________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૩૫ વ્યવહાર તે કરે છે. આ વાત સંસારમાં જાણીતી છે. આવા હસવા-રડવા આદિના વ્યવહારો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં ગ્રહ હોય છે. આવું ચક્ષુથી સાક્ષાત્ નજરે ક્યાંય કોઈના પણ વડે પૂર્વકાલમાં જોવાયું નથી. કારણ કે ગ્રહ (ભૂતાદિ) દેવવિશેષ છે અને તે અદેશ્ય શરીરવાળા છે. તેથી આવા ગ્રહને (ભૂતાદિને) સાક્ષાત્ નજરે જોયેલા ન હોવા છતાં પણ અનુચિતપણે કરાતી હસનક્રિયા, ગાવાની ક્રિયા, રડવાની ક્રિયા, હાથ-પગ પછાડવાની ક્રિયા અને આંખોમાં વિશિષ્ટ વિક્ષેપન ક્રિયા આદિ વિકૃત લિંગો દેખાવાથી “આ માણસના શરીરમાં ભૂતાદિ છે” આવું અનુમાન કરાય છે જે વાત નાના બાલજીવોમાં પણ જાણીતી છે.
કોઈના શરીર ઉપર બેચેની દેખાય તો તેના શરીરમાં કંઈક રોગ છે આવું અનુમાન કરાય જ છે. તે રોગને પૂર્વકાલમાં જોયેલો જ હોય એવો નિયમ નથી. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે જેથી હે ઈન્દ્રભૂતિ ! જેનો પૂર્વકાલમાં સંબંધ સાક્ષાત્ નજરે જોયો હોય તેનું જ અનુમાન થાય એવો નિયમ નથી. પૂર્વકાલમાં સંબંધ ન જોયો હોય તો પણ અવિનાભાવપણું પ્રસિદ્ધ હોવાથી અનુમાન થઈ શકે છે. તેમ અહીં જ્ઞાન અને જીવ અમૂર્તિ અને અચાક્ષુષ હોવાથી પૂર્વકાલમાં ભલે સાક્ષાત્ નજરે ન જોયા હોય તો પણ જ્ઞાન એ લિંગ છે અને જીવ એ લિંગી છે. જ્યાં જ્યાં સ્મરણ-જિજ્ઞાસા-સંશય-નિર્ણય ઈત્યાદિ રૂપે જ્ઞાનસંજ્ઞા હોય છે. ત્યાં ત્યાં તેનો લિંગી એવો જીવ અવશ્ય હોય જ છે. /૧૫૬૫૧૫૬૬I.
આત્માની સિદ્ધિ કરનારાં બીજા અનુમાન પણ જણાવે છે - देहस्स स्थि विहाया, पइनिययागारओ घडस्सेव । अक्खाणं च करणओ, दंडाईणं कुलालोव्व ॥१५६७॥ (àહસ્થત વિધાતા, પ્રતિનિયતાવારતો વચ્ચેવ !
अक्षाणाञ्च करणतो, दण्डादीनां कुलाल इव ॥)
ગાથાર્થ – ઘડાની જેમ શરીરનો પ્રતિનિયત આકાર હોવાથી કોઈક કર્તા છે. (તે જીવ છે.) શરીરમાં રહેલી પાંચે ઈન્દ્રિયો કરણ હોવાથી તેનું મુંજન કરનાર કોઈક કર્તા છે. જેમ ઘટ બનાવતી વેળાએ દંડાદિનું મુંજન કરનાર કુંભાર છે તેમ અહીં જીવ છે. /૧ પ૬૭ll
વિવેચન - ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ ન જણાતી વસ્તુને લિંગ દ્વારા જે