Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 26
________________ નરમપૂરી-શીરો-ઢોંકળા-માવો-બાસુંદી-શ્રીખંડ - ચક્કો વિ.માં અગણિત ત્રસજીવોની હિંસા તથા શરીરમાં રોગ વિકૃતિ કરે. ડ પોઈઝનથી ઝાડા-ઉલ્ટી મરણ નીપજે. પાઉં-છેડ-બટર કેમ ન ખવાય ? પાઉં મેંદામાંથી બને છે. મેંદો ઘઉંમાંથી તૈયાર થાય છે. ફ્લોર મીલમાં સ્ટોરેજ કરેલ ૨-૪ માસની ઘઉંની ગુણીઓ ખોલવામાં આવે તો અગણિત ધનેરા પડેલા જોવા મળે છે. તેને ગરમ પાણીમાં નાંખતા કે ઘંટીમાં નાખતા જીવો પીસાઈને મરે છે તે પહેલી હિંસા. ભીના ઘઉંને ડ્રાય કરીને દળતાં ઝીણો લોટ-મેંદો ગુણીઓમાં પેક થાય છે. ક્યારે લોટ દળાયો છે તેની તારીખ લખાતી નથી. દિવસો મહિના સુધી પડી રહેલા મેંદાનો લોટ ખાવા લાયક રહેતો નથી. અગણિત ઈયળો. વગેરે જીવો પડે છે. આવો મેંદો બેકરીવાળા વેચાતો લે છે. આથા માટે ખાટો પદાર્થ નાંખતા અગણિત જીવો મરે , છે. આ બીજી હિંસા, બોળો નાખ્યા પછી આથો ઉભરો આવતો જાય જેમાં સ-ફૂગ પણ આવે છે. તથા ચલિત રસ એટલે નવા બસજીવો ઉદ્ભવે છે. જેને અગ્નિના ઓવનમાં પકવવા મૂકતા અગણિત ત્રસ જીવો નાશ પામે છે. આ ત્રીજી હિંસા. થોડો પાણીનો ભાગ રહેતાં પાઉં બહાર કાઢી લેવામાં આવે છે. રાત્રિ પસાર થતાં સવારે તે (વાસી) પાઉંમાં અનેક બેક્ટરિયા જંતુઓ બસજીવો (૨૫) Jain Education International Tonal For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50