Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 31
________________ જીવનભર ત્યાગ કરવા જેવી વસ્તુઓ (૧) જીલેટીન : પ્રાણીઓનાં હાડકાનો પાવડર છે, જેનો ઉપયોગ જેલી, આઈસ્ક્રીમ, પિપરમેન્ટ, ચ્યુઇંગ ગમ, ટૂથપેસ્ટ વગેરેમાં થાય છે. શાકાહારી વર્ગો ત્યાગ કરવો. (૨) જાજાસ : રંગબેરંગી, રબ્બર જેવી નરમ અને સાકર લગાડેલી પીપર. તે જીલેટીનના મિશ્રણથી નરમ બને છે, જે ખાવા જેવી નથી. દેરાસરમાં કોઈપણ પીપર નૈવેધ તરીકે ચડાવાય નહીં. ખડી સાકર ચડાવો. (૩) એકસ્ટ્રા સ્ટ્રોંગ સફેદ પીપરમેન્ટ : જીલેટીનનું મિશ્રણ, બોર્ન=હાડકાંના પાવડરનું મિશ્રણ તેમાં વપરાયું હોય છે. (૪) જેલી ક્રીસ્ટલ ઃ તેમાં જીલેટીન આવે છે. : : (૫) સેન્ડવીચ સ્પ્રેડ તથા મેયોનીઝઃ તેમાં ઈંડાનો રસ મિક્સ કરાય છે અને બ્રેડ ઉપર લગાડીને ખાવામાં તેનો ઉપયોગ કરાય છે. બ્રેડપાઉંમાં અભક્ષ્ય મેંદો, ધનેરાઈયળનો નાશ, આથો લાવતાં ત્રસજીવોનો અગ્નિમાં નાશ, પાણીનાં અંશથી વાસી રહેતાં કરોડો (લાળીયા/ બેક્ટેરીયા) જીવો ઉપજે છે. તેથી અભક્ષ્ય અને સચિત્ત છે. (૬) બટર : માખણમાં અસંખ્ય ત્રસ જંતુ છે જે વિકાર અને રોગ કરે છે. કેક, બિસ્કીટ, સેન્ડવીચમાં લગાડવામાં Jain Education International (૩૦) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50