________________
ચિત્રવિવરણ
. વૈમાનિક કે અંદર, જતિષ્ક મળે અને ભવનપતિ બહારને ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળે અને રત્નને બનાવેલા અંદરને ગઢ જાણે સાક્ષાત્ રહણગિરિ' હોય તેમ
લે છે. ઉનના કાંગરાવાળે અને સેનાને બનાવેલ મૃધ્ય ગઢ અનેક દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જે ઝાકી રહે છે. સૌથી બહારને ગઢ સેનાના કાંગરાવાળે અને રૂપાને બનેલા હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યો હોય એમ ભાસે છે.
આ પ્રતિમાંના ચિત્રપ્રસંગે જૂદી જૂદી પ્રતોમાં આલેખાએલા, હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકે મળતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાએલા હોય એમ લાગે છે.
Plate V ચિત્ર ૧૭ દેવાનંદા અને ચૌદ સ્વમ. ઈડરના સંઘને ભંડારની શેઠ આણંદજી મંગળની ... પિકીની તાડપત્રની કદંપસૂત્રની તારીખ વગરની પત્ર ૧૦ત્ની કુલ ચિત્ર ૩૩ વાળી પ્રતના પાના ૨ ઉપરથી આ ચિત્ર અત્રે રજૂ કરવામાં આવ્યું છે. પત્રનું કદ ૧૩૪૨ ઇંચ છે. તાડપત્રની તેમાં સુવર્ણની શાહીને ઉપગ પહેલવહેલો આ પ્રતનાં ચિત્રોમાં કર્યો હોય એમ લાગે છે, કારણકે આ પ્રત સિવાય “ગુજરાતની પ્રાચીન જૈનાશ્રિતકળાનાં ચિત્રો પૈકીની એક પણ પ્રતમાં સવની શાહીથી દોરેલાં ચિત્રો હજુ સુધી મળી આવ્યાં નથી.
આપ ઉપર ચિત્ર ૧૨ના “મહાવીર રચવનને લગતા પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર દેવલેકમાંથી ચ્યવને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિામાં ગર્ભ તરીકે આવ્યા.
તે રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણી ભર ઉધમાં ન હતી, તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનાર, મંગળમય અને સુંદર ચૌદ મહાસ્વમ જોયાં. તે આ પ્રમાણે
૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લકિમી (અભિષેક), ૫ પુષ્પમાળા૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ વિજ, ૯ પૂર્ણકુંભ-કલશ, ૧૦ પાસવર, ૧૧ ક્ષીરસમુદ્ર ૧૨ દેવવિમાન, ૧૩ રત્નને ઢગલે
અને ૧૪ નિમ અનિ:• ચિત્રમાં દેવાનદાએ ચાળી, ઉત્તરીય વસ્ત્ર-સાડી, ઉત્તરસંગ વગેરે વસ્ત્રો પરિધાન કરેલાં છે. શયામાં સુગંધીદાર ફેલે બિવેલ છે. તેણી તકીઆને અઢેલીને-ટેકે દઈને અર્ધ જાગૃત અને આ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલે છે, તેણીના માથે મુગુટ, કાનમાં કુંડલ, માથામાં આભૂષણ તથા તેણીના માથાની વેણી છૂટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. તેણીના પગ આગળ એક સ્ત્રી–નેકર સાદા પહેરવેશમાં તેણીના પગ દબાવતી હોય તેવી રીતે રજૂ કરેલી છે, પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપીઠ મૂકેલાં છે. તેણીને પલંગ સુવર્ણન છે. ચિત્રનું મૂળ કદ ૨૪૨
મે }
૧૦ વર -વીર-અમિતે રામ- ર- ગ-ન -
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪. पउमसर-सागर-विमाणभवण-रयणुरचय-सिहिच।
"Aho Shrut Gyanam"