Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 188
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૩૧૫ પ્રશ્નકર્તા : એ તો ખબર નથી. પણ આમાં રહેવું છે, આ જ્ઞાનમાંઆજ્ઞામાં, આ સાયન્સમાં જ રહેવા જેવું છે ! દાદાશ્રી : તો રહેવાશે. પ્રશ્નકર્તા : એ કેવાં કેવાં જોખમો આવે ? દાદાશ્રી : એમને દસ માઈલનો રસ્તો બાકી રહ્યો. તમારે આ સાતસો માઈલ બાકી છે. કેટલા બહારવટિયા મળશે, કેટલાં બધા ફસાવનારા મળશે ! પ્રશ્નકર્તા : તો એમાં સેફસાઈડનો રસ્તો કઈ રીતે કાઢવો ? આ તેમાં જોખમો સામે આવે ? દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડી રહે તો ચાલે, કુસંગમાં પેસે નહીં તો ચાલે. પ્રશ્નકર્તા : એક જ ઉપાય છે. દાદાશ્રી : આની આ જ વાતો મળ્યા કરે, જ્યાં જાય ત્યાં. કુસંગની વાત જ ના આવે. તો છૂટકો તરત થઈ જાય. પ્રશ્નકર્તા : આ મોટામાં મોટો ઉપાય જ આ છે, સત્સંગનું અનુસંધાન આખું ! દાદાશ્રી : સત્સંગના ભીડામાં રહેવું પડે. ભીડો ! ભીડ વાગે ત્યાં છૂટવું હોય તો ય ના છૂટાય. વ્રતની વિધિથી, તૂટે અંતરાયો ! આ છોકરાને બ્રહ્મચર્યના ભાવ છે. આ ભાવ તો ખોટો નથી ને ? એવા ભાવવાળાને આપણે શું કરવું ? આપણે એને ટેકો દેવો જોઈએ કે ટેકો લઈ લેવો જોઈએ ? પ્રશ્નકર્તા : ટેકો દેવો જોઈએ. દાદાશ્રી : એવાં ભાવ કોઈ કરતું હોય, પછી ગમે તે કરે, એને ૩૧૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપણે ટેકો દેવા તૈયાર છીએ. કારણ કે આપણી ઈચ્છા જ એવી છે. હવે એવા ભાવ તમે કરો તો સંજોગ બધા તમને એવાં જ ભેગા થઈ જાય. અમે તો વારે ઘડીએ આ છોકરાનો ટેસ્ટ લઈએ. એને લાલચ આપ્યા કરીએ કે પૈણને હવે, મેલને છાલ, પૈણવામાં તો બહુ મઝા છે. એનો ટેસ્ટ કરું કે એનું કાચું છે કે પાકું ! આ બ્રહ્મચર્ય વ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઈચ્છા જોઈએ. તારી ઈચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે. કોઈ એક મોટો પાણીનો વૈકળો હોય અને કોઈ માણસથી તે કૂદાતો ના હોય તો પાછળ જઈને હું એને કહ્યું કે, “એ ય કૂદી જા.' તો એ પાછો કૂદી જાય. આમ જાતે કૂદાય એવી શક્તિ ના હોય, તો ય કૂદી જાય. કારણ કે આ શબ્દની પાછળ એને શક્તિ પ્રાપ્ત થાય છે. એવું અત્યારે આ છોકરાઓ બ્રહ્મચર્ય લેવા ફરે છે, તે બધાને અમે શક્તિ મૂકીએ, એ શક્તિપાત થાય. પણ આ શક્તિપાત જુદી જાતનો છે. જગતમાં જે શક્તિપાત થાય છે, તે ભૌતિક છે બધા. ખરી રીતે શક્તિપાત જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો સામાને એમ લાગે કે મને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ બધું નિયમથી જ છે. કોઈ કોઈને આપતો નથી ને કશું દેતો નથી. આ તો પોતાની જ શક્તિનો ઉઘાડ થાય છે. જ્ઞાનીના બોલવાથી શક્તિનો ઉઘાડ થઈ જાય છે. એટલે પોતાના મનમાં એમ લાગે કે મને આ મહીં કશું નાખ્યું. આ બધા નિર્બળ જ હતા ને ! તે અત્યારે કેટલાં આનંદમાં છે, જાણે દાદાએ શક્તિ નાખી ! સાધતા, “સંયમી'ના સથવારે ! પ્રશ્નકર્તા : આ બધા સંયમીને જોડે રહેવાનું હોય તો તો બીજે ક્યાંય એ જાય જ નહીં. દાદાશ્રી : હા, એવું પણ થઈ જશે. પણ ત્યાં સુધી હજી કેળવણી કરવાની જરૂર છે. હજી કેળવણી કાચી, તેથી જ એવું નથી થતું ને ?

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217