Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 109
________________ ૫૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પરિસ્થિતિવશાત્ કે કોઈના ઉંધા ભરમાવવાથી મનમાં આરાધના અંગે ઊભી થતી ભ્રાન્તિઓ (તેમજ શંકાઓ) એ આ દિમોહ વિઘ્ન છે. મનમાં ભ્રમણાઓ ઘુસે એટલે આરાધનામાં અલના આવે જ. આ ભ્રમણાઓ દૂર થાય તો જ પુનઃ અસ્મલિત આરાધનાઓ ચાલુ થાય. તેથી, મનને ભ્રાન્તિશૂન્ય બનાવવું એ દિગ્બોહવિધ્વજય છે. આ બ્રાન્તિઓ ગુરુપરતત્રતાથી કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ (વિરુદ્ધ) ભાવનાથી દૂર થાય છે. પોતાના મનમાં ભલે ભ્રમણા થઈ ગઈ હોય કે શંકા પડી હોય, પણ ગુરુપારતન્ય હોય તો, “ગુરુ મહારાજ કહે એમ જ મારે કરવાનું.. એમાં મારું હિત જ છે' આવી પ્રતીતિ હોવાના કારણે, ગુરુકથનાનુસાર પ્રવૃત્તિ તો અખ્ખલિતપણે ચાલતી જ રહે છે, માટે વિધ્વજય થાય છે. * “સંસારનો ક્યારેય પ્રારંભ નહીં?” “મોક્ષે જવાનું ચાલુ છે તો ક્યારેક તો બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જશે ને ?” આવા બધા મિથ્યાત્વજન્ય ભ્રમની સામે “રાગ-દ્વેષ અને અજ્ઞાનથી પર થઈ ગયેલા ભગવાનને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. એટલે તે જ નિઃશંક સત્ય છે જે મારા ભગવાને કહ્યું છે. મારો ક્ષયોપશમ મંદ છે, માટે મને ન સમજાય એ પણ બને...” આવી બધી ભાવના એ પ્રતિપક્ષ ભાવના છે... એનાથી ભ્રમ દૂર થાય છે ને વિધ્વજય થાય છે. કેટલાક સંભવિત દિગ્બોહસમવિઘ્નો : * કોઈક અનીતિ વગેરે કરનારની જાહોજલાલી ને નીતિ પકડી રાખનારનો જીવનનિર્વાહ માટેનો સંઘર્ષ જોઈને - “આપણે પણ ઊંધું-ચતું કરો. નીતિનું પૂંછડું પકડવામાં મજા નથી.” * કરોડો લોકો રાત્રીભોજન કરે છે. શું બધા નરકે જવાના? માટે રાત્રીભોજનને નરકનું પ્રથમ દ્વાર કહેવું એ બરાબર નથી. * આજના કાળમાં ટી.વી. તો છૂટી શકે જ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162