________________
અંતરથી શ્રધ્ધા પેદા થાય એવો પુરૂષાર્થ ચાલુ છે ? આત્મીક ગુણને પેદા કરનારી શ્રધ્ધા આપણા અંતરમાં કેટલી ? દર્શન ગુણ સમ્યગ્રૂપે કામ કરે છે કે અસમ્યગ્રૂપે કામ કરે છે ? જેવી રીતે જ્ઞાન ગુણ આપણો નથી આરાધના કરતાં કરતાં એમ જે જણાય છે તેમ દર્શન ગુણ પણ વાસ્તવિક રૂપે નથી ને ? દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં કોઇવાર આનંદ આવે છે. સંતોષની અનુભૂતિ થાય છે પણ ખરેખર એમાં એટલે મોહમાં આપણે ફ્સાઇ ગયેલા છીએ કારણકે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં આપણી સાચી શ્રધ્ધા કેટલી છે ? જે આંશિક અનુભૂતિ થાય છે તેનાથી હેય પદાર્થમાં હેયબુદ્ધિ ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ આંશિક રૂપે થાય છે ખરી ? તો એ આંશિક અનુભૂતિ જરૂર સમ્યગ્દર્શન પેદા કરાવશે. પુણ્ય પુરૂં થશે એટલે અહીંથી જવાનું છે તે જાણીએ છોએ આ બધી ચીજો અહીંની અહીં જ રહેવાની છે એમ સમજવા છતાં પણ આપણામાં સાચી શ્રધ્ધા એ પદાર્થો પ્રત્યેની છે. એ સાચી શ્રધ્ધા છે એમ સમજવાનું કે માનવાનું નહિ કારણ કે આ પદાર્થો નાશવંત છે. કાયમ સુખ આપવાની તાકાત વાળા નથી આજે સુખ આપે છે અને કાલે દુઃખપણ આપે એમ જાણવા છતાં મોહના ઉદયના કારણે આપદાર્થો મને કામ લાગશે બે ચાર મહિને પણ જરૂર પડશે તો કામ લાગશે એટલો વિશ્વાસ અને શ્રધ્ધા રહે છે ને તે અસમ્યગ્દર્શન રૂપ શ્રધ્ધા ગણાય છે.
અનુત્તરવાસી દેવોને જે સુખ પર પદાર્થોનું છે તેના કરતાં જીવના આત્મપ્રદેશોમાં આઠ આત્મ પ્રદેશોમાં જે સુખ છે તે આઠમાંથી એક આત્મપ્રદેશ ઉપર જે સુખ છે તે દેવો કરતાં અનંતગણું ચઢીયાતું છે. આથી શું નક્કી થાય છે કે સુખ રાગમાં નથી પણ વિરાગમાં છે. મમતામાં નથી મમતાના ત્યાગમાં એટલે સમતામાં છે. જે જીવો સુખના પદાર્થોમાં રાગથી સુખની અનુભૂતિ કરે છે. તે વાસ્તવિક રીતે એ સુખનો અનુભૂતિ નથી પણ દુઃખની અનુભૂતિ છે. કારણ અહીં પણ દુ:ખની અનુભૂતિ થાય છે અને ભવાંતરમાં પણ દુઃખની અનુભૂતિ થાય છે. કારણ કે રાગના પદાર્થોમાં સતત ભય રહેલો હોય છે. એજ દુઃખની અનુભૂતિ કહેલી છે. જ્યારે વિરાગમાં કોઇ ભય નથી સદા માટે અભયનું સુખ અને તેની અનુભૂતિ ચાલુને ચાલુ જ હોય છે. આ શ્રધ્ધામાં જરાય ઘટાડો કરવાનો નહિ એ સભ્યશ્રધ્ધા ઘણી જ ઉંચી કોટિની છે. એ શ્રધ્ધા પેદા કરવા માટે જ પુરૂષાર્થ કરવાનો છે.
એકેન્દ્રિયપણાથી જીવ પરિગ્રહ સંજ્ઞાના કારણે સંગ્રહ કરવાની વૃત્તિનો સંસ્કાર સાથે લઇને આવેલો હોય છે માટે જગતના સઘળા જીવોની સંગ્રહ કરવાની વૃત્તિ તો ચાલુ જ છે અને એ સંગ્રહ કરેલા પદાર્થોના સંસ્કાર રાગના કારણે એવા દ્રઢ બને છે કે એક ભવથી બીજા ભવમાં બીજાથી ત્રીજા ભવમાં એમ ભવોભવ સુધી ચાલુ જ રહે છે એ સંજ્ઞાના સંસ્કારને તોડવા માટે તેનો નાશ કરવા માટે જ જગતમાં જૈન શાસનની આરાધના કહેલી છે માટે જ જ્ઞાની ભગવંતો કહે છે. સમ્યક્શ્રધ્ધા એટલે વિરાગભાવ-અસમ્યક્શ્રધ્ધા એટલે રાગ ભાવ.
માટે જ જીવ સંપૂર્ણ રાગ ભાવનો નાશ કરે ત્યારે જ સંપૂર્ણ શ્રધ્ધા પેદા થાય તે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ વગર થાય નહિ એ ક્ષાયિક સમકીત પેદા થાય તો મનુષ્ય ભવમાં આઠ વરસની ઉંમર પછી તીર્થંકર એટલે કેવલીના કાળમાં અને પહેલા સંઘયણના કાળમાં થાય. બાકી ક્ષયોપશમ સમકીતના કાળમાં પર પદાર્થોમાં રાગની મંદતા, રાગની સંયમતાનો અનુભવ થઇ શકે છે એ અનુભવ કરવા માટે જ હેય પદાર્થમાં હેયની બુધ્ધિ અને ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ આવે તોજ રાગની મંદતા અને રાગની સંયમતા નો આંશિક અનુભવ થાય આ અનુભવ પહેલાં ગુણસ્થાનકે અપુનબંધકમાં રહેલા મિત્રાદ્રષ્ટિવાળા જીવોને થાય છે. તોજ એ જીવ પોતાની ગ્રંથીને ઓળખીને ગ્રંથી ઉપર ગુસ્સો વધારતાં તેને ભેદવા માટેનો પુરૂષાર્થ કરી શકે છે અને ભેદી શકે છે. તોજ એ જીવ ક્ષયોપશમ સમકીતનીપ્રાપ્તિ કરી શકે છે.
ભગવાનની અંગરચના એ અનુભૂતિ માટે જ કરવાની છે. કારણકે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવે સંસારમાં રહે છે તે વધારેમાં વધારે ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી રહે છે તે વિરાગ ભાવ
Page 35 of 78