Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 112
________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૭ ૫૪૩ અંતિમ અવસ્થામાં રહેલા શિષ્યોએ વચન આપ્યું હોવા છતાં દેવલોકમાંથી આવતા નથી, ને અષાઢાચાર્યને દિગ્મોહ થઈ ગયો. સંયમ છોડી દેવાનો નિર્ણય કર્યો. છેલ્લા કાળ કરેલા શિષ્ય ૬ રાજકુમારોનું રૂપ વિકુવ વ્યામોહ દૂર કર્યો. પચ્ચકખાણમાં “દિસામોહેણ આગાર મૂક્યો હોવાથી, જ્યાં સુધી આગારરૂપતાને જાળવી રાખે ત્યાં સુધી દિગ્મોહ એ વિખરૂપ બનતો નથી. વસ્તુતઃ પચ્ચકખાણમાં જે દિગ્મોહ છે એ પચ્ચખાણ આવ્યું છે કે નહીં ? એ અંશમાં ભ્રમણા કરાવનાર છે. પચ્ચખાણ કરવું કે નહીં ? એ અંશમાં અર્થાત્ સાધનાની કર્તવ્યતાના અંશમાં – સાધનાના સ્વીકાર અંશમાં ભ્રમણા કરાવનાર નથી, માટે એ “વિઘ્ન’ રૂપ નથી. જેમ પથિકને કંટક-જવર કે દિગ્યોહ આ ત્રણમાંથી એક પણ વિન પર જય મેળવવાનો બાકી હોય તો તે તે વિઘ્ન આવવા પર ગતિમાં અલના આવ્યા વિના રહેતી નથી. એટલે અસ્મલિત – ગતિ માટે ત્રણે વિદ્ગો પરનો જય આવશ્યક છે. એમ મોક્ષમાર્ગના પથિકે પણ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિનજય આશય કેળવ્યો હોય તો જ એની અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. ત્રણમાંથી એકાદ વિધ્વજય આશય કેળવાયો ન હોય તો પણ અસ્મલિત પ્રવૃત્તિ અશક્ય બને છે. પ્રવૃત્તિને અલના પામવા માટે ત્રણ પ્રકારના વિદ્ગો ઉપસ્થિત થવા જોઈએ એ આવશ્યક નથી, જે વિધ્વજય ન કેળવાયો હોય તેનું વિઘ્ન ઉપસ્થિત થાય એટલે પ્રવૃત્તિ ખોરંભે પડવાની જ. એટલે ત્રણે વિધ્વજય આશયનો સમુદાય જ પ્રવૃત્તિનું કારણ બને છે, એકાદ વિધ્વજય આશય નહીં, એ નિશ્ચિત જાણવું. પ્રશ્ન - આમ વિધ્વજય આશય એ કારણ છે ને એનાથી કાર્યરૂપે પ્રવૃત્તિ થાય છે. તો પાંચ આશયોમાં, પ્રણિધાન-વિધ્વજય-પ્રવૃત્તિ. એમ ક્રમ કહેવો જોઈએ ને, પ્રણિધાન-પ્રવૃત્તિ-વિનજય.. એવો ક્રમ શા માટે ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162