Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 446
________________ ૨૩૨ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિર્ચથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીનો થયેલે હાથ સુકાય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર રહેવું ને ખપે. ર૩૩ વર્ષવાસ રહેલાં નિગ્રંથોને કે નિર્ચથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષા માટે જવાનું છે અને પાછા ફરવાનું ખપે. જ્યાં નદી સદાને સારુ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યો માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ન ખપે. એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પણ સ્થલમાં-પાણી બહાર-કરીને ચાલી શકાય એ રીતે અર્થાત એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાર્થી માટે જવાનું અને પાછા ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગ૩ સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું ન ખપે. ૨૩૪ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત? તું દેજે” તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ને અપે. ૨૩૫ વષવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! તું લેજે” તે તેમને એમ લેવાનું ખપે, તેમને પિતાને દેવાનું ને ખપે. ૨૩૬ વષવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! તું દેજે” “હે ભગવંત! તું લેજે” તે તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે. ૨૩૭ વર્ષાવાસ રહેલાં નિગ્રંથે કે નિથીએ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર આવી ને ખપે. તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, ૫ તેલ, ૬ ગોળ, છ મધ, ૮ મધ-દારુ, ૯ માંસ. ૨૩૮ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે “હે ભગવંત! માંદા માટે પ્રયોજન છે? અને તે બોલે-પ્રજન છે, પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રયોજન છે? અને દૂધ વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણું લીધા પછી તે બેલે–આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદે તેને જે પ્રમાણ-માપ–કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનંતિ કરે, અને વિનંતિ કરતે તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જયારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468