Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 178
________________ ૨૯૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ખબર છે, એમ છતાં પણ એ થઈ જાય છે. તો એને અટકાવવા માટે શું પ્રયત્ન કરવો ? શું પુરુષાર્થ કરવો ? દાદાશ્રી : એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? ‘આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?’ એ તપાસ કરી લાવવી જોઈએ. આ દુનિયાનો એવો નિયમ છે કે ગુનાના ફળને પૂરું જાણતા હોય તો, એ ગુનો કરે જ નહીં ! ગુનો કરે છે એટલે એ ગુનાના ફળને પૂરું જાણતો નથી ! આ અમે નર્કનું ફળ જાણીએ છીએ, એટલે અમે તો કોઈ દહાડો ય નર્કનું ફળ આવે એવી વાત તો, આ શરીર તૂટી જાય તો ય ના કરીએ. તમે નર્કનું સ્વરૂપ સાંભળ્યું, તો તમને કેવું લાગે હવે ? માટે કર્મનું ફળ શું ? એ જાણવાનું. કારણ કે ગુનો થાય છે તો હજુ ‘એનું ફળ શું ?” એ જાણ્યું જ નથી. માટે પ્રકૃતિ કેવી બાબતમાં ખોટું કરે છે, એ કો'કને પૂછવું જોઈએ. જ્ઞાની પુરુષ હોય તેને પૂછવું જોઈએ કે, ‘હવે મારે આ જગ્યાએ શું કરવું ?” અને તે ઉપરાંત એ પ્રકૃતિથી થઈ જાય તો માફી માગવી જોઈએ ! જે પ્રકૃતિ આપણને પસ્તાવો કરાવડાવે, એ પ્રકૃતિનો વિશ્વાસ જ કેવી રીતે કરાય ? પ્રશ્નકર્તા : પ્રગતિમાં રૂંધનારા અંતરાયોમાંથી કેવી રીતે નીકળાય ? દાદાશ્રી : એ બધું નીકળી જશે, કૃપાથી બધું જ નીકળી જશે. કૃપા એટલે દાદાજીને રાજી રાખવા તે. દાદા આપણી પાછળ જે માથાકુટ કરે છે, એનું ફળ સારું આવે, ટકા સારા આવે એટલે દાદા રાજી ! બીજું શું દાદાને જોઈએ ?! દાદા કંઈ પેંડા ખાવા માટે આવ્યા નથી ! છતાં ય પેંડા ધરવાના ને પ્રસાદ મૂકવાનો ! એ ય વ્યવહાર છે ને ?! ધંધામાં ખૂયા કે ખોયા ખુદા ! આ તો પોતાની જાતે ખોટેખોટો સંતોષ લઈને દહાડા ચલાવે ! અને સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૯૭ એનું રીઝલ્ટે ય આવ્યા વગર રહે નહીં ને ! ગમે તેટલું કહેશે, ‘હું વાંચું છું, હું વાંચું છું.’ પણ છ મહિને એનું રીઝલ્ટ તો આવે જ ને ? ત્યારે પોલ ખબર પડી જાય ને ?! તને સમજાય છે આ બધું ? કૉલેજમાં બેઠા પછી પાસ તો થવું પડે ને ? જે ધંધો માંડ્યો છે, એ પૂરેપૂરો કરવો તો જોઈએ ને ? ‘પૈણવું છે” તો એમ નક્કી રાખવાનું અને “બ્રહ્મચર્ય પાળવું છે” તો એ નક્કી રાખવું. બ્રહ્મચર્ય પાળવું હોય તો પછી નિશ્ચય પૂરેપૂરો હોવો જોઈએ ને ? આ તો ધંધા પર દુકાનનું કરવા જઈએ ને પાછું ફૂટબોલે ય રમવા જઈએ, બોલ-બેટે ય રમવા જઈએ, તો એમાં કંઈ ભલીવાર થતો હશે ? ભલીવાર લાવવો છે, ત્યારે રસ્તો તો કાઢવો પડે ને ? કે આવું ચાલે ? પોલંપોલ ચાલે ?! પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : બાકી લોકોનાં ટોળાં જાય છે, એવું ટોળામાં રહીએ એ હિસાબે સારું છે ! એમાં પછી આપણે ક્યાં લક્ષ રાખવું પડે કે, ‘કોણ આગળ જાય છે ? શાથી એ આગળ જાય છે ? હું શાથી આટલો બધો પાછળ રહી ગયો ?” બાકી, મોક્ષમાર્ગમાં તો નિરંતર જાગૃત રહેવું પડે કે મારી શી ભૂલ રહી જાય છે ?” એવી તપાસ તો કરવી જ પડે ને ! બાકી, સંસારની તો ઇચ્છા કરવા જેવી જ નથી. સંસાર તો સહજ સ્વભાવે ચાલ્યા કરે એવો છે. હવે આટલાં વખતથી મહેનત કરી છે, એમાં મારો ય આટલો બધો ટાઈમ ગયો છે, તારે ય કેટલો ટાઈમ ગયો છે. માટે મને કંઈક સંતોષ થાય એવું કર. અહીં આ બધા છોકરા છે, તે કેવું સુંદર બધાને આખો દહાડો વર્તે છે ! અહીં તો જે ચોંટી પડ્યો ને વળગી પડ્યો, તેનું ચાલ્યા કરે ! એ ચોંટેલું ઊખડે નહીં ત્યાં સુધી તારે સારું ચાલ્યા કરશે. હવે ક્યારે પાછું ઊખડી જઈશ ? પ્રશ્નકર્તા: હવે નહીં ઊખડું. દાદાશ્રી : ત્યારે ખરું ! એવો ચોંટી પડે તો જ ચાલે. કારણ કે અહીં જે ચોંટી રહ્યો, એને કૃપા કામ કર્યા વગર રહે નહીં એવો આ કરુણામય માર્ગ છે. કેવો માર્ગ છે ? પોતાનું બગાડીને ય પણ કરૂણામય માર્ગ છે. પોતાની કમાણી ઓછી ભલે થાય, પણ એને સાચવીને, એની કમાણી શરૂ

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217