Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj Author(s): Rajendrasuri Publisher: Rajendrasuri View full book textPage 6
________________ આ વાત કરોડો વર્ષોથી લખાયેલી છે. સૂર્યાસ્ત પહેલાં જમી લેવું, રાત્રિભોજન કરવું નહિ. જૈન દર્શન ખરેખર કેટલું બધું સાયન્ટિક્કિ છે. રાત્રિભોજનના ત્યાગમાં અનેક મહાન લાભો રહેલા છે. રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે, તેમ શરીરની પણ સુરક્ષા છે. તેનો ત્યાગ શરીરને રોગોથી બચાવી નિરોગી રાખવામાં મોટો ફાળો આપે છે. મનને સ્વસ્થ રાખે છે. ઉત્તમ પશુ-પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણે, તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. કબૂતર, ચકલા, કાગડા, પોપટ વગેરે પક્ષીઓપ્રાણીઓ પણ રાત્રે ખાતાં નથી તો પછી સમજુ ધર્મી મનુષ્ય માટે તો પૂછવું જ શું? પશ્ચિમની નકલ કરવામાં આપણી જાતને આધુનિક-ફોરવર્ડ બનાવવામાં આપણે અમૂલ્ય સંસ્કૃતિ અને સંસ્કારનો નાશ કરીએ છીએ. કંદમૂળ-અભક્ષ્ય ખાન-પાન તો રાત્રિભોજનની જેમ ઘરઘરની સામાન્ય કહાની બની ગઈ છે, પરંતુ હવે આગળ વધીને ઈંડા (EGGS), નશીલા કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ ખૂબ જ ઝડપથી ઘરોમાં પ્રવેશી રહ્યો છે, એટલું જ નહિ તે આધુનિકતાના લક્ષણો તરીકે મનાવવા માંડ્યો છે. ગર્ભપાત (પંચેન્દ્રિય જીવની ક્રૂર હત્યા) પણ પશ્ચિમના ઝેરી પવનમાં સામાન્ય બનવા (૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50