SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ મનુષ્ય સૃષ્ટિનું Highest Organism કહી શકાય. આ ઊંચુ શિખર એનાથી પણ ઊંચુ એવરેસ્ટ શિખર સર કરવા બક્ષવામાં આવ્યું છે, એવાં પુરુષાર્થ માણસ કરે એવી શ્રદ્ધા સાથે કુદરતે આપ્યું છે. જેમાં માનવી આનંદમય જીવન જીવે, દુ:ખમય નહિં, એ અભિલાષા નિહિત છે. સોમાંથી નવ્વાણું ટકા માણસો પોતાના અજ્ઞાનથી જ દુ:ખી થાય છે. જીવનમાં સુખ કે આનંદ કોઈ લૌકિક પ્રાપ્તિ કે પ્રતિષ્ઠામાં નથી મળતું, એ સમયસર સમજી લેવું જોઈએ, નહિં તો સમજણ આવે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય છે. કાળ કોઈની ખેવના રાખતું નથી. ભગવાન મહાવીરે અંતિમ દેશનામાં કહ્યું તમારું દુ:ખ તમે જ ઉત્પન્ન કરેલું છે. બીજાએ દુ:ખ આપ્યું હોય, તો પરવશતા થાય, પણ તમે જે દુ:ખ ઉભું કર્યું હોય, તે દુ:ખ તમે જ દૂર કરી શકશો. જો તમે મોહનો ત્યાગ કરો તો દુ:ખ દૂર થશે. મોહ દૂર થતાં તૃષ્ણા નહિં હોય, તૃષ્ણા નહિં હોય, એને એક ચીજનો લોભ નહિં હોય, તેથી બધુ ત્યાગી શકશો. તૃષ્ણા વધશે તો દુ:ખ વધશે તૃષ્ણા તમને દોડાવશે, નચાવશે, પણ સંતોષ નહિં થાય.' ઈચ્છિત મળ્યું તે સુખ, ન મળ્યું તે દુ:ખ. પોતાને અનુકૂળ હોય તે સુખ, પ્રતિકૂળ હોય તે દુ:ખ, માનવી સોદાબાજીનો જ તર્ક લડાવે છે. ખલિલ જિબ્રાને લખ્યું છે: 'સુખની ઈચ્છામાંથી જ દુ:ખનો પ્રારંભ થાય છે. રોમના ફિલસૂફ શહેનશાહ માર્કસ ઓરેલિયસે લખ્યું છે: કશુંક બને અને કડવાશ ઉભરતી લાગે, અને લાગે કે આ દુર્ભાગ્ય છે, તો તેને ગૌરવપૂર્વક સહન કરવું એજ સદ્ભાગ્ય છે.' દુઃખ તો પાવક અગ્નિ જેવું છે. માણસ કેવી “મેટલ” કેવી અસ્મિતા ધરાવે છે, તેના પર એનો આધાર છે. અગ્નિ લાકડાને બાળે છે, પણ લોઢાને તો મજબૂત કરે છે. ટાગોર કહેતા : “જિંદગીમાં કાંટા ઉગે છે. પછી જ્યારે ફૂલ આવે છે, ત્યારે કાંટા સાર્થક થઈ જાય છે.' 24[44 Corolla uiszhi Guj 29: 'Your pain is the breaking of the shell that encloses your understanding.' તમારા જ્ઞાન પર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે તમને જે વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે છે, તે વસ્તુ છે તમારી વેદના. માણસ હંમેશા પોતાના પ્રારબ્ધને દોષ દે છે. હકીકતમાં આજનો પુરુષાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy