Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ ૫૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ભવિષ્યમાં મા હાજર ન હોય ત્યારે પણ બાળક વિષ્ઠામાં હાથ ન નાખે એ માટે છી...છી... સમજાવવાનું... આ બન્ને આવશ્યક છે. ત્યાગનો કોઈ પણ નિયમ જે... ચાર-છ મહિના માટે કે યાવજ્જીવ માટે પણ લેવાય છે એ વિષ્ઠામાંથી હાથ ખસેડી લેવા રૂપ છે... આ વ્યવહાર છે. પણ, આ નિયમનું માત્ર પાલન પર્યાપ્ત નથી હોતું... કારણ કે એ તો ખાલી હાથ ખેંચેલો રાખવા રૂપ છે. એકલું એ, ત્યાજ્ય વસ્તુનું અનાદિકાળથી જીવને જે આકર્ષણ બેસેલું છે એને મોળું પાડવા સમર્થ નથી હોતું. એટલે, એની સાથે, જીવને વારંવાર આ ત્યાજ્ય છે... મારા આત્માને ઘોર નુકશાન ક૨ના૨ છે... દુર્ગતિઓમાં રખડાવનાર છે' વગેરે સમજણ આપવી જોઈએ... એ પાપના કે દોષના કારણે દુઃખી થયેલા જીવોના ભૂતકાલીન કે વર્તમાનકાલીન દૃષ્ટાંતો નજર સામે લાવ્યા કરવા જોઈએ... જીવને આવા વિચારોથી ભાવિત કરવો જોઈએ. આ બધું છી...છી... સમજાવવા બરાબર છે. વારંવાર એ કરવાથી ત્યાજ્યતાનો બોધ જાણકારીના સ્તર પરથી સંવેદનાના સ્તર પર જાય છે. ચિત્તના ભિતરી સ્તરોમાં પણ આકર્ષણ છૂટીને ત્યાજ્યતા પ્રતીત થાય છે. આ પરિણતિ છે, આ નિશ્ચય છે.... આત્મહિત માટે આ નિશ્ચય... ને વ્યવહાર બંને આવશ્યક છે. હાથ ખેંચી લેવા રૂપ વ્યવહાર તત્કાળ વિષ્ઠાથી ખરડાવાનું ટાળે છે. ને છી... છી... આ સમજણ વિષ્ઠાની સૂગ ઊભી કરે છે. ત્યાગના નિયમરૂપ વ્યવહાર દુર્ગતિપાતને ટાળે છે. ને આ વિષયો ભારે નુકશાનકર્તા છે’ વગેરે ભાવના વિષયોની સૂગ રૂપ નિશ્ચય ઊભો કરે છે, જે વિષયોનું આકર્ષણ જ મિટાવી દે છે. ટી.વી.નો ત્યાગ ન કરે (વ્યવહા૨ ન આદરે) ને ટી.વી. ત્યાજ્ય છે, ટી.વી. ત્યાજ્ય છે... એવી કોરી નિશ્ચયની વાતો કર્યા કરે એ દુર્ગતિમાં પટકાવાનો છે... જ્યારે, કદાચ ‘ટી.વી. ત્યાજ્ય છે’ એવી પરિણતિ (નિશ્ચય) ન કેળવે, તો પણ ટી.વી.નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162