Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ બેઉની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની છે. બાદર ત્રસકાયિક પર્યાપ્તની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ ૩૩ તેત્રીસ સાગરોપમની છે.
કાયસ્થિતિનું કથન વારે ii મતે ! વાચત્તિ જ સો વદર' હો, હે ભગવન બાદર જીવ બાદર અવસ્થામાં કેટલા કાળ પર્યન્તર રહે છે અર્થાત્ બાદરકાયિકની કાયસ્થિતિ કેટલા કાળની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जं कालं असंखेज्जाओ उस्सप्पि
બોસfuીયો વાઢો ત્તવો અંકુરાસ અલંન્નકુમાર હે ગૌતમ ! બાદર કાયિક બાદરકાયિક અવસ્થામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણીયે સમાપ્ત થઈ જાય છે. અને આગળના અસંખ્યાતમાં ભાગ પ્રદેશમાં જેટલા આકાશ પ્રદેશ રહે છે. એ પ્રદેશથી એ આંગળના અસંખ્યાતમાં ભાગ સ્થાનને ખાલી કરવામાં જેટલો સમય લાગે છે. એટલા કાળ સુધી રહે છે. બાદર પૃથ્વી કાયિક, બાદર અકાયિક બાદર તેજસ્કાયિક અને બાદર વાયુકાયિક વિગેરેના સૂત્રોમાં બાદર પૃથ્વીકાયિકનું જે સૂત્ર છે તેમાં બાદર પૃથ્વીકાચિકની કાય સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી ૭૦ સિતેર સાગરપમ કેટી કેટીની છે. આ જ પ્રમાણેની કાયસ્થિતિ બાદર અષ્કાયિક, બાદર તેજસ્કાયિક, અને બાદર વાયુકાયિક જીવની પણ છે. સામાન્ય બાદર વનસ્પતિ કાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીને સમાવેશ થઈ જાય છે. તથા આંગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ છે. એ પ્રદેશને એક એક સમયમાં એક એક પ્રદેશ ત્યાંથી ખાલી કરવામાં જેટલે કાળ પૂરેપૂરા ખાલી કરવામાં લાગે છે. એટલા કાળમાં તે સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ આંગળના અસંખ્યાત માં ભાગ પ્રદેશ
જીવાભિગમસૂત્ર
૩૬૪