Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 142
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૨૫ બાબતમાં જોઈએ. રાત્રે બે વાગે તમને કોઈ ઊઠાવી જાય અને પછી સ્મશાનમાં જઈને તમને મૂકી દે તો તમારી શી દશા થાય ? એક બાજુ ચિતા સળગતી હોય, બીજી બાજુ હાડકાંમાંથી ફોસ્ફરસના ભડકા થતા હોય, તો તે ઘડીએ તમને મહીં શું થાય ? પ્રશ્નકર્તા : એવું વિચારેલું જ નહીં ને ! દાદાશ્રી : એવું વિચાર્યું જ નથી ? પ્રશ્નકર્તા: અમારે વસ્તુની સમજ નથી એટલે અનુભવ થતો નથી. અનુભવ નિરંતર રહેતો નથી એવો ? દાદાશ્રી : આ તમને તો સમજણ જ નહીં ને ! આ તો તમને નહીં ઠંડક એની મેળે રહે ત્યાં સુધી જ બરાબર રહે, પણ એ તો ઊડી જતાં વાર જ નહીં લાગે ને ! આ છોકરાઓને કશી સમજણ જ નહીં ને ! એમને કોઈ કહે કે, “બાબા, લે આ બિસ્કિટ', તો પેલો બિસ્કિટ આપીને હીરો પડાવી લે. એટલે આમની સમજણ કેવી ? વસ્તુની કિંમત જ નહીં ને ! પણ આ છોકરાઓ પુણ્યશાળી ખરાં, પણ બાળક કહેવાય. આ બધા વ્રત લેનારા બધા ય બાળક કહેવાય. સહેજ દુ:ખ આવે તો આ બધું ય ભેલાડી દે ! આ તો ગમે તેવા દુઃખને ગણકારે નહીં ત્યારે આ વ્રત રહે. મારી આજ્ઞામાં ચોખ્ખો રહે ત્યારે આ વ્રત રહે ! પ્રશ્નકર્તા : આપ તિતિક્ષા ગુણ કહેતા હતા કે ગમે તે અવસ્થામાં દુ:ખ સહન કરવાનું, એવું ? દાદાશ્રી : આ લોકોએ કશું ય દુઃખ જોયું જ નથી. દુઃખ જોવાનું હોય, તે પહેલાં તો આ લોકોનો આત્મા ઊડી જાય ! છતાં પણ આમ કરતાં કરતાં આ છોકરાઓ પોષાઈ જાય ને દસ-વીસ વર્ષ થઈ જાય તો પછી એને ગેડ બેસી જાય બધી ને મૂળિયાં નાખી દે. બાકી, આ તો બધા પોમલા માણસો કહેવાય. પ્રશ્નકર્તા : આમ તો બધા સ્ટ્રોંગ લાગે છે. ૨૨૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : કોણ આ ? ના, એ તો એવું લાગે તમને. પણ આ તો બધા પોમલા ! આ તો તરત બધું ય છોડી દે. સ્ટ્રોંગ તો, ગમે તે થાય, મરવાનો થાય તો ય આત્મા મારો ને દાદાની આજ્ઞા છોડું નહીં, એનું નામ સ્ટ્રોંગ કહેવાય. જે આવવું હોય તે આવો, કહીએ ! હવે આ છોકરાઓનું બધાનું ગજું જ શું ? તિતિક્ષા નામનો ગુણ આમનો કેળવાયેલો જ નથી ને ?! પ્રશ્નકર્તા: આપને પગે ફ્રેકચર થયું હતું, જોન્ડિસ થયો હતો, આવા બધા કષ્ટો સામટાં આવ્યાં, એક જ જગ્યાએ, એક જ પોઝીશનમાં ચાર મહિના બેસી રહેવાનું, તો આ બધું ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય ને ?! દાદાશ્રી : આ તો કષ્ટ જ ન હતું, આને કષ્ટ ના કહેવાય. પ્રશ્નકર્તા : તમને ના લાગે. દાદાશ્રી : ના, બીજાને ય કષ્ટ ના ગણાય. આને કંઈ કષ્ટ ગણાતું હશે ? અરે, કષ્ટ તો તમે જોયાં નથી. આ બ્રહ્મચારીજી પથરા ઉપર ઊભા રહીને તપ કરતા હતા, તે એમને જોયા હોય તો તમને એમ મનમાં થાય કે આવું એક દહાડો ય આપણાથી નહીં થાય. મને હઉ થતું ને, કે આ પ્રભુશ્રીના શિષ્ય બ્રહ્મચારીજી આવું કરે તો પ્રભુશ્રી કેટલું કરતા હશે ? અને કૃપાળુદેવ તો વળી કેવું ય કરતા હશે !!! લોક એમના પરથી મચ્છરાં ઊડાડી જાય ને કંઈક ઓઢાડી જાય તો એ પોતે ઓઢવાનું કાઢી નાખે અને નિરાંતે મચ્છરાં કડવા દે ! એક આત્મા જ પ્રાપ્ત કરવો છે, એવો ધ્યેય લઈને બેઠેલા. હવે આમને આ પુણ્યથી મફતમાં પ્રાપ્ત થઈ ગયું છે, બાકી તિતિક્ષા હોવી જોઈએ. પ્રશ્નકર્તા : એ લોકોએ ક્રમિક માર્ગ હતો એટલે ત્યાગ કર્યો હતો. આપણા અક્રમ માર્ગમાં તિતિક્ષા કરવી હોય તો શું કરવાનું ? દાદાશ્રી : આપણે અહીં ત્યાગ કરવાની જરૂર નથી. આત્મા પ્રાપ્ત કરેલાને એવા સંજોગો કો'ક વખત ઉત્પન્ન થાય છે. તે વખતે જો એ સ્ટ્રોંગ રહ્યો તો રહ્યો, નહીં તો ફફડી ઉઠે. માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ. પ્રશ્નકર્તા : આ છોકરાઓ અત્યારે જે સુખના સરાઉન્ડીંગમાં જીવે

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217