Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 9
________________ વ્યક્તિઓના સામુહિક પાપની ટીલી તેઓએ પોતાના શિરે-લલાટે ન લેવી જોઈએ. પાપથી બચાવવાની જગ્યાએ સમૂહને પાપમાં જોડવાથી આયોજક અને દાતાઓ કર્મથી ભારે બને છે. પાપ કરે-કરાવે કે અનુમોદે તે સર્વે દુઃખના ભાગી બને છે. જેન શતદને લજવાવું પડે છે ! વધુ દુઃખ અને આઘાતની વાત ત્યારે બને છે જ્યારે સંસ્થાના નામ આગળ જૈન શબ્દ લગાડેલો હોય અને આવા ધર્મ કે સંસ્કૃતિ-આચાર વિરૂદ્ધના પાપવાળા કાર્યક્રમો આ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા યોજાય ત્યારે જેન શબ્દને લજવાવું પડે છે. ઘણી વાર પર્વતિથિઓ પણ આ કાર્યક્રમોમાં વિસરાઈ જાય છે. માટે જવાબદાર વ્યક્તિઓએ સાવધાન બની અરિહંત પરમાત્માની આજ્ઞાને બાધ ન આવે તેવા શુદ્ધ ભોજન, ખાન-પાન અને કાર્યક્રમો દિવસનાં યોજાય તેવા શુભ પ્રયત્નો કરવા જોઈએ. કોઈને પણ રાત્રિભોજન કે અભક્ષ્ય ખાન-પાન ન કરવું પડે. આપણાં પૂર્વજોએ સાચવેલી પવિત્ર જૈનાચારની મર્યાદા પાળવામાં સ્વ-પર સૌનું હિત અને કલ્યાણ છે. જેના શબદનો દુરપયોગ ..... વિવિધ વાનગી સાથે જૈન શબ્દનો ધંધાકીય, ઉપયોગ નુકશાનકારી છે. જેમ કે જૈન પાઉંભાજી, જૈન આઈસ્ક્રીમ, જૈન સમોસા, જેન ઊંધીયું, જેન સેન્ડવીચ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50