________________
નથી. ક્યારે ખાવું? ક્યાં ખાવું? કેવું ખાવું? કોઈ નિયમ નથી. ખાવા-પીવો અને જલસા કરો એ જ મંત્ર બની ગયો છે ! જ્યારે છેલ્લા સ્ટેજમાં રોગ આક્રમણ કરે છે, માત્ર બે આંખો ટગ-ટગે છે. મોત સામે દેખાય છે, ત્યારે જ સ્વાથ્યની કિંમત સમજાય છે....!
આહારને શરીર તેમજ મન સાથે સંબંધ છે. તેથી આહારનું મહત્ત્વ ઘણું છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન” આ ઉક્તિ ખરેખર યોગ્ય છે. શુદ્ધ (સાત્વિક) આહાર લેવાથી શરીર શુદ્ધ એટલે કે શરીર-સ્વાથ્ય સારું જળવાય છે અને શરીર સ્વાથ્ય સુંદર હોય તો મન પણ સુંદર રહે છે. મનમાં સારા વિચારો આવે છે. મન પવિત્ર રહે છે. આયુર્વેદમાં આહારને (યોગ્ય આહારને) ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલ છે.
આપણે જેને પશુ કહીએ છીએ... (જેને આપણે તદન નિમ્ન કોટિનાં ગણીએ છીએ) તે પશુ પણ સૌ પ્રથમ વસ્તુ સૂંઘે છે. તપાસે છે ! પછી પોતાને યોગ્ય લાગે તો જ તેનું ભક્ષણ કરે છે !! જ્યારે મનુષ્ય સૌથી વધુ બુદ્ધિશાળી હોવા છતાં વિવેક-બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના આડેધડ ખાધે જ રાખે છે !!!
બાળકો માટે ઝટપટ બનાવી દેવામાં આવતા નૂડલ્સ, ગુલાબજાંબુ વગેરેના ટીન પેકેટ શરબતના પેકેટ, મિલ્ક પાડવર, બ્રેડ, ચીઝ, ટોસ્ટ જામ વગેરે ખાધ સામગ્રી બનાવવામાં “એડિટિસ” વપરાય છે. જે કૃત્રિમ રંગ, ગંધ, સ્વાદ, આકાર વગેરે જાળવી રાખવામાં મદદ કરે છે.
(૪૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org