________________
પરિશિષ્ટ
४९ કરતા અનેકગણા ઉપયોગી ગ્રંથોનો અભ્યાસ અભરાઈએ ચડી જાય, એવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં આ દાર્શનિક અભ્યાસ ન કહી શકાય. કારણ કે એ ગ્રંથોમાં છ દર્શનના નામ પણ જાણી શકાતા નથી. વર્તમાન પદ્ધતિમાં એટલો ફેરફાર કરવો આવશ્યક લાગે છે, કે અત્રે પ્રસ્તુત કરેલ સૂચિમાં જ્યાં નબન્યાયનો ક્રમાંક આવે છે, તેની પૂર્વના ગ્રંથોના અભ્યાસ બાદ જ નબન્યાયઅનુમાનખંડનો અભ્યાસ તેના જિજ્ઞાસુઓ કરે. પ્રાચીનન્યાયનો અભ્યાસ પ્રાચીન શાસ્ત્રોના અધ્યયન માટે પૂરતો છે. તેમાં નવ્ય ન્યાયની કોઈ આવશ્યકતા નથી.