Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 28
________________ ઘરમાં બનેલું તાજું-શુદ્ધ દિવસ દરમ્યાન જમી લેવું તમાં જ જીવનની આબાદી છે, નહિ તો આપણી ભૂલના પરિણામે રોગોથી રીબાઈને દવાઓના ખર્ચાથી જીવનમાં ઊંચા અવાશે નહિ. સૌ રવિવારની હોટલ છોડો. સજ્જન માણસને એક ઈશારો કાફી છે. આજે ઘર માટે બહારથી લાવવામાં આવતા ટીનપેક ડબ્બાઓ વિગેરે પદાર્થોમાં કેટકેટલા ઝેરો પ્રવેશ પામી ગયા છે તે માટે સૌ જાગ્રત બનો, અન્યથા આરોગ્ય દુષ્કર અને મોત સરળ બનશે. આધુનિકતાએ આપેલા રાસાયણિક ખાતરને કારણે રોગો વધતા જાય છે. જીવન પીડામય બની રહ્યું છે. ઘરમાં આવતાં અનાજ-શાકભાજી-દૂધ-તૈયાર ઉપલબ્ધ ખોરાકી પદાર્થોમાં દવા-રસાયણિક ખાતર-પ્રિઝર્વેટિવભેળસેળિયા પદાર્થો મસાલા-રંગો વિ. પુષ્કળ વપરાય છે. આ બધા આરોગ્ય માટે ડેન્જરસ છે. ઈંગ્લેંડ-અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં દવાઓ-રસાયણોના નુકશાનથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે ખાનારને કાયમી આડઅસરો થાય છે. વિવિધ રસાયણો યુક્ત ખોરાકથી કીડનીના રોગો, નપુંસકતા, પાકિન્સોનીઝમ, આંખના રોગો, ચામડીના રોગ, એલર્જી, અસ્થમા, માનસિક રોગો હતાશા-નિરાશા-ડીપ્રેશન વાઈકેન્સર જેવા રોગો ઉભવે છે. આવું બધું અનેક (૨૭). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50