Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પીઠિકા-નિ ૩૨ થી ૩૫
અવધિજ્ઞાની એક હાથ ક્ષેત્ર જુએ ત્યારે કાળથી અંતર્મુહૂર્ત જુએ. કાળથી દિવસ કરતાં થોડું ઓછું જુએ ત્યારે અવધિજ્ઞાની ક્ષેત્રથી ગાઉ જુએ. જ્યારે એક યોજન શોમ જુઓ ત્યારે કાળથી બે થી નવ દિવસ સુધી જુએ. પક્ષથી થોડું ઓછું જુએ ત્યારે ક્ષેત્રથી ૫ચોજન જુએ.
ભરતોત્ર જુએ ત્યારે કાળથી પંદર દિવસ જુએ. જંબૂદ્વીપ ફોગ જુએ ત્યારે માસથી કંઈક અધિક જુએ. અઢીદ્વીપ અને બે સમુદ્ર મનુષ્ય ફોન જુએ ત્યારે કાળથી ૧-વર્ષ જુએ. તથા બે થી નવ વર્ષ જુએ ત્યારે રુચક નામના બાહ્ય દ્વીપના વિષયને
જુએ.
જેની સંખ્યા થાય સંખ્યય છે, તે સંવત્સર પ્રમાણ થાય, તુ શબ્દથી સંખ્યય હજાર ઉપરનો પણ થાય. તે સંખ્યાતા કાળમાં જેવું દેખાય તેવું વિધિ થાય, તેને ક્ષેત્રથી સંગાતા હીપ-સમુદ્રો દેખાય છે. ઉપ શબ્દથી મહાનું એક સંખ્યાતા યોજનનો દ્વીપ સમુદ્ર પણ હોય અથવા તેનો ભાગ પણ હોય તથા અસંખ્યાતો કાળ તે પલ્યોપમાદિ લક્ષણવાળાનું અવધિજ્ઞાન થાય. તેને ક્ષેત્રથી પણ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોના જ્ઞાનની ભજના જાણવી. કોઈ વખત અસંખ્યાતા હીપ-સમુદ્રનું અવધિજ્ઞાન થાય, કોઈને મોટી સંખ્યાતા હીપ-સમુદ્રોનું જ્ઞાન થાય. કોઈને એક દ્વીપસમુદ્રનું જ્ઞાન થાય, કોઈને સ્વયંભૂરમણ જેવા મહાનું સમુદ્રનો એક ભાગનું અવધિજ્ઞાન થાય. આ અવધિજ્ઞાન તીરછું જાણવું અથવા સ્વયંભૂરમણ વિષયનું તે મનુષ્યોત્રની બહાનું અવધિ છે તેમ જાણવું. એટલે અહીં અસંખ્યયનું પ્રમાણ લીધું તે યોજનની અપેક્ષાએ સર્વ પક્ષમાં જાણવું. - x • આ પ્રમાણે ક્ષેત્ર વૃદ્ધિ સાથે કાળ વૃદ્ધિ અનિયત છે અને કાળવૃદ્ધિએ ક્ષેત્રવૃદ્ધિ નિશ્ચયથી બતાવી છે.
હવે દ્વવ્યાદિ અપેક્ષાથી જેની વૃદ્ધિમાં બીજાની વૃદ્ધિ વિશે - • નિયુક્તિ-૩૬ :
કાળમાં ચાર પ્રકારની વૃદ્ધિ થાય, ક્ષેત્ર વૃદ્ધિમાં કાળની ભજના જાણવી. દ્રવ્ય-પાયિની વૃદ્ધિએ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી.
• વિવેચન-૩૬ :
અવધિજ્ઞાનની કાળમાં વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારેની વૃદ્ધિ થાય છે. આ સામાન્યથી કહ્યું. તેથી પણ કાળની ભજના ક્ષેત્રની વૃદ્ધિમાં જાણવી. તેથી ફોનની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ થાય પણ ખરી, ન પણ થાય. કેમકે ફોનનું સૂમપણું છે અને કાળનું શૂળપણું છે. દ્રવ્ય-પર્યાયો તો વધે છે. • X - X - દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા છતાં પણ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી. કેમકે દ્રવ્ય-પર્યાયો પરિસ્થલ હોવાથી અને ક્ષેત્ર, કાળ સૂમ હોવાથી ક્ષેત્રકાળ વધવાનું નક્કી નથી, પણ દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયોની વૃદ્ધિ અવશ્ય થાય છે. પરંતુ પર્યાયોની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના જાણવી. કેમકે દ્રવ્યથી પચયિો સૂક્ષમાણે છે. અકમવર્તીની પણ વૃદ્ધિનો સંભવ છે. તેથી પર્યાયની વૃદ્ધિ થાય તો પણ કાળવૃદ્ધિનો અભાવ છે.
પ્રિઝ જઘન્ય, મધ્યમ, ઉત્કટ ભેદ ભિન્ન અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર-કાળના [31/4
અંગુલ આવલિકાના અસંખ્યય ભાગથી ઉપલક્ષિત પરસ્પર પ્રદેશ અને સમય સંખ્યા પરિસ્થલ અને સૂમપણું છે છતાં કેટલાં ભાગથી હીનાધિકપણું છે ? તો કહે છે - જેનું વર્ણન કરવું છે તે આવલિકાના અસંખ્યાત ભાગ આદિ કાળથી અસંખ્યાતગણું ક્ષેત્ર છે, કઈ રીતે ?
• નિયુક્તિ-39 :
કાળ સુક્ષ્મ હોય છે, તેના કરતાં ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે. એક અંગુલ પ્રમાણ Iકાશ પ્રદેશની શ્રેણિમાં અસંખ્યાત અવસર્પિણી હોય છે.
• વિવેચન-3 :
સૂક્ષમ અને ગ્લણ કાળ છે. કેમકે તે સો કોમળ કમળપત્રને ભેદવામાં એક પત્ર ભેદાતા પણ અસંખ્યાતા સમય જાય છે. તે કાળથી પણ ક્ષેત્ર વધુ સૂક્ષ્મતર બતાવેલ છે. કેમકે સંગલ શ્રેણી માત્ર ક્ષેત્રમાં એક પ્રદેશે એક સમયની ગણતરી કરતાં અસંખ્યાતી અવસર્પિણી ગણાઈ જાય, એમ તીર્થકરોએ પ્રતિપાદિત કરેલ છે. કઈ રીતે? અંગત શ્રેણિ માસમાં પ્રદેશનું સ્થાન વિચારતા અસંખ્યય અવસર્પિણી શશિ પરિમાણ થાય.
આ પ્રમાણે જઘન્યાદિ ભેદભિન્ન અવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ બતાવ્યું. ફોનમાં રહેલ દ્રવ્ય વસ્તુ દેખાય યોગ્ય હોય તેને અવધિજ્ઞાની જુએ અને જાણે. માં દ્રવ્યાવધિત્વ હોવાથી પછી તુરંત જ અવધિજ્ઞાનને જાણવા યોગ્ય દ્રવ્યને કહે છે
• નિર્યુક્તિ-૩૮ :
તૈજસ અને ભાષા દ્વાના વચમાં અવધિજ્ઞાનનો પ્રસ્થાપક છે. તે ગુરુલઘુ અને અરવધુ દ્રવ્યને જોતો જ પતન પામે.
• વિવેચન-3૮ -
અવધિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદે છે. પહેલાં જઘન્ય અવધિને જાણવા યોગ્ય દ્રવ્યને બતાવે છે. તૈજસ અને ભાષા તેમના દ્રવ્યના વચલા આંતરાને જાણે. * * * અતિ મળે તે બેને અયોગ્ય અન્ય દ્રવ્યને તે અવધિજ્ઞાની છે. તે કોણ ? અવધિજ્ઞાનનો પ્રારંભક. તેનું વિશેષપણું કહે છે - ગુરુ તથા લઘુ અને અગુરુલઘુને જાણે. તેનો અર્થ એ કે - ગુરુલઘુના પર્યાયવાળું તથા અગુરુલઘુના પર્યાયવાળું દ્રવ્ય જાણે.
તેમાં તૈજસદ્રવ્યની સમીપમાં હોય તે ગુરુલઘુ છે અને જે ભાષા દ્રવ્યની સમીપમાં હોય તે અગુરુલઘુ છે. અવધિજ્ઞાની પડતો એવો ઉક્ત દ્રવ્યના દેખાવા વડે જ નિષ્ઠા - સમાતિને પામે છે. ઉપ શબ્દથી જાણવું કે પ્રતિપાતિ અવધિજ્ઞાન હોય તો જ તે ઘટે છે. પણ અવધિજ્ઞાન માત્ર પ્રતિપાતિ જ હોય તેમ ન જાણવું. શબ્દ નિશય અર્થમાં છે તેથી અવધિજ્ઞાનથી જ પડે, બાકીના જ્ઞાનોથી નહીં.
પ્રિ તે દ્રવ્ય કેટલાં પ્રદેશવાળું છે, જે તૈજસ ભાષા દ્રવ્યોના વયમાં રહેલ છે, અને જઘન્ય અવધિજ્ઞાનીને જાણવા યોગ્ય છે ? તે પરમાણુ ક્રમથી લઈને, દારિકાદિ વર્ગણા અનુક્રમે કહેવી જોઈએ, તે કહે છે -