Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 462
________________ શ્રાવકને કરવાની અમુક પ્રકારની તપશ્ચર્યા” અર્થ છે. કેવલજ્ઞાનજે જ્ઞાન રસમસ્ત બ્રહ્માંડના જડ અને ચેતન તમામ ભાવોને જાણે, એ તમામ ભાવના પરિણામને પણ જાણે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન કેવલજ્ઞાન' જૈન પરિ ભાષામાં છે. મુલક-નાની ઉંમરે સાધુ. ફુલિકાનાની ઉમરની સાધ્વી. ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણધરતીર્થકરના મુખ્ય શિખ્ય વગેરે ગણનાયક-ગણતંત્ર એટલે પ્રજાસત્તાક રાજ્યના નેતાઓ–પ્રધાન પુરુષે ગણવછેદક-ગ૭ના વિકાસ માટે સાધુ ઓની મંડળીને બહાર લઈ જનારે અને તેને સંયમની દષ્ટિએ બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાને અભ્યાસ કરે અથવા ગણુ-મુનિ ગણ-ના વ્યવસ્થાપક આચાર્ય ગોત્રકમજુએ “આઠ કર્મશત્રુઓ) દેહાસન-ગાયને દેહતી વખતે ગોવાળ જેવું આસન કરીને બેસે તે આસન. ગંધહસ્તી-જેની ધથી બીજા સાધારણ હાથીઓ ભય પામે તે ઉત્તમ પ્રકારને હાથી ઉદસમ ભકત-એક સાથે ચૌદ ટંક સુધી કેઈપણ જાતના આહારના અને પાણીને ત્યાગ અથવા એકલા આહારને ત્યાગ. ભકત-એક સાથે ચાર ટૂંક સુધી કે ઈપણ જાતના આહારને અને પાને ત્યાગ અથવા એકલા આહારને ત્યાગ. ચવીને–વ્યવન-દેવ અને નારકના મરણને જૈન પરિભાષામાં “વન” કહેવાય છે અર્થાત્ “ચવવું” એટલે દેવ કે નારકનું મરણ. ચાઉલાદક-ચાવલનું પાણ અર્થાત્ જેમાં ખા ધોયા હોય તે છે. ચોદપૂર્વી-જેન પરંપરાનાં મૂળ-અંગ-શાસ્ત્રો બાર છે. તેમાં બારમાં શાસ્ત્રને દિવાક નામને એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વે આવે છે. પૂર્વે એટલે પૂર્વનાં-પહેલાનાં–ગ્રંથે. જેને એ ચદંપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન હોય તે પૂવ. છએ અગેના–વેદનાં છ અંગો છે. ૧ શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પકર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩ વ્યાકરણ ૪ જાતિષશાસ્ત્ર ૫ છંદશાસ્ત્ર ૬ નિરુત એટલે વ્યુત્પત્તિનું શાસ્ત્ર. ચિકિત્સા-રોગને ઉપચાર કરે-એસિડ વેસડ કરવાં, ભકત-એક સાથે છ ટકા સુધી કે ઈ પણ જાતના આહારનો અને પાણીનો ત્યાગ અથવા એકલા આહાર ત્યાગ. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468