Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 123
________________ ૫૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ હીન જીવો કંઈક સંકટમાં મુકાઈ જાય (અને વિધ્વજય આશય તો હજુ તેઓએ કેળવ્યો હોય નહીં, તેથી એ ગુણની સાધનામાં સ્કૂલના આવી જાય) તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અસ્મલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિત દુઃખાપહાર છે. મંદ લયોપશમવાળા જીવને અનેકવાર શીખવાડવા છતાં ના આવડે તો પણ “તું તો સાવ “ઢ” છે... તને કશું આવડવાનું નહીં.” વગેરે તિરસ્કારપ્રયુક્ત શબ્દો નીકળવા ન જોઈએ. જો આવા કઠોર શબ્દો નીકળે તો સમજવું કે કૃપા-દયા નથી. પોતે મેળવેલું જ્ઞાન પણ સિદ્ધિ અવસ્થાને પામી શકે નહીં. (ને તેથી આગળ પ્રગતિ ન થાય). એમ, પોતે ઘણા વિદ્વાન હોય, બીજા નાના હોય.. અલ્પ ક્ષયોપશમવાળા હોય તો પણ, એ એનું ફોડશે... હું તો મોટો માણસ. મારે ઘણાં કામો હોય.. એની ચિંતામાં હું ક્યાં પડું ?” આ રીતે ઉપેક્ષા ન કરતાં, એને આવશ્યક ગ્રન્થ મંગાવી આપવા, ભણાવનારનો યોગ કરાવી આપવો, ભણવાનો ઉત્સાહ જાગે એવું વાતાવરણ ઊભું કરી આપવું, બધી અનુકૂળતાઓ કરી આપવી... (આ બધું પણ કરુણા-વાત્સલ્યસભર દિલથી કરી આપવું.) આ બધું “દાન” છે. સિદ્ધિ આશય માટે આ પણ આવશ્યક છે. હિનજીવો, અસક્ઝાય-રોગ વગેરે પ્રતિબન્ધકોને દૂર કરવાનું નાના-અલ્પપુષ્યવાળા હોવાના કારણે સામર્થ્ય ન હોવાથી મૂંઝાતા હોય તો, “હું આ નાની-નાની વાતમાં ક્યાં પડું ?” એવું ન વિચારતાં પોતાના સ્થાન-પુણ્ય-પ્રભાવ વગેરેના યોગે બધા વિઘ્નો દૂર કરી આપવા એ “વ્યસનપતિત દુઃખાપહાર” છે. આના વિના પણ સિદ્ધિ સિદ્ધ થવી અશક્ય છે. પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા હોવાથી મધ્યમ જીવોએ પણ પ્રણિધાન-પ્રવૃત્તિ ને વિધ્વજયઆશય લગભગ સ્વસમાન માત્રામાં કેળવેલો જ હોય છે. એટલે તેઓ સ્વયં સાધના કરતાં જ હોય છે. પણ, ક્યારેક એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ ગઈ હોય તો એમને માર્ગ પર ટકી રહેવા કે આગળ વધવા માટે સહાય કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162