Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 35
________________ (૨૨) સૌંદર્ય પ્રસાધનો : લિપસ્ટીક, આઈબ્રો, શેમ્પુમાં જનાવરોના હાડકાંનો ભૂકો, લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલા-વાંદરા-ઉંદર ઉપર તે પદાર્થોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય જનાવરો મરી જાય છે. અંધ બની જાય છે. મેકઅપમાં શરીરના સુશોભન માટે સ્ત્રીઓ અને પુરૂષો તેનો ભરપૂર ઉપયોગ કરે છે, એનો દરેક અહિંસા પ્રેમીએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આજથી જ પ્રતિજ્ઞા કરી હિંસક પદાર્થોનો જીવનભર ત્યાગ કરો. જીવનને દયામય બનાવો. શાંતિથી જીવો અને શાંતિથી સૌને જીવવા દો આ પ્રભુનું મંગળ વચન પાળે તે સુખી થાય. પ્રાણિજ પદાર્થોનો ત્યાગ કરો : એસ્ટ્રોજન ઃ ઘોડીઓને રાતત બાંધેલી, ગાભણી રાખી તેના મૂત્રમાંથી તથા કતલ કરેલા જનાવરની ગ્રંથિમાંથી મળે છે. ઉપયોગ : દવા અને સૌંદર્ય માટે. ઓલિયેટસ : જનાવરમાંથી મેળવે છે. ક્રીમ, સૌંદર્ય માટે. ઈંસીંગ્લાસ : માછલીમાંથી મેળવે છે. જેલી, સરેસ અને સૌંદર્ય અને આલ્કોહોલિક પીણાં અને તેલને પાતળું કરવા માટે. કસ્ટર્ડ પાવડર : ઈંડાના મિશ્રણથી બને છે. પુડિંગ, આઈસ્ક્રીમ, બાસુંદી, ફ્રુટ સલાડ વગેરે માટે (૩૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50