Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 27
________________ ઉત્પન્ન થયાં હોય છે. આવાંપાઉને ખાવાથી ચોથી હિંસા. તેના રોગીષ્ટ જંતુ પેટમાં જવાથી બિમારીના ભોગ બનવું પડે છે. અને એલોપેથિક દવાઓ દ્વારા પેટના જંતુઓનો નાશ કરવો તે પાંચમી હિંસા. આ રીતે હિંસાની પરંપરાથી આત્માને બચાવવો હોય તો બ્રેડ ખવાય નહિ. જીવનભર ત્યાગો. નવા રોગોથી સો બચો. જ્યારે ત્યારે ખવાય નહિ, અભૂખે, અકાળે ખવાય નહિ. પ્રકૃતિથી વિરૂધ્ધ ભોજન કરાય નહિ. જે ખાવાપીવાથી શરીર બગડે નહિ, મન બગડે નહિ, સમાધિ બગડે નહિ, તેવી આહારશુદ્ધિ ઉપર સૌએ ધ્યાન આપવાની આજના કાળે તાતી જરૂર છે. બહારની વસ્તુઓની બનાવટ ઘણાં દોષવાળી હોય. છે. જેમાં જેવી જોઈએ તેવી આરોગ્યની કાળજીનું લક્ષ્ય રાખવામાં આવતું નથી. પરિણામે રોગો વધતાં જાય છે. આરોગ્ય કથળતું જાય છે. આજકાલ કેવળ હલકી વસ્તુઓમાંથી પૈસા કમાવાનું ધ્યાન પ્રધાન બની ગયું છે. ભેળસેળ અને વસ્તુની ગુણવત્તાનું ધોરણ રહ્યું નથી. આચડ-કૂચડ ખાવાથી રોગ વધ્યા છે. દવાઓ કરવા જતાં રીએક્શન વધ્યાં છે. હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. માટે પહેલેથી જ જાગો. ડોક્ટરોના ખર્ચાદવાઓના ખર્ચા પોષાય એવા નથી. રોગ ન આવે તેવી કાળજી રાખો. (૨૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50