિત વૃત્તિ નર્વસ ટેન્શનની અસરકારક ચિકિત્સા છે. ઈમેન્યુઅલ કૅન્ટ કહેતા: Laughter produces health through furtherance of vital bodily processes: હાસ્ય, શરીરના પ્રાણભૂત ચાલક પરિબળોને કાર્યાન્વિત કરીને શરીરને સ્વસ્થતા અર્પે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy