Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 17
________________ સમૂહ રાત્રિભોજન બંધ કરવા સંઘશાહી ઠરાવ કરવાનો નમૂનો અમારો શ્રી ........... ..................સંઘ આજના મંગલ દિવસે તારીખ ............................ સમૂહ રાત્રિભોજન બંધ અંગે નીચે મુજબનો ઠરાવ કરે છે. (૧) પૂજ્ય ગુરુભગવંતો દ્વારા ચલાવવામાં આવી રહેલા સામૂહિક રાત્રિભોજન બંધ અભિયાનને અમારા શ્રી સંઘનો પૂરેપૂરો ટેકો છે. આપણા સંઘમાં ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યોએ નીચે મુજબનો નિર્ણય કર્યો છે. (૨) સંઘની કારોબારી કમિટીએ આજે ઠરાવ કર્યો છે કે સમૂહ રાત્રિભોજન થાય તેવા કોઈપણ પ્રસંગો વ્યક્તિગત કે સમૂહ લેવલે યોજવા નહિ. (૩) સંઘના દરેક સભ્યને વિનંતી કરવામાં આવે છે કે રાત્રિભોજન મહાપાપ છે. નરકનું પ્રથમ દ્વાર છે. એમ ગુરુ ભગવંતોની પ્રેરણાને પામી સામૂહિક રાત્રિભોજન થાય એવા કોઈપણ લગ્નાદિ પ્રસંગો ગોઠવવા નહિ. (૪) સંઘના દરેક સભ્યો આ નિયમનું પાલન કરે તેની અમે તકેદારી રાખીશું. કોઈને ત્યાં આવા પ્રસંગોમાં સામૂહિક રાત્રિભોજન યોજેલ હોય તેવા લગ્નાદિ પ્રસંગ નિમિત્તે યોજેલ પૂજા-પૂજનાદિ માટે પણ સંઘના સ્થાનોની સંમતિ આપવામાં નહિ આવે. સંઘના સ્થાનમાં પણ રાત્રિભોજન થવા દેવું નહિ. (૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50