Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ (૧૧) અમારી અનંત અવતારની શોધખોળ !! સંપૂજ્ય શ્રી દાદાશ્રીને આ અક્રમ વિજ્ઞાન લાધ્યું ૧૯૫૮માં, એ એક્સિડન્ટલી નથી થયું, પણ એ ઈન્સીડન્ટલી જ છે ! ‘વ્યવસ્થિત’ જ છે, બટ નેચરલ ! વ્યવસ્થિતનાં જ્ઞાનની પૂર્વે જરૂર ન હતી. અત્યારે ભયંકર વિકલ્પીઓને માટે જ વિકલ્પ શમાવવા આ અપાયું છે, જરૂરી છે અત્યારે માટે. અક્રમ જ્ઞાન, ત્રણેય કાળ અવિરોધાભાસ છે. જ્યાંથી મેળવો ત્યાંથી તાળાં મળે જ ! નિરંતર સમાધિ ! સંસારમાં રહીને સમાધિ !! દાદાશ્રી કહે છે, “અમને પણ મોક્ષ મળતો હતો પણ અમે અટકાવ્યો આ વ્યવસ્થિતની શોધ માટે !” ‘અનંત અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે ?” આ અપૂર્વજ્ઞાન જડયું ને જગતને તે જ આપ્યું અમે ! આ કળિકાળમાં ઘડીવારે ય કળ ના વળે લોકોને. એવા કાળમાં આત્મજ્ઞાન આપે પણ તે ટકે કેવી રીતે ? તે “વ્યવસ્થિત’નું જ્ઞાન જડ્યું ત્યારે જ પૂજ્યશ્રીએ લોકોને અક્રમ જ્ઞાન આપવાનું શરુ કર્યું ! ત્યાં સુધી મૌન જ રહ્યા ! દાદાશ્રી કહે છે, ‘વ્યવસ્થિત’ કેવી રીતે છે એ અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એનો શબ્દથી વર્ણવા માટે અમારે “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' કહેવું પડયું. કારણ કે એના માટે બીજો ગુજરાતી શબ્દ જ નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન આપ્યાથી એટલાથી પતે એવું નથી આ કાળમાં. પાછું કર્તાપણું આવી જાય, વળી ગૃહસ્થિમાં રહીને નોકરી ધંધો કરતાં આત્મામાં રહેવાનું છે. ત્યાં આ વ્યવસ્થિતનું જ્ઞાન અકર્તાપદમાં નિરંતર રાખનારું છે, ને કર્મ બંધાયા સિવાય સંસાર પૂરો કરી એકાવતારી પદ પ્રાપ્ત કરી પહોંચાડે છે મોક્ષમાં ! આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન હોય. ‘દાદા ભગવાન' તો મારી અંદર પ્રગટ થયા છે, ચૌદલોકના નાથ તે છે ! ને તમારી અંદર પણ તે જ છે ! - જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 155