Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 173
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૮૭ પ્રશ્નકર્તા: શેનો ? દાદાશ્રી : આ તું અજ્ઞાનમાં પેસી જઉં છું પછી ? પ્રશ્નકર્તા: આ એ જ આવે છે આખું, પોતા ઉપરે ય એમ થાય છે કે આ ચંદ્રેશ બગડી ગયો, પોતાને એમ થઈ જાય કે હું બગડી ગયો. એમ પોતાના પર તિરસ્કાર આવે છે, કે આવું ?! ક્યાં પહેલાનો ચંદ્રેશ ને ક્યાં અત્યારનો ચંદ્રેશ ! આવું છે બધું કે ?! ઘણીવાર તો પ્રતિક્રમણે યુ ના થાય. દાદાશ્રી : શી રીતે થાય પણ તે ?! જ્ઞાન, અજ્ઞાનમાં પેસી જાય પછી શી રીતે થાય ? જૂદો રહેતો હોય તો થાય. ૨૮૬ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : પણ જે વિષય છે, એમાં તો જોવું એ ય જોખમકર્તા ને ! ક્યારે સ્લિપ થઈ જાય, એ તો કહેવાય જ નહીં ને ! દાદાશ્રી : કશું ના થાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું ના થાય. ‘સ્લિપ થઈ જાય” એ કહેવાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ એ ડિસાઈડ કેવી રીતે કરી શકે, કે પોતે જ્ઞાતાદ્રામાં છે ? દાદાશ્રી : શંકા છે, તેને જ બધું થઈ જાય. જેને શંકા નથી, તેને કશું ના થાય. પ્રશ્નકર્તા : એટલે તો આ જે આખું થયું છે, એ શંકાના આધારે જ આ થયેલું છે ? અત્યારે આ ચંદ્રશની જે અવસ્થા છે, આખી શંકા ના આધારે જ છે ? દાદાશ્રી : તો બીજું શેના આધારે ? પ્રશ્નકર્તા એટલે પોતા પર શંકા થઈ છે એને. દાદાશ્રી : એવું છે ને ‘ચંદ્રેશ શું કરે છે” એમ જોયા કરવાનું. આપણે એને કહેવાય ખરું કે ‘તું નાલાયક છું.’ આમતેમ બધું ય કહેવાય. તન્મયાકાર નહીં થઈ જવાનું, તો શક્તિ ઉત્પન્ન થઈ જાય પછી. “જ્ઞાન” અજ્ઞાનમાં ઘૂસી ના જવું જોઈએ. પ્રશ્નકર્તા : ઘણીવાર તો એ પણ ડિસાઈડ ના થઈ શકતું હોય કે આ જ્ઞાન છે કે અજ્ઞાન છે ? દાદાશ્રી : ડિસાઈડ થયા વગર રહે જ નહીં ને ! પ્રશ્નકર્તા : વારે ઘડીએ પેલી બાજુ ખેંચાતું હોય એટલે પોતાને શંકા રહે કે આ જ્ઞાનમાં છે કે અજ્ઞાનમાં છે. દાદાશ્રી : ખેંચાઈ રહ્યું છે તે ય, જેને ખેંચનાર છે, એ બધું જ “જે' ‘જાણે છે, એ “જ્ઞાન” છે. જાણે નહીં એટલે પછી જ્ઞાન ખસી ગયું કહેવાય, અજ્ઞાનમાં પેસી ગયું. પ્રશ્નકર્તા ઃ જ્ઞાન, અજ્ઞાનમાં ઘૂસી જાય છે, તો એનો આટલો લાંબો પિરિયડ છે. તો હવે એનાં માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું જ કરવાનું ના હોય. પ્રશ્નકર્તા : તો એ અજ્ઞાનમાં પેસી ગયો છે, એને ય જોવાનો ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ બગડી ગયો, એને સુધારવું તો પડે જ ને ! દાદાશ્રી : એ સત્સંગમાં વધારે જવું જોઈએ. સત્સંગમાં વધારે એટલે પછી રેગ્યુલર ! પ્રશ્નકર્તા : હા, એ વસ્તુ તો જોયું. સત્સંગમાં આવે છે ત્યારે બહુ ક્લીયર થઈ જાય છે. દાદાશ્રી : હા, પણ સત્સંગમાં વધારે પડી રહેવું પડે. એટલો ટાઈમ કાઢી રાખવો જોઈએ સત્સંગ માટે. જોવું' “જાણવું' આત્મસ્વરૂપે પ્રશ્નકર્તા : જોવાથી પુદ્ગલ શુદ્ધ થઈ જાય, એ વિષય માટે પણ

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217