Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 428
________________ સુષમાં નામની અવસર્પિણ ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ બીજે પક્ષ એટલે શ્રાવણમાસને શુકલપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણશુદ્ધની આઠમના પક્ષે સંમેતલના શિખર ઉપર પોતાને સહિત ત્રીશમાં એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષ અને પોતે ચોત્રીશમા એવા પુરુષાદાનીય અરહંત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેરે વિશાખા નક્ષત્રનો રોગ થતાં બને હાથ લાંબો રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા ચાવતુ સર્વદુઃખોથી તદ્દન છૂટા થઈ ગયા. ૧૬૦ કાલધર્મને પામેલા યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયેલા પુરુષાદાનીય અરહત પાસને ચાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરોમાં વસના ત્રીશામાં વરસનો સમય જાય છે. અરહત અરિષ્ટનેમિ ૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. ૧૬૨ તે કાલે તે સમયે અરહુત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને ચોથે માસ, સામે પક્ષ અને કાર્તિકમહિનાને ૧૦ દિ ને સમય આવ્યો ત્યારે તે કાતિક વ૦ દિવ બારાના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વિપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સેરિયાપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગે થતો હતો એ સમયે--મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું. ૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણમહિનાનો શુદ્ધ પક્ષ આવ્યા તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, ચાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રને જેગ થતાં આરોગ્યવાળી માતાએ આરેગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપે. જન્મની હકીકતમાં પિતા તરીકે સમદ્રવિય” ના પાઠ સાથે ચાવતુ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું. ૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણસેં વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસવરચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાનો આચાર છે એવા "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468