________________
૨૪૩ વર્ષાવાસ રહેલા અટ્ટમભક્ત કરનારા ભિક્ષુને ચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણ વાર પેસવું ખપે.
૨૪૪ વષવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત્ વિકૃણભક્ત કરનાર ભિક્ષુને ગ્રેચરી માટે સર્વ સમજે છૂટ છે.
૨૪પ વર્ષાવાસ રહેલા નિત્ય ભિક્ષુને બધાં (પ્રકારનાં પાણી લેવાં ખપે.
૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે, ઉદિમ, સંવેદિમ, ચાઉદક.
૨૪૭ વર્ષોવાસ રહેલા છભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે તિલેદક, અથવા તુષોદક અથવા જેદક
૨૪૮ વર્ષાવાસ રહેલા અદ્રમભત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટ.
૨૪ વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણુવિકટ પાણી લેવું. ખપે, તે પણ ઢાણના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં.
ર૫૦ વર્ષોવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણે કપડાથી ગળેલું, નહીં ગળેલું નહીં, તે પણ પરિમિત માપસર, અપરિમિત નહીં, તે પણ જોઈએ તેટલું પૂરું, ઊણું ઓછું નહીં.
૨૫૧ વર્ષવાસ રહેલા, ગણેલી દક્તિ પ્રમાણે આહાર લેનારા ભિક્ષુને ભજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દક્તિઓ લેવી ખપે અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દિત્તિઓ લઈ શકાય અથવા ભજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કશું જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે ભિક્ષુએ તે દિવસે તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષુને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે અથવા ગૃહપતિના કુલમાં પેસવું ન ખપે.
૨૫૨ વર્ષોવાસ રહેલાં, નિષિદ્ધઘરનો ત્યાગ કરનારાંનિને કે નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે
"Aho Shrut Gyanam"