________________
અથ આચારોપનિષદ્ અને (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સામાચારી જિનેશ્વર ભગવંતોએ કહી છે, કે જેને સમ્યફ રીતે આચરીને અનંત જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. || 9 ||
માટે સામાચારીના સમ્યફ પાલન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ જ રીતે સાધુપણાનો સારી રીતે નિર્વાહ થઈ શકે છે. || ૭ ||
તેથી સામાચારીના સ્વરૂપને સમ્યફ રીતે જાણવું જોઈએ. કારણ કે જે તેને જાણતો નથી, તે તેને આચરવા માટે સમર્થ થતો નથી. || ૮ |
શાશ્વત પ્રશસ્ત સુખનો ભોગવટો આપનારા, પરમ પદને આપનારા અમોઘ યોગ, સિદ્ધિનારીને વશ કરવા માટે અજોડ કાર્પણ.. એવા આ સામાચારીના સ્વરૂપને જ એકાગ્ર ચિત્તથી સાંભળો. || ૯ ||