Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 124
________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ પપપ આવશ્યક બનતી હોય છે. આ ન કરનારને ‘સિદ્ધિ આશય સંભવતો નથી. એટલે, પોતે પ્રવચનકાર હોય. અન્ય પ્રવચનકારને ક્યારેક કોઈ ચોક્કસ વિષય પર પ્રવચન કરવાના પ્રસંગે મુદા માગે તો એ વખતે સ્પર્ધા-ઈર્ષ્યા વગેરે ભાવોને ન અપનાવતાં ઉમળકાભેર ઉદારતાપૂર્વક પોતાને ખ્યાલમાં હોય તે મુદા વગેરે આપવાનું સહજ દિલ બન્યું રહેવું જોઈએ... કશું છૂપાવવાનું મન ન થવું જોઈએ. તો સિદ્ધિ આશય કેળવાયો છે એમ માની શકાય. આમ કૃપા-ઉપકાર અને વિનય એ ક્ષયોપશમને સાનુબન્ધ કરવાના જેમ કારણો છે, એમ તે તે ગુણ પોતાને સિદ્ધ થયો છે કે નહીં? એના સૂચક પણ છે એ જાણવું. સ્વપ્રાપ્ત ગુણોનો અહંકાર આ ત્રણેનો પ્રતિબન્ધક છે. એટલે કે કૃપા વગેરે ન અનુભવાતાં હોય તો સમજવું પડે કે અંદર અહંકાર પ્રગટ થયો છે. વળી અહંકાર તો પ્રાપ્ત થયેલી કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક ચીજના અજીર્ણ સ્વરૂપ છે. ને જેનું અજીર્ણ થાય એ વસ્તુ પ્રકૃતિમાતા પુનઃ આપતી નથી. એટલે પ્રાપ્તગુણ પણ ગુમાવવાનો વારો આવે છે. આગળ વધવાની તો વાત જ દૂર રહે. તેથી જેને ઉત્તરોત્તર પ્રગતિ સાધવાની ઇચ્છા હોય એણે અહંકાર ન ઊઠે એ રીતે પ્રયતશીલ બનવું જોઈએ, એ માટેની કેટલીક વિચારણાઓ – ગુમાયેલી ચીજ પાછી મળે એનો આનંદ જરૂર હોય પણ અહંકાર કાંઈ કરવાનો હોતો નથી. “જુઓ ! ખોવાયેલા ચશ્મા મને મળી ગયા.' આવો અહંકાર કરવા જાય તો તો ઉપરથી “અલ્યા, પણ તે ચશ્મા ગુમાવ્યા કેમ?” એમ નાલેશી થાય. ક્ષમા વગેરે બધા ગુણો આત્મામાં રહેલા જ છે. પણ અનાદિકાળથી એ ખોવાયેલા (આવરાયેલા) છે એટલે એની પ્રાપ્તિ થાય ત્યારે આનંદ જરૂર અનુભવીએ, અહંકાર શો ? शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162