Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 44
________________ | સ્વાથ્ય માટે જોખમરૂપ તૈયાર ખોરાક | આજકાલ શુદ્ધ સાત્ત્વિક આહારને તિલાંજલી આપી દઈને તેની જગ્યાએ ફાસ્ટફ્સ, ઈન્સ્ટન્ટક્ક પેકેટમાંથી બનાવવામાં આવેલ (સ્વાથ્ય માટે ખતરનાક) ખોરાક પ્રોસેસ તેમજ રીફાઈન્ડ આહાર મેંદો વગેરેમાંથી બનાવવામાં આવતા બ્રેડ-બિસ્કીટ, ડબ્બા કે ટીન પેકેટમાંથી આવતી બનાવટો, ચોકલેટ, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ખાંડ અને મીઠાવાળા પદાર્થો બજારમાં મળતાં તીખાં-તળેલાં ચટાકેદાર પદાર્થો વગેરેનો આડેધડ ઉપયોગ શરૂ કરીને સૌથી વધુ બુદ્ધિશાળી ગણાતાં માનવે પોતાના શરીરને રોગોત્પાદક ફેક્ટરીમાં ટ્રાન્સફ્ટ કરી નાંખ્યું છે !!! મેડીકલ લાઈન કમાવા માટે જાણે શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે. રોજ નવી નવી મેડિસિન્સ બજારમાં ઉમેરાતી રહે છે. મોટા શહેરોમાં તો બસ જ્યાં જુઓ ત્યાં ડોક્ટરો, હોસ્પિટલો, નર્સિંગહોમ, પ્રસૂતિગૃહ વગેરેનાં લકટતાં પાટિયાં જ જોવા મળે છે. અસંખ્ય દવાઓ બજારમાં છે. છતાં નવી દવાઓ, નવી ફાર્મસી, લેબોરેટરીઝ વગેરેનો સતત વધારો ચાલુ જ રહે છે. રોગો વધતાં જાય છે. જે ત બહારનું આચડ-કુચડ ખાવાનું પરિણામ છે. જે તે ખાવાના કારણે માણસ આજે સ્વાથ્ય પ્રત્યે સૌથી Jવધુ બેદરકાર બની રહ્યો છે. પોતે જ પોતાના પગ પર કુહાડો મારી રહ્યો છે. અને એનું જ આ પરિણામ છે. | ખાવું... ખાવું.... અને ખાવું.... આ સિવાય બીજી વાતો (૪૩) - --- - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50