SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ એ આવતીકાલનો પ્રારબ્ધ છે. પુરુષાર્થ વડે પ્રારબ્ધ ઘડાય છે. આપણે પોતે જ પ્રારબ્ધ ઘડીયે છીએ, નિર્માણ કરીએ છીએ અને પછી “નિયતિ'નું નામ આપી માથે હાથ દઈને બેસી રહીએ છીએ. ‘નિયતિ' એ આપણી નિષ્ફળતાઓ ટાંગવાની ખીંટી છે. રિચાર્ડ હોયએ પોતાને કાવ્ય "Unmanifest Destiny - ‘અવ્યકત નિયતિ'માં લખ્યું છે : I do not know beneath what sky, Not on what seas will be my Fate, Tonly know it shall be High, I only know it shall be great. મારી નિયતિ ઉચ્ચકક્ષાની અને મહત્મ હશે, એ હું જરૂર જાણું છું. રાતોરાત, અચાનક માનવીનું ભાવિ બદલાઈ જાય, એ ખતરનાક બાબત છે. નસીબ આડે પાંદડું હટી જાય, એ જોખમકારક છે. વ્યકિતગત શોક જેમ સંભાળી લેવાનો હોય છે. તેમ વ્યકિતગત આનંદને પણ સંભાળી લેવાનો હોય છે. અતિ હર્ષ, એ પણ અતિ શોકની જેમ ભયરૂપ છે. દુ:ખ આવે, આવી પડે, ત્યારે પ્રમાણિકપણે દુ:ખી થવું, without regrets or apology, એ સ્વસ્થ મનની નિશાની છે. એના માટે જાગરૂક નિષ્ઠાની જરૂર છે. કેટલાંક હસતાં ઝેર પીએ. કેટલાંક રોતા પીએ. ત્રીજા પ્રકારના મૂર્ખાઓ ઝેર પીએ છે, ત્યારે હસતા નથી, રડતા પણ નથી. એ તો ઉધતા હોય છે! ઝેર પણ અમૃત થઈ જાય, એવું રસાયણ પેદા કરવાનું ટ્રાન્સફોર્મર આપણી અંદર પ્રભૂત છે, નિહિત છે, Built in છે. મીરાં ઝેર પીને અમૃત થઈ ગઈ! સોક્રેટીસ અમર થઈ ગયા. જીવન હોવું જ મહત્તમ ઘટના છે. એમાં જ અસ્તિત્વનો આનંદ છે. જીવન અમુક પ્રકારનું છે. માટે જ ચાહવું, એવું નહિં, પણ હરહાલમાં ચાહવું કારણ “ઐસો જન્મ નહિં વારંવાર માટે જ ચાહવું. જીવનને તરછોડી, ફેંકી દઈ, વેડફી દઈ કુદરતનો દ્રોહ ન કરી શકાય. માનવજીવનને દોરનાર, સંયત કરનાર ભાગ્ય નથી પણ શાણપણભરી શુભ ચિત્ત વૃત્તિ છે. સેનેકા કહેતા, ‘ભાગે જે આપ્યું નથી, તે ભાગ્ય પણ ઝૂંટવી શકતું નથી.' બધું ખોયા પછી પણ ભાગ્ય અને પુરુષાર્થ તો બચે જ છે! આંતરિક સ્વાધીનતા એ વિકાસનું પ્રથમ પગથિયું છે. પ્રતિભા-Geniusની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય. જે પોતાના હાથે કોવુિં ચેતાવી શકે અને દુ:ખને અંધકાર દૂર કરી શકે.” દુ:ખ પછી આવતું સુખ અને વેદનામાંથી નીપજતું સર્જન મીઠું અને અદ્ભુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy