Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 49
________________ તો અનાજનો હાથે દળેલો આટો (થૂલાવાળા આટો) કઠોળ, લીલાં શાકભાજી તેમજ ફ્ળો,દૂધ વગેરેનો ઉપયોગ કરો. ચરબીયુક્ત પદાર્થો ઈંડા, માંસ-મચ્છી તેમજ ગળ્યાં પદાર્થોનો ત્યાગ કરો. બટાટાની વેફ્ટ તેમજ ખારી બિસ્કીટમાં “બુટિલેટેડ હાઈડ્રોએક્સિટોલ્યુન”વાપરવામાં આવે છે. જેનાથી સ્કીન ડીસીઝ થાય છે. નાના બાળકોને મગજમાં જ્ઞાનતંતુઓ પર અસર થાય છે. ફ્લો, દૂધનો પાવડર વગેરેમાં કૃત્રિમ રંગ વપરાય છે. ઈન્સ્ટન્ટ કોફીમાં પણ આ રંગ આવે છે. જે ડામરમાંથી બને છે. બોટલમાં મળતાં અથાણાંમાં નાઈટ્રાઈટસ નામનું રસાયણ વપરાય છે. જે લીવર તેમજ કીડની બગાડે છે. ફાસ્ટફુડ પ્રોસેસમાં બુટિલેટેડ, હાઈડ્રોક્સી એનીસોલ, મોનો સોડીયમ, ગ્લુટામેટ, એન્ટોઈઓક્સીડન્ટ, સોડિયમ પ્રોપર્નેટ, સોડિયમ નાઈટ્રેટ વગેરે સ્વાસ્થ્ય માટે ખતરનાક રસાયણો પૂરવાર થયા છે. સોફ્ટ ડ્રીંકસ, હોટ ડોગ, જેલી, જામ વગેરે ખાધ પદાર્થોમાં અમારન્થથીનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બાળકો ખોડ-ખાંપણવાળા જન્મે છે. અમેરિકાના સુપ્રસિદ્ધ ડાઁ.ડેવિડ ખૂબ જ દુઃખ સાથે કહે છે કે તમને કચરા જેવો ખોરાક આપવામાં આવે છે. જેને તમે આધુનિક ભોજનના નામે ઓળખી રહ્યાં છો. જે તમારા સંતાનોના અસ્તિત્વ સામે વિનાશક બને છે. વિવેક પૂર્વકનો સાત્ત્વિક ખોરાક સૌની રક્ષા કરશે. Jain Education International (૪૮) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50