Page #1
--------------------------------------------------------------------------
________________
आचारोपनिषद
©.
.. आ. कल्याणबोधिसूरि म.सा...90.00
AACHAROPANISHAD
OPO The basic behaviour of Jain Saints. OO
Page #2
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસદ્ગુરુભ્યો નમ: શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું-૭૬
दशविधसामाचारीरहस्यप्रतिपादिका नवनिर्मितसंस्कृतप्रकरणरूपा
आचारोपनिषद
नूतनसंस्कृतप्रकरणसर्जनम्+गुर्जरभाषानुवादः+सम्पादनम् प्राचीनश्रुतोद्धारक प.पू. आचार्यदेव-श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराणां शिष्या
आचार्यविजयकल्याणबोधिसूरीश्वराः
प्रकाशक
श्री जिनशासन आराधना ट्रस्ट
Page #3
--------------------------------------------------------------------------
________________
કૃતિ કૃતિકાર
વિષય
મુખ્ય આધાર ગ્રંથો
વિશેષતા
: આચારોપનિષદ્ (સંસ્કૃત, ૧૦૦ શ્લોક પ્રમાણ) : પ્રાચીન આગમ-શાસ્રોદ્વારક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી
મહારાજ.
: દશ પ્રકારની સામાચારી
: સામાચારી પ્રકરણ, પંચાશક, આવશ્યકનિર્યુક્તિ, લોકપ્રકાશ.
: સુગમ શૈલીમાં પ્રત્યેક સામાચારી પર ૯-૯ શ્લોકોનું નવસર્જન, સ૨ળ ગુજરાતી અનુવાદ સાથે . સહેલાઈથી કંઠસ્થ થઈ શકે તેવો પદ્યબંધ. સામાચારીના સમ્યક્ પાલન અને પરિણતિ કેળવવા માટે એક સુંદર આલંબન.
પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા.
વિ. સં. ૨૦૬૮ ૦ પ્રતિ : ૫૦૦ ૦ આવૃત્તિ : પ્રથમ૰ મૂલ્ય : રૂા. ૧૧૦. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થે મૂલ્ય ચૂકવીને માલિકી
કરવી.
પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
E-mail : jinshasan_108@yahoo.com
© શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf.
Note: Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting up on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957.
મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
OTA
CSCN
चरमतीर्थपतिः करुणासागरः श्रीमहावीरस्वामी
KHILJIDIOIDIO1000IOIRTUNT
अनन्तलब्धिनिधानः श्रीगौतमस्वामी
Page #5
--------------------------------------------------------------------------
________________
पञ्चमगणधरः श्रीसुधर्मास्वामी
કૃપા વરસે અનરાધાર
સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ
શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય
વેરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #6
--------------------------------------------------------------------------
________________
DU -
(સુકૃત સહયોગી)
શ્રી મરીન ડ્રાઈવ જેન આરાધક મંડળ
મુંબઈ અનુમોદના... અભિનંદન... ધન્યવાદ
જ્ઞાનનિધિના સર્વિનિયોગ બદલ શ્રીસંઘ તથા ટ્રસ્ટીઓની ભૂરિ ભૂરિ અનુમોદના
પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઇ-૪૦OO૮૦. ફોન : ૨પ૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૯૯૦૯૪ ૬૮૫૭૨ અમદાવાદ : શ્રી બાબુભાઈ સરમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩
Page #7
--------------------------------------------------------------------------
________________
Pococomocococomo * आचारः प्रथमो धर्मः Bఅలలు అడి
વિ.સં. ૨૦૬૭... ફાગણ મહિનામાં અંધેરી - ઈર્લા મુકામે સામુદાયિક મિલન થયું. પ.પૂ. ગચ્છાધિપતિશ્રી આદિ સાત-સાત આચાર્ય ભગવંતો... લગભગ સવા સો જેટલા શ્રમણ ભગવંતો... સ્વાધ્યાય, ભક્તિ, વાચના, પરિષદ્ આદિથી તરબતર એ અવિસ્મરણીય ક્ષણોમાંથી પસાર થવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
પરિષદોમાં થયેલી અનેક વિચારણાઓ અને નિર્ણયોમાંથી એક વાત આ હતી. વ્યવહારિક અભ્યાસમાં SSC સુધી બધાને એક જ અભ્યાસક્રમ હોય છે. ધોરણ ૧૧ થી (કે ક્યાંક ધોરણ ૧૨ પછી) જ વિદ્યાર્થી પોતાને મનપસંદ વિષય લઈ શકે છે. તેમ આપણે ત્યાં પણ જે શ્રમણ (૧) અધ્યાત્મ, (૨) વૈરાગ્ય અને (૩) આચારના ક્ષેત્રમાં ‘સોલિડ’ કક્ષાને પ્રાપ્ત કરી લે, તે જ શ્રમણ પોતાને ઈષ્ટ એવા જ્યોતિષ આદિ વિષયોમાં પોતાના ગુરુદેવની આજ્ઞાપૂર્વક આગળ વધી શકે.
કેટલી માર્મિક વાત ! હજુ ચિંતન કરીએ તો એમ લાગે છે, કે આચારના સુરક્ષાકવચ વિના અધ્યાત્મ અને વૈરાગ્ય ટકી શકે, એવી શક્યતા લગભગ નથી. અરે, આચાર વિનાની અધ્યાત્મ-વૈરાગ્યની વાતો પણ પ્રાયઃ દંભમાત્ર બની જાય છે. માટે સૌ પ્રથમ આવશ્યકતા છે આચારમાં સુસ્થિત થવાની.
- પ્રસ્તુત પ્રબંધનો પણ આ જ વિષય છે - સામાચારી. દર ચૌદશે અતિચારમાં દરેક સંયમી ભગવંતો બોલે છે - “ઈચ્છા-મિચ્છાદિક દેશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહીં.’ પણ આ દશ સામાચારીના નામ ક્યાં ? તેમનું સ્વરૂપ શું? ઈત્યાદિ જ્ઞાન બહુ થોડાને હોય છે. આનું નિરૂપણ કરનારા આગમાદિ ગ્રંથોનો અભ્યાસ કદાચ સંયમ ગ્રહણના વર્ષો પછી શક્ય બનતો હોય છે. તો કેટલાક મહાત્માઓ તથાવિધ ક્ષયોપશમનો અભાવ આદિ કારણોથી તેના અભ્યાસથી વંચિત જ રહે છે. આ પરિસ્થિતિમાં સંયમજીવનની પ્રાણસમી સામાચારી સર્વ મહાત્માઓને સુગમ-સુલભ થાય એ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રયોજનથી આ નૂતન સંસ્કૃત પ્રકરણની રચના કરી છે. માત્ર ૧૦૦ શ્લોકનું આ પ્રકરણ નાના-મોટા કોઈ પણ મહાત્મા સહેલાઈથી ગોખી શકે તેમ છે. સાથે જ સરળ ગુજરાતી અનુવાદ પણ આપેલો છે.
જિનાજ્ઞાનું પાલન, સુવિહિત પરંપરાનો આદર, સંયમજીવનની સાર્થકતા, વિશિષ્ટ કર્મક્ષય, પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન આ બધા તો સામાચારી પાલનના લાભો છે જ. સાથે સાથે બાહ્યદષ્ટિએ પણ સામાચારી પાલનના અનેકાનેક પ્રત્યક્ષ લાભો છે. જેમકે જે ગ્રુપમાં ઈચ્છાકાર સામાચારીનું પાલન થાય, તે ગ્રુપમાં કદી પણ અલ્પ પણ કલહ-સંક્લેશ થવાની કોઈ શક્યતા નથી. એ ગ્રુપમાં પરસ્પરનો પ્રેમભાવ અતૂટ બની રહે છે. તથાકાર સામાચારીનું પાલન થાય, ત્યાં ગુરુ-શિષ્યના સંબંધમાં કદી પણ તિરાડ પડતી નથી.
આવા બાહ્ય-અત્યંતર અનેકાનેક લાભો મેળવવા માટે આ પ્રકરણને કંઠસ્થ કરીને તેનું ફરી ફરી રિશીલન કરી, એ શક્ય ન બને તો વારંવાર વાંચન કરવા દ્વારા પણ સામાચારીનું સમ્યજ્ઞાન મેળવી તેનો પ્રાયોગિક અમલ-આચરણ કરી શકાય. ‘આચાર’ના આસેવન દ્વારા સ્વ-પર ને યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ આચારની પ્રાપ્તિ થાય એ જ આ નૂતન પ્રકરણના સર્જનનું ફળ ઈચ્છું છું.
પરમ કૃપાળુ પરમાત્મા તથા પરમોપકારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયેલ છે. આ ગ્રંથના મૂલાધાર છે- મુનિ જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ ભાવપ્રેમ વિ. તથા મુનિ રાજપ્રેમ વિ. તેમજ ભરત ગ્રાફિક્સ દ્વારા ટાઈપ સેટીંગ આદિ કાર્ય સુચારુરૂપે પૂર્ણ કરવામાં આવેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્, ક્ષતિનિર્દેશ કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના.
ફા.વ. ૧૩,વિ.સં. ૨૦૬૭
વર્ધમાન હાઈટ્સ,
ચિંચપોકલી,
મુંબઈ
પ્રાચીન આગમ-શાસ્ત્રોદ્વારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો
ચરણ સેવક આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
Page #9
--------------------------------------------------------------------------
________________
|| आचारोपनिषद् ॥
॥ मंगलम् ॥ श्रीवर्द्धमानं जिनवर्द्धमानं, सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं वितनोमि सामाचारीश्रुतं सूत्रसमाश्रयेण ।।१।।
सामाचारी समाची, श्रमणैर्या शुभक्रिया । त्रिधाऽस्त्येषा समाख्याता, जिनागमविशारदैः ।। २ ।।
आद्या तत्रौघनियुक्ति - स्थिता सौघाभिधोच्यते । पदविभागनाम्नीह, छेदसूत्राऽऽश्रयाऽपरा ।। ३ ।।
इच्छादिका तृतीया या, सामाचारी समीरिता । उत्तराध्ययने सेह, प्रक्रान्ता दशधोच्यते ।।४।।
इच्छा मिथ्या तथाकार, आवश्यकी नैषेधिकी । आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ॥ ५ ॥
Page #10
--------------------------------------------------------------------------
________________
આથાશેપનિષદ
| મંગલમ | આહત્યની લક્ષ્મીથી વૃદ્ધિ પામતા શ્રી વદ્ધમાન જિન અને ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વર, આ વંદનીય વિભૂતિને નમસ્કાર કરીને, આગમના આઘારે સામાચારી શ્રુતની રચના કરું છું. || ૧ ||
શ્રમણ ભગવંતોએ સમ્યફ રીતે આચરેલી શુભક્રિયા એનું નામ સામાચારી. જિનાગમવિશારદોએ ત્રણ પ્રકારની સામાચારી કહી છે. || ૨ ||
તેમાં પહેલી છે ઓઘ સામાચારી. એ ઓઘનિર્યુક્તિમાં છે. બીજી છે પદવિભાગ સામાચારી. એ છેદસૂત્રોમાં છે. || ૩ ||
ત્રીજી છે ઈચ્છાકાર વગેરે સામાચારી. તે ઉત્તરાધ્યાનમાં છે. આ સામાચારી દશ પ્રકારની છે. પ્રસ્તુતમાં આ સામાચારીનું વર્ણન કરાય છે. || 8 ||
(૧) ઈચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (8) આવશ્યકી (૫) વૈષેલિકી (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમંત્રણા || ૫ ||.
Page #11
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद
दशमी चोपसम्पत् स्यात्, सामाचारी जिनोदिता । अनन्ता यां समाचर्य, तीर्णाः संसारसागरम् ॥ ६ ॥
४
यतनीयमतोऽवश्यं, सामाचारीसुपालने । श्रामण्यस्य सुनिर्वाह, एवमेव यतो भवेत् ।। ७ ॥
सामाचारीस्वरूपं तद्, विज्ञातव्यं प्रयत्नतः । तदविज्ञस्य सामर्थ्यं तद्विधौ सम्भवेन्न यत् ।। ॥
( उपजाति)
प्रदत्तशश्वच्छुभसौख्यभोगं, परम्पदं प्राप्तुममोघयोगम् । सिद्ध्यङ्गनाकार्मणमद्वितीय मेकाग्रचित्तं शृणुतैतदेव ।। ९ ।।
-
Page #12
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ અને (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સામાચારી જિનેશ્વર ભગવંતોએ કહી છે, કે જેને સમ્યફ રીતે આચરીને અનંત જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. || 9 ||
માટે સામાચારીના સમ્યફ પાલન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ જ રીતે સાધુપણાનો સારી રીતે નિર્વાહ થઈ શકે છે. || ૭ ||
તેથી સામાચારીના સ્વરૂપને સમ્યફ રીતે જાણવું જોઈએ. કારણ કે જે તેને જાણતો નથી, તે તેને આચરવા માટે સમર્થ થતો નથી. || ૮ |
શાશ્વત પ્રશસ્ત સુખનો ભોગવટો આપનારા, પરમ પદને આપનારા અમોઘ યોગ, સિદ્ધિનારીને વશ કરવા માટે અજોડ કાર્પણ.. એવા આ સામાચારીના સ્વરૂપને જ એકાગ્ર ચિત્તથી સાંભળો. || ૯ ||
Page #13
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
१. इच्छाकारः इच्छया कुर्विदमिति, रालिकाद्या दिशन्ति यत् । इच्छाकारेण तत् कुर्या-दितीच्छाकार उच्यते ।। १ ।।
इच्छाकारो द्वयोर्युक्तो ह्यभ्यर्थनाविधानयोः । आज्ञाऽऽराधनमेवं स्यात्, सम्प्रदायाऽऽदरस्तथा ॥२॥
इच्छाकारप्रयोगात् स्या- दुच्चगोत्रसमर्जनम् । अभियोगनिमित्तस्य, कर्मणश्चापि सङ्क्षयः ।। ३ ।।
परपीडालवस्यापि, परिहारं निरीक्ष्य च । बहुमन्येत लोकोऽपि, ह्यहो श्रीजिनशासनम् ।। ४ ।।
अभ्यर्थितेन वैफल्यं, नेया नेच्छाकृतिस्तथा । शक्त्यभावे वदेद्धेतु-पूर्वकमसमर्थताम् ।। ५ ।।
Page #14
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૧. ઈચ્છાકાર
“તમારી ઈચ્છાપૂર્વક આ કરો.' એવો જે આદેશ રત્નાધિકો કરે, તે ઈચ્છાપૂર્વક કરવું એને ઈચ્છાકાર કહેવાય છે. || ૧ ||
અભ્યર્થના કરવામાં અને વિધાન કરવામાં કહેનાર અને સાંભળનાર બંનેના પક્ષે ઈચ્છાકાર ઉચિત છે. આ રીતે આજ્ઞાની આરાધના પણ થાય છે, અને સુવિહિત પરંપરાનો આદર પણ થાય છે. || ૨ ||
ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રનું ઉપાર્જન થાય છે, અને જે કર્મના ઉદયથી આભિયોગિક કામ (દાસત્વ) કરવું પડે, એ કર્મની નિર્જરા થાય છે. || ૩ ||
આદેશ કરવાથી બીજાના મનને પીડા થાય, એટલી પણ પીડાના પરિહારને જોઈને લોકોને પણ બહુમાન થાય, કે આ જૈન ધર્મ કેવો સુંદર છે. || ૪ ||
જેની પાસે અભ્યર્થના કરવામાં આવે તેણે પણ સામી વ્યક્તિની પ્રાર્થનાનો ભંગ ન કરવો જોઈએ. જો એની વાત માનવાની શક્તિ ન હોય, તો કારણ જણાવવાપૂર્વક પોતાની અસમર્થતા કહેવી જોઈએ. પા
Page #15
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद् अनिगृहितवीर्येण, भाव्यं हि साधुना सदा । अभ्यर्थना न कार्याडतः, कार्यादुत्कृष्टतो विना ।।६।।
अभ्यर्थनां मुनिः कुर्याद, ग्लानत्वादिककारणैः । रानिकं परिहृत्यैव, मुक्त्वा ज्ञानादिकारणम् ।। ७ ।।
निर्जरैकाभिलाषी तु, प्रेक्ष्य परप्रयोजनम् । उपेत्यापि मुनिः कुर्या-दिच्छाकारं विधानतः ।।८।।
(वसन्ततिलका) न कल्पते मुनिजनस्य बलाभियोग, इच्छैन् रानिकजनप्रभृतौ प्रयोज्या । कार्याऽभियोगकृतिरप्यपवादतः सा, ज्ञेयाविनीतहयसत्कनिदर्शनेन ॥ ९ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ સાધુએ હંમેશા પોતાની શક્તિનું ગોપન કર્યા વિના જ રહેવું જોઈએ. તેથી ઉત્કૃષ્ટ પ્રયોજન વિના બીજા પાસે કોઈ અભ્યર્થના ન કરવી જોઈએ. || 9 ||
જો રોગ વગેરે કારણોથી મુનિને અભ્યર્થના કરવી જ પડે, તો પણ રત્નાધિકને ન કરવી. (વડીલને કામ ન સોપવું.) હા, જ્ઞાન વગેરેનું પ્રયોજન હોય, તો રત્નાધિકને પણ (વાચના વગેરે માટે) વિનંતિ કરવી. || 8 ||
સાધુ તો નિર્જરાનો અભિલાષી હોય. એ જુએ કે બીજાને પ્રયોજન છે, તો પોતે સામે ચાલીને વિધિપૂર્વક વિનંતિ કરે કે, આપની ઈચ્છા હોય, તો મને આટલો લાભ આપો. || ૮ ||
બળપૂર્વક પરાણે કોઈ પાસે કાંઈ કામ કરાવવું, એ મુનિને કહ્યું નહીં. માટે રત્નાધિક આદિ પ્રત્યે ઈચ્છાકારનો જ પ્રયોગ કરવો જોઈએ. અપવાદથી તો બળપૂર્વક પણ (અધિકારી વ્યક્તિએ) કાર્ય કરવું જોઈએ. તે અવિનીત ઘોડાના દષ્ટાંતથી સમજવું જોઈએ. || ૯ ||
Page #17
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
२. मिथ्याकारः यत्किञ्चिद्वितथं चेत् स्या-दाचरितं मुनेः क्वचित् । मिथ्यैतदिति विज्ञाय, मिथ्याकारः प्रयुज्यते ।। १ ।।
अवश्यं अनिक-व्यं नेतुत् क्त्व प्राप्तं नो वरम् ॥
अवश्यं प्रतिक्रम्यं चेत्, कृत्वा पापं ततो वम् । पापस्याकरणं चैव, ह्युत्सर्गेऽयं प्रतिक्रमः ।। २ ।।
पुनर्यो नाचरेत् पापं, प्रतिक्रान्तस्त्रिधाऽपि यः । मिथ्याकारः श्रुते प्रोक्त-स्तस्यैव पारमार्थिकः ।। ३ ।।
मिथ्याकारं प्रयुज्यापि, पापं कुर्यात्तदेव यः । प्रत्यक्षः स मृषावादी, मायानिकृतितत्परः ॥ ४ ॥
'मि' मृदुमार्दवत्वे स्यात्, 'छा' दोषस्थगने स्मृतम् । 'मि' मर्यादास्थितो 'दु' त्ति, जुगुप्सामि निजं तथा ।।५।।
Page #18
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ ૨. મિથ્યાકાર
જો કોઈ પણ આચારસ્થાનમાં મુનિથી કાંઇ પણ ખોટું થઇ જાય, તો તે ખોટું છે, એમ જાણીને મિથ્યાકારનો પ્રયોગ કરવો જોઈએ = મિચ્છામિ દુક્કડમ્ દેવું જોઈએ. ||૧||
११
જો પાપ કર્યા પછી અવશ્ય પ્રતિક્રમણ કરવાનું જ છે, તો તેના કરતા બહેતર છે કે પાપ કરવું જ નહીં. અને આ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, કે પાપ કરવું જ નહીં. || ૨ ||
જે ફરીથી પાપ આચરતો નથી, જે મન, વચન, કાયાથી પાપથી પાછો ફર્યો છે, તેનું જ મિચ્છામિ દુક્કડમ્ સાચું છે, એમ શ્રુતમાં કહ્યું છે. II 3 ||
જે મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી પણ ફરીથી તે જ પાપ કરે છે, એ તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, માયા ને પ્રપંચમાં તત્પર છે. || ૪ ||
મિ - શરીર અને મનની મૃદુતાથી
ચ્છા - દોષોનું છાદન કરું છું.
મિ - મર્યાદામાં રહ્યો છું.
૬ - મારા દુષ્ટ આત્માની જુગુપ્સા કરું છું.
દુ
Page #19
--------------------------------------------------------------------------
________________
१२
अथ आचारोपनिषद 'क' कृतं हा मया पापं, 'ह' लङ्घये शमेन तत् । मिथ्यादुष्कृताक्षराणा - मर्थ एष समासतः ।।६।।
मिथ्याकारप्रयोगेण, जिनाज्ञाऽऽराधनं भवेत् । तीवस्ततोऽपि संवेगो - उपुनःकृतेश्च निश्चयः ।।७।।
नियमेन समुल्लास, एतद्भावस्य जायते । उक्ताक्षरार्थविज्ञस्य, तस्य तत्प्रतिबन्धतः ।।८।।
(मालिनी) वृजिनविषयहेय - प्रज्ञया संयुनक्ति, ह्यनुशयमतया सम्मेलमण्यातनोति । परिहरति च पाप - सत्कभूयःप्रसङ्ग, व्रजति शमिति मिथ्या-दुष्कृतस्य प्रदाता ।।९।।
Page #20
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૨૩ ક - હાય ! મેં પાપ કર્યું. ડ - ઉપશમથી તે પાપને ઓળંગી જાઉં છું. '
આ મિચ્છામિ દુક્કડમ્ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ છે. || 9 ||
મિથ્યાકારના પ્રયોગથી જિનાજ્ઞાની આરાધના થાય છે. તેનાથી તીવ્ર સંવેગ થાય છે અને ફરીથી એ પાપ નહીં કરવાનો નિશ્ચય થાય છે. || ૭ ||
જે ઉપરોક્ત અક્ષરોના અર્થને સમ્યફ રીતે જાણે છે, તેને તે તે અર્થ પ્રત્યે વિશિષ્ટ આદર હોય છે. માટે તેને આવા (સંવેગ વગેરે) ભાવનો અવશ્ય ઉલ્લાસ થાય છે. || ૮ |
જે મિચ્છામિ દુક્કડમ્ આપે છે, તેને પાપ પ્રત્યે હેયબુદ્ધિ થાય છે. હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ જાગે છે. તે ફરીથી તે પાપ કરવાનું ટાળે છે. આ રીતે મિચ્છામિ દુક્કડમ્ આપનાર સુખી થાય છે. || ૯ ||
Page #21
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद
३. तथाकार: सूत्रार्थादिषु कार्येषु, गुरुणाऽभिहितेषु यत् । तथेति वदनं साधो-स्तथाकारः स उच्यते ।।१।।
कृत्याकृत्यविदः पञ्च-महाव्रतपरिस्थितेः । तपसंयमयुक्तस्य, तथाकारोऽविकल्पतः ।। २ ।।
संविज्ञपाक्षिके गीते, तथाकारोऽविकल्पतः । इतरस्मिन् विकल्पेन, युक्तिक्षमे न चापरे ।। ३ ।।
ज्ञानेन वेत्ति गीतार्थः, संवेगेनोपदेष्टि च । तस्मिंस्तु योऽतथाकारो - ऽभिनिवेशफलं हि तत् ।।४।।
प्रत्यपायान् विजानन्ति, ह्याचार्या एव न त्वहम् । । एवम्मत्वाऽविकल्पेन, तथाकारः श्रुते श्रुतः ।। ५ ।।
Page #22
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૩. તથાકાર ગુરુએ કહેલા સૂત્ર-અર્થ વગેરે કાર્યોમાં મુનિ જે તે જ મુજબ છે – “તહત્તિ’ એમ કહે, તે તથાકાર કહેવાય છે. || ૧ ||
જે કાર્ય-અકાર્યને જાણે છે, જે પાંચ મહાવ્રતોમાં સુસ્થિત છે અને જે તપ-સંયમથી યુક્ત છે, તેમનું વચન કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. || ૨ ||
જે સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ હોય, તેમનું વચન પણ કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. તે સિવાયની વ્યક્તિની વાત યુક્તિયુક્ત હોય તો તહત્તિ કરવી જોઈએ. અન્યથા તહતિ ન કરવી જોઈએ. || ૩ |
ગીતાર્થ જ્ઞાનથી જાણે છે, અને સંવેગથી કહે છે. તેની વાત પણ તહત્તિ ન કરવી, એ અભિનિવેશનું જ ફળ છે. || ૪ || , ,
આચાર્ય ભગવંત જ પ્રત્યપાયોને જાણે છે. (તેમનું વચન નહીં માનવામાં જે નુકશાનો છે, તે જાણે છે.) હું નથી જાણતો. આ રીતે માનીને કોઈ વિકલ્પ કર્યા વિના તેમની વાત તહત્તિ કરવી જોઈએ, એમ શ્રુતમાં (કલ્પસૂત્રમાં) કહ્યું છે. || ૫ II.
Page #23
--------------------------------------------------------------------------
________________
१६
अथ आचारोपनिषद चण्डरुद्रसूरेः शिष्यो, माषतुषमुनिस्तथा । कैवल्यं यदवापैतद्, भावतथाकृतेः फलम् ।।६।।
न हि मोहनिकाराय, तथाकारसमौषधम् । स्मर्त्तव्यमाष्टकं चात्र, हारिभद्रमिदं वचः ॥ ७ ॥
न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतव्यं हि, तदनुत्कर्षसाधनम् ॥ ८ ॥
(उपजाति) मिथ्यात्वसङ्गो ह्यतथाकृतेस्स्यान्, मोहस्य पोषः सुगुणस्य शोषः । अतो महामववदेतदस्तु, 'ह्याज्ञा गुरुणामविचारणीया' ।।९।।
Page #24
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ ચંદ્રસૂરિના શિષ્ય અને માષતષ મુનિએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તે ફળ હતું ભાવ તથાકારનું. (ગુરુ જે કહે છે, તે બરાબર જ છે, એવી દેટ શ્રદ્ધાનું.) || ૬ ||
મોહનો નાશ કરવો હોય, તો તથાકાર જેવું કોઈ ઔષધ નથી. આ વિષયમાં અષ્ટક પ્રકરણનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજાનું આ વચન યાદ કરવા જેવું છે. | ૭ ||
મોહના અતિરેક વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી. અને મોહનો અપકર્ષ કરવાનો કોઈ ઉપાય હોય, તો એ છે ગુણવાન વ્યક્તિને પરતંત્ર (સમર્પિત) બની જવું તે. || ૮ ||.
તહત્તિ ન કરવાથી (પૂર્વોક્ત રીતે) મિથ્યાત્વ લાગે છે, મોહનું પોષણ થાય છે, અને સદ્ગણોનું શોષણ થાય છે. માટે આટલી વાત મહામંત્રની જેમ આત્મસાત્ કરી લેવી જોઈએ, કે “ગુરુની આજ્ઞા અવિચારણીય છે” = કોઈ વિકલ્પ કર્યા વિના ગુરુની આજ્ઞાનો અમલ કરવો જોઈએ. || ૯ ||
Page #25
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
। ४. आवश्यकी कार्येण गच्छतः सूत्र-नीत्या गुर्वाज्ञया मुनेः । आवश्यकीति विज्ञेया, वसत्यादेविनिर्गमे ।।१।।
तदेव तस्य कार्यं स्याद्, यदलत्रयसाधकम् । अकार्यं हि मुनेरन्यत्, तत्र नावश्यकी शुचिः ।। २ ।।
अकार्ये गच्छतोऽपि य-दावश्यकीवचस्तु तत् । निर्विषयं वचोमात्रं, दोषहेतुर्मूषा तथा ।। ३ ।।
अधिकारोऽपि न साधो, रत्नत्रयबहिर्भूते । एतावदेव श्रामण्यं, यदलत्रयसाधनम् ।। ४ ।
।
Page #26
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૪. આવશ્યકી ગુર્વાજ્ઞાપૂર્વક શાસ્ત્રનીતિથી મુનિ કોઈ પ્રયોજનથી વસતિ વગેરેની બહાર જાય, ત્યારે “આવશ્યકી’ સામાચારી સમજવી જોઈએ. || ૧ ||
સાધુને તો તેનું પ્રયોજન હોય, કે જે રત્નત્રયીનું સાધક હોય, એ સિવાય તો મુનિ માટે બધું જ અકાર્ય છે. તેથી એના માટે મુનિ આવશ્યકી કરે, તો એ શુદ્ધ નથી. || ૨ ||
અકાર્ય માટે જનાર મુનિ પણ આવસહિ એવું વચન બોલે, તેમાં અવશ્યકાર્યરૂપ વિષય જ નથી. માટે તે નિર્વિષય છે. તેથી ત્યાં માત્ર વયન જ છે, તેને અનુરૂપ ક્રિયા નથી. એવું વચન દોષનું કારણ છે અને મૃષાવાદ છે. || ૩ ||
જે રત્નત્રયીની બહારની વસ્તુ છે, તે વસ્તુ કરવાનો સાધુનો અધિકાર જ નથી. રત્નત્રયીની સાધના કરવી, એટલું જ તેનું સાધુપણું છે. || ૪ |
Page #27
--------------------------------------------------------------------------
________________
२०
अथ आचारोपनिषद कार्यमपि स्यादकार्य, मुनेर्गुज्ञिया विना । सर्वमपि यतः साधो- गुर्वायत्तं न संशयः ।। ५ ।।
किञ्च कार्ये गुरुक्तोऽपि, व्रजेदनुपयोगतः । तदाप्यावश्यकी नास्य, शुद्ध्यतीर्याऽविशुद्धितः ॥ ६ ॥
सर्वैरावश्यकैर्युक्तो, यः स आवश्यकीयुतः । तत्रैवान्वर्थयोगेना - ऽन्यत्र च तदभावतः ॥ ७ ॥
इर्यानिमित्तबन्धो न, नात्मविराधनादयः । स्वाध्यायादिगुणास्तु स्यु-र्वसतिस्थमुनेर्यतः ।।८।।
(भुजङ्गप्रयातम्) अतः कारणेनैव गन्तव्यमेतज्, जिनोक्तं रहस्यं समाचारसत्कम् । अवश्यं च हेतौ तु गम्यं यतस्स्यु - गुरुपासनाद्या गुणाः सिद्ध्युपायाः ॥ ९ ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
२१
વળી રત્નત્રયીરૂપ કાર્ય માટે બહાર જનાર મહાત્મા પણ જો ગુરુની આજ્ઞા ન લે, તો એ અકાર્ય બની જાય. કારણ કે સાધુનું બધું જ ગુરુને આધીન છે, એ નિઃશંક છે. II ૫ II
વળી મુનિ રત્નત્રયી માટે જતા હોય, ગુરુની આજ્ઞા પણ હોય, તો ય ઉપયોગ વિના ચાલે, તો તેમની આવશ્યકી સામાચારી શુદ્ધ નથી, કારણ કે અનુપયોગને કારણે ઈર્યાસમિતિનો ભંગ થાય છે. II ૬ |
જે સર્વ આવશ્યકોથી યુક્ત છે, તે આવશ્યકી સામાચારી સહિત છે. કારણ કે ‘આવશ્યકી' ની વ્યુત્પત્તિ તેનામાં જ ઘટે છે, બીજામાં ઘટતી નથી. || ૭ ||
મુનિ ઉપાશ્રયમાં રહે, તો તેમને ચાલવાથી થતો કર્મબંધ થતો નથી, આત્મવિરાધના, સંયમવિરાધના વગેરે દોષો પણ લાગતા નથી, ઉલ્ટુ સ્વાધ્યાય વગેરે લાભો થાય છે.
|| ૮ |
માટે આવશ્યકી સામાચારીનું આ રહસ્ય જિનેશ્વરોએ કહ્યું છે, કે કારણ હોય તો જ બહાર જવું. અને કારણ હોય તો જરૂર જવું જ. કારણ કે એનાથી ગુરુની ઉપાસના (ગોચરી-પાણી વગેરેનો લાભ) વગેરે સિદ્ધિના ઉપાયો રૂપ ગુણો થાય છે. ॥ ૯ ॥
Page #29
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद
५. नैषेधिकी
कृतपापनिषेधात्माऽवग्रहस्य प्रवेशने । नैषेधिकीति यद् ब्रूयान्, नैषेधिकीति सोच्यते ॥ १ ॥
२२
गुरूणामुपदेशेन, चोपयोगपुरस्सरम् । नैषेधिक्यपि कर्त्तव्या, मौने मुख्यमिदं द्वयम् ।।२॥
दृढयनोपयोगेन, देवगुर्योरवग्रहे ।
प्रवेश इष्टदोऽनिष्ट- फलदस्त्वन्यथा भवेत् ॥ ३ ॥
चैत्यदर्शनमात्रेऽपि, श्राद्धा औचित्यशेखरा । अवतरन्ति हस्त्यादेः, साधूनां तु कथैव का ? ॥ ४ ॥
विशिष्टौचित्यशालित्वाद्, यत्नवत्त्वात्सदाऽपि च । विशिष्टतरतद्वत्त्वं निषेधेन मुनेर्भवेत् ।। ५ ।।
Page #30
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૨૩ ૫. નૈષધિની પોતાના આત્માને પાપનો નિષેધ કરનારા મુનિ અવગ્રહમાં પ્રવેશતા “નિશીહિ' એમ બોલે, તેને “વૈષેધિકી' સામાચારી કહેવાય છે. || ૧ ||.
નૈષિધિથી સામાચારી પણ (૧) ગુરુના ઉપદેશથી (૨) ઉપયોગપૂર્વક કરવી જોઈએ. આ બે વસ્તુ સાધુપણામાં મુખ્ય છે. || ૨ ||
દેવ-ગુરુના અવગ્રહમાં દસ યત્ન અને ઉપયોગ પૂર્વક પ્રવેશ કરીએ તો તેનાથી કર્મનિર્જરારૂપ ઈષ્ટ ફળ મળે છે, અન્યથા કર્મબંધરૂપ અનિષ્ટ ફળ મળે છે. IBIL
ઔચિત્યમાં નિપુણ શ્રાવકો ચૈત્યનું દર્શન થતાની સાથે જ હાથી વગેરે પરથી ઉતરી જાય છે, તો પછી સાધુઓની તો વાત જ શું કરવી ? || 8 ||
સાધુ તો વિશિષ્ટ ઔચિત્ય સંપન્ન હોય, સદા માટે યત્વયુક્ત હોય, માટે મુનિ “નિસિહી કરે, તેનાથી તેમને વધુ વિશિષ્ટ યત્ન અને ઉપયોગનો ભાવ આવે. પા.
Page #31
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
दृढप्रयत्नवैकल्यं, सञ्जायते नियोगतः । आशातनाभयाभावा - दतस्तद्भयवान् भवेत् ॥६॥
२४
शय्यां स्थानं यदा कुर्या - तदा नैषेधिकी भवेत् । यस्मात्तदा निषेधोऽस्ति, सा निषेधात्मिका च यत् ।।७।।
मूलोत्तरगुणानां यो प्रतिचाराणां निषेधकृत् । सती नैषेधिकी तस्य, वाङ्मात्रमितरस्य तु ॥ ८ ॥
-
( वसन्ततिलका)
मूलोत्तरैर्गुणगणैः सहितस्तु यः स, आवश्यकेन सहितो नियमान्निषिद्धः ।
यद्वा निषिद्धपुरुषः कृतपापहानः, सावश्यको नियमतो भवतीति तुल्यम् ॥ ९ ॥
Page #32
--------------------------------------------------------------------------
________________
२५
અથ આચારોપનિષદ્ આશાતનાનો ભય ન હોવાના કારણે જ દટ પ્રયત્નનો અભાવ થાય છે. માટે આશાતનાનો ભય રાખવો જોઈએ. || 9 ||
જ્યારે મુનિ શયન કે ઉભા રહેવા વગેરેની ક્રિયા કરે, ત્યારે નૈષધિથી સામાચારી હોય, કારણ કે ત્યારે બાહ્ય વ્યાપારોનો નિષેધ છે, અને નૈષેલિકી સામાચારી નિષેધરૂપ છે. || ૭ |.
જેણે મૂળ-ઉત્તર ગુણોના અતિચારોનો નિષેધ કર્યો છે, તેની જ ‘નિસીહિ' સાચી છે. બીજાની “નિસીહિ' તો વચનમાત્ર જ છે. (નિશીહિ એવો શબ્દ જ તેની પાસે છે, તેને અનુરૂપ વસ્તુસ્થિતિ નથી.) || ૮ ||
જે મૂળ-ઉત્તર ગુણગણોથી યુક્ત છે, આવશ્યક સહિત છે, તે અવશ્ય નિષિદ્ધ છે. (પાપોનો નિષેધ કરનાર છે.) અથવા તો પાપોનો ત્યાગ કરનાર જે નિષિદ્ધ આત્મા છે, તે અવશ્ય આવશ્યક સહિત છે. આ રીતે આ બંને સામાચારીના સ્વામી તુલ્ય છે.
IIII
Page #33
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
६. आपृच्छा आत्महितस्य कार्यस्य, प्रतिज्ञाया गुरोः पुरः । निवेदनं विनीतस्य, साऽऽपृच्छा समये स्मृता ।।१।।
श्रेयस्तत्पूर्वकं कर्म, नान्यथेत्यवधार्यताम् । सर्वं पृष्ट्वैव कर्त्तव्य-मिति कल्पानुशासनम् ॥ २ ॥
यतो गुरुर्विधिज्ञाता, दर्शयति विधिं शुचिम् । . ततोऽपि तत्प्रतिपत्तिः, शुभभावोदयस्ततः ।। ३ ।।
ततोऽपि विघ्नसंहार, इष्टप्राप्तिस्ततो भवेत् । ततोऽपि सौख्यसन्तानः, सञ्जयश्चापि पाप्मनाम् ।।४।।
ततोऽपि सद्गतिलाभः, सद्गुरोश्चापि सङ्गतिः । सच्छ्रुत्यादिसुलब्धेश्च, ततोऽपि स्यात् परा गतिः ।।५।।
Page #34
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૬. આપૃચ્છા આત્મહિતકારક કાર્યની પ્રતિજ્ઞાનું ગુરુસમક્ષ વિનયપૂર્વક નિવેદન કરવું, તેને સિદ્ધાન્તમાં આપૃચ્છા કહી છે. || ૧ ||
२७
આપૃચ્છાપૂર્વક કાર્ય કરાય, તે જ કલ્યાણકારક છે, અન્ય નહીં, એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. બધું ગુરુને પૂછીને જ કરવું જોઈએ એવું કલ્પસૂત્રનું અનુશાસન છે. ॥ ૨ ॥
ગુરુ વિધિજ્ઞાતા છે, માટે તેઓ શુદ્ધ વિધિ બતાવે છે. તેથી શિષ્ય શુદ્ધ વિધિનો સ્વીકાર કરે છે. તેનાથી શિષ્યને શુભ ભાવ જાગે છે. || ૩ ||
તેનાથી વિઘ્નો જતા રહે છે, તેનાથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેનાથી પણ સુખની પરંપરા ચાલે છે અને પાપોનો ક્ષય થાય છે. II ૐ II
તેનાથી સદ્ગતિ મળે છે, તેનાથી સદ્ગુરુનું સાનિધ્ય મળે છે. તથા સમ્યક્ત્રવણ વગેરેની પ્રાપ્તિ દ્વારા પરમગતિ થાય છે. ॥ ૫ ॥
Page #35
--------------------------------------------------------------------------
________________
२८
अथ आचारोपनिषद अनापृच्छ्य तु कुर्वाण, उक्तसर्वविपर्ययम् ।। प्राप्नोत्यनर्थसन्दोहं, कार्याऽऽपृच्छा सदाप्यतः ।।६।।
आपृच्छा मङ्गलं प्रोक्त-मेवम्भूतनयाऽऽशयात् । मङ्गं कल्याणकं लाती-ति निरुक्तिसमन्वयात् ।। ७ ।।
गुरुमापृच्छतः पृच्छा, गौतमादिमहात्मनाम् । पारतव्यं श्रीवीरे च, परमपदकारणम् ॥ ८ ॥
(शिखरिणि) निमेषोन्मेषादीन्, गुरुवरमथाऽऽपृच्छ्य य इह, ह्यनापृच्छ्याजलं, गुरुतरमभीष्टं प्रकुरुते । न जाने दुर्भाग्यः, स तु कमतिसन्धत्त इतधीर्जिनं वा सूरिं वा- ऽप्यहह निजमात्मानमपि वा ? ॥७॥
Page #36
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ જે ગુરુને પૂછ્યા વિના કરે છે, તે તો ઉપરોક્ત સર્વ લાભોનો વિપર્યાસ પામે છે, અનર્થોના સમૂહને પામે છે, માટે હંમેશા ગુરુને આપૃચ્છા કરવી જોઈએ.
મંગ - કલ્યાણ, તેને લાવે તે મંગળ.
આ રીતે “મંગલ'ની વ્યુત્પત્તિનો સમન્વય થતો હોવાથી એવંભૂતનયના આશયથી આપૃચ્છા એ મંગળ કહ્યું છે. || ૭ ||.
જે ગુરુને પૂછે છે, તે ગૌતમસ્વામી આદિ મહાપુરુષોને પૂછે છે, એ શ્રી વીર પ્રભુને સમર્પિત છે. એનું આ સમર્પણ પરમ પદનું કારણ બને છે. || ૮ |
બહુવેલ સંદિસાહું ઈત્યાદિ આદેશોથી આંખના પલકારા અને શ્વાસોચ્છવાસ વગેરેની પણ ગુરુદેવ પાસે રજા લીધા બાદ જે વારંવાર મોટું મોટું પણ મનગમતું કાર્ય પૂછ્યા વિના કરે છે, તે દુર્ભાગી અને મૂર્ખ છે. તે ભગવાનને છેતરે છે ? ગુરુને છેતરે છે ? કે પોતાના આત્માને છેતરે છે ? એ જ સમજાતું નથી. || ૯ ||
આ
Page #37
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
७. प्रतिपृच्छा पूर्वनियुक्तकार्यस्य, पृच्छा या करणक्षणे । कार्यान्तरादिज्ञानार्थं, प्रतिपृच्छा तु सोच्यते ।। १ ।।
कार्यान्तरेण कार्यं स्यात्, कालान्तरेऽथवा भवेत् । कृतं वाऽस्ति तदा कार्य-मन्यो वा तत् करिष्यति ॥२॥
अथवाऽपि प्रवृत्तस्य, त्रिवारस्खलनावशात् । प्रतिपृच्छा प्रयोज्या स्यात्, ततः शकुनतो ब्रजेत् ।। ३ ।।
केचिदाहुः प्रतिपृच्छा, प्राग निषिद्धे प्रवर्त्तते । एवमपि न दोषो य - दुत्सर्गेतरयोवृषः ।। ४ ।।
Page #38
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૭. પ્રતિપછા ગુરુને પહેલા આપૃચ્છા કરતી વખતે જે કાર્યનું નિવેદન કર્યું હોય, તે કાર્યના સમયે ગુરુને બીજું કામ કરાવવું હોય, ઈત્યાદિ જાણવા માટે જે પ્રશ્ન કરાય, તેને પ્રતિપૃચ્છા કહેવાય. || ૧ |
શક્ય છે કે ગુરુને અન્ય કાર્યનું પ્રયોજન હોય, કે તે કાર્ય પછી અન્ય કાળે થાય એવી ઈચ્છા હોય, અથવા તો તે કામ કરી દીધું હોય, કે અન્ય કોઈ કરશે એવી ગુરુની ધારણા હોય. | ૨ |
અથવા શિષ્ય ગુરુને પૂછીને અમુક કાર્ય માટે જાય, ત્યારે ત્રણ વાર સુધી રસ્તામાં ખલના થાય, તો પ્રતિપૃચ્છા કરવી જોઈએ. અને પછી શુકન લઈને જવું જોઈએ. ll3II
કેટલાક એમ કહે છે કે પ્રતિપૃચ્છા એ પૂર્વનિષિદ્ધ વાતમાં કરવામાં આવે છે. (ગુરુએ પહેલા જેની ના પાડી હોય, તેનું ફરી પ્રયોજન ઊભું થાય ત્યારે ફરી પૂછવામાં આવે છે.) તો આ રીતે પણ દોષ નથી. કારણ કે ધર્મ તો ઉત્સર્ગ અને અપવાદ એ બેમાં રહેલો છે. || 8 ||
Page #39
--------------------------------------------------------------------------
________________
३२
अथ आचारोपनिषद् उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । कार्यं यस्यामकार्यं स्यात्, कर्म कार्यं तु वर्जयेत् ।।५।।
आपृच्छा न फलं दातुं, स्वातव्यात्प्रत्यला भवेत् प्रतिपृच्छोपकर्वी सा, तां विना तदसम्भवात् ।। ६ ।।
इत्थञ्च प्रतिपृच्छाया, अभावेऽपि फलं भवेत् । आपृच्छाजन्यमित्येत - दपास्तं मुग्धनोदनम् ॥ ७ ॥
निष्फलैव तदापृच्छा, सामाचारीत्यपि मृषा । अविलम्बितकार्येऽस्याः, साफल्यात्सहकारितः ।।८।।
(उपजाति) पूर्णो हि साधोः परतवभावो, गुरुं प्रतीति प्रतिपृच्छयोक्तम् । कथं समाचार इह स्वतन्त्रे, श्रामण्यमप्येतदहो ! विचिन्त्यम् ॥ ९ ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ જેમ કે આયુર્વેદમાં કહ્યું છે કે વિશિષ્ટ દેશ-કાળના રોગોમાં તે અવસ્થા ઉદ્ભવે છે, કે જેમાં અકાર્ય કર્તવ્ય બને છે, અને કર્તવ્યને છોડવું પડે છે. | ૫ ||
આપૃચ્છા એ સ્વતંત્રરૂપે ફળ આપવામાં સમર્થ નથી. પણ એ તો પ્રતિપૃચ્છા પર ઉપકાર કરે છે. કારણ કે આપૃચ્છા વિના પ્રતિપૃચ્છા સંભવિત નથી. || 9 ||
આ રીતે – પ્રતિપૃચ્છા ન કરો, તો પણ આપૃચ્છાનું ફળ તો મળે જ છે – એવા મુગ્ધજનના તર્કનું નિરાકરણ થઈ જાય છે. || ૭ ||
તો પછી આપૃચ્છા સામાચારી નિષ્ફળ જ છે એમ કહેવું પણ ખોટું છે. કારણ કે જ્યાં કાર્ય અવિલંબિતપણે કરવાનું હોય, (વચ્ચે કાળક્ષેપ ન હોય,) ત્યાં અવિલંબિતકાર્યકરણરૂપ સહકારી ભળવાથી આપૃચ્છા સામાચારી સફળ બને છે. (અન્યથા પણ પરંપરાએ આ સામાચારી સફળ જ છે, એ શ્લોક ૬ માં દર્શાવ્યું છે.) || ૮ ||
પ્રતિપૃચ્છા સામાચારી એમ કહે છે કે સાધુ ગુરુને પૂર્ણરૂપે પરતંત્ર છે. માટે જે સ્વતંત્ર છે, તેનામાં સામાચારી કે સાધુપણું શી રીતે સંભવી શકે ? એ વિચારણીય છે. || ૯ ||L
Page #41
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद्
८. छन्दना गुर्वाज्ञया यथार्ह यद्, दानं प्राग्गृहीतस्य तु । अशनादेरियं सामा - चारी स्याच्छन्दनाभिधा ।।१।।
आत्मलब्धिक- विशिष्ट- तपस्व्यादि प्रतीत्य यत् । विशेषविषया चैषा, नाचर्या सकलैस्ततः ।। २ ।।
मण्डलिभोजिनस्सर्वे - प्येकभक्ततपस्विनः । प्रागगृहीताशनाऽभावा- दतस्तेषां भवेन्न सा ॥ ३ ॥
अधिकग्रहणं चात्म- लब्ध्यादेरस्ति सम्मतम् । बालादीनां प्रदानेन, ह्यात्मनो यदनुग्रहः ॥ ४ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૮. છંદના ગુરુની આજ્ઞાપૂર્વક પહેલા ગ્રહણ કરેલા આહાર આદિનું જે યથાયોગ્ય દાન કરવું, એ છંદના નામની સામાચારી છે. || ૧ ||
- આત્મલબ્ધિક (પોતે જ લાવેલી ગોચરી વાપરનાર), વિશિષ્ટ તપસ્વી વગેરેને આશ્રીને આ સામાચારી વિશેષવિષયક છે. માટે બાકી બધાએ આ સામાચારીનું પાલન કરવાનું હોતું નથી. || ૨ ||
બાકી બધા મુનિઓ તો માંડલીમાં વાપરનારા હોય, અને એકાસણાના તપવાળા હોય. માટે તેમની પાસે પહેલા ગ્રહણ કરેલ આહાર ન હોય. માટે તેમને છંદના સામાચારી ન હોય. || ૩ ||
આત્મલબ્ધિક વગેરેને પોતાના પ્રમાણ કરતા વધારે વહોરવાનું શાસ્ત્રસમ્મત છે. કારણ કે વધારાનો આહાર બાળ-ગ્લાન વગેરેને આપી શકાય અને તેનાથી થતી નિર્જરાથી પોતાના આત્મા પર અનુગ્રહ થાય. || 8 ||
Page #43
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद बालादिश्चेन्न गृहणीयात्, तथापि सफलैव सा । आज्ञाशुद्धस्य भावस्य, निर्जरा फलदत्वतः ॥ ५ ॥
निर्जरा भावशुद्धौ स्याद्, ग्रहणेऽग्रहणेऽपि च । बन्धस्तु भावमालिन्ये, ग्रहणेऽग्रहणेऽपि च ।।६।।
द्वादशाङ्गाप्तसाराणां, रहस्यमृषीणां परम् । प्रमाणं परिणामस्स्या - दाश्रितानां विनिश्चयम् ।।७।।
ज्ञानाद्युपग्रहाऽऽशंसा-जन्या भवतु छन्दना । मा प्रत्युपकृतीहातो, मा भूत् कीर्तीच्छया तथा ।।८।।
(वसन्ततिलका) छन्द्योऽपि नालसतया ननु लातु किञ्चित्, मा लातु प्रत्युपकृतिं ह्यपि दर्शयन् सः। सन्निर्जरा भवतु छन्दकसत्कलाभ, इत्येव धीरगुणयुक् ग्रहणं करोतु ॥ ९ ॥
Page #44
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
३७ જો બાળ વગેરે ગ્રહણ ન કરે, તો પણ છંદના સફળ છે, કારણ કે આજ્ઞાશુદ્ધ ભાવ નિર્જરારૂપી ફળ આપે જ છે. || ૫ ||
જો ભાવવિશુદ્ધિ હોય, તો બાળ વગેરે આહારનું ગ્રહણ કરે કે ન કરે, તો પણ નિર્જરા થાય છે, અને જો ભાવમાલિન્ય હોય, તો બાળ વગેરે ગ્રહણ કરે કે ન કરે, તો પણ કર્મબંધ થાય છે. || 9 ||
દ્વાદશાંગીના રહસ્યને પામનારા, નિશ્ચયનયનું અવલંબન કરનારા ઋષિઓનું આ પરમ રહસ્ય છે, કે પરિણામ (અધ્યવસાય) એ પ્રમાણ છે. H-9 ||
જ્ઞાન વગેરેનો ઉપગ્રહ થાય એવી ભાવનાથી છંદના કરવી જોઈએ. પણ હું એને આપીશ, તો એ પ્રત્યુપકાર કરશે, કે મારી કીર્તિ થશે, એવી ઈચ્છાથી છંદના ન કરવી જોઈએ. || ૮ ||.
જેને છંદના કરવામાં આવે છે, તેણે પણ આળસથી કે હું તમારા પર પ્રત્યુપકાર કરીશ એવું દેખાડીને ગ્રહણ ન કરવું જોઈએ. “છંદના કરનારને સત્તાગત કર્મોની નિર્જરાનો લાભ થાઓ’ આ જ ભાવનાથી ધીર ગુણોથી યુક્ત મુનિએ ગ્રહણ કરવું જોઈએ. || ૯ ||
Page #45
--------------------------------------------------------------------------
________________
३८
अथ आचारोपनिषद्
९. निमन्त्रणा गुर्वाज्ञयाउगृहीतस्या - शनादेः प्रार्थना तु या । स्वाध्यायादिपरिश्रान्तः, कुर्यादेनां निमवणाम् ।।१।।
स्वाध्यायादिकखिन्नोऽपि, सेवार्थमुद्यमी भवेत् । अविच्छिन्नेच्छभावेन, सिद्धिसाधककर्मसु ॥ २ ॥
..
जिनवचासुधासत्क, परिणतेस्तु सम्भवेत् । निरन्तरमभिलाषो, मोक्षानुष्ठानसन्ततौ ।। ३ ।।
यथा बुभुक्षितस्येच्छा, जातु नोच्छिद्यतेऽशने । तथा मोक्षार्थिनामिच्छा, नोपाये छिद्यते क्षणम् ।। ४ ।।
न योग्यतां विना शस्या, हीच्छाऽप्यौचित्यभङ्गतः । गुरुपृच्छया तां ज्ञात्वा, प्रवर्तेत सदाप्यतः ।। ५ ।।
Page #46
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૯. નિમંત્રણા ગુરુની આજ્ઞાપૂર્વક જે આહારાદિ હજી વહોર્યા નથી, તેની જે પ્રાર્થના કરવી, હું તમારા માટે આહારાદિ લાવું એમ વિનંતિ કરવી, તે નિમંત્રણા સામાચારી કહેવાય. મુનિ સ્વાધ્યાય વગેરેથી થાકી જાય, ત્યારે તેમણે નિમંત્રણા કરવી જોઈએ. || ૧ ||
સાધુ સ્વાધ્યાય વગેરેથી થાકેલા હોય, તો પણ સેવા માટે ઉદ્યમ કરવો જોઈએ. કારણ કે મોક્ષસાધક અનુષ્ઠાનોને આચરવા માટેની તેમની ઈચ્છાનો કદી વિચ્છેદ થતો નથી. || ૨ ||.
જિનવચનરૂપી સુધાની પરિણતિ થાય તો મોક્ષસાધક અનુષ્ઠાનોની શ્રેણિને આચરવાની સતત અભિલાષા થયા કરે. || 3 ||
જેમ ભૂખ્યાને કદી ભોજન કરવાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. તેમ મોક્ષાભિલાષી આત્માને મોક્ષના ઉપાયની ઈચ્છા એક ક્ષણ માટે પણ વિચ્છિન્ન થતી નથી. IIII
એક વાત અહીં ધ્યાનમાં રાખવી, કે જે અનુષ્ઠાન આચરવાની પોતાનામાં યોગ્યતા ન હોય, તેની ઈચ્છા પ્રશસ્ત નથી. કારણ કે તેનાથી ઔચિત્યનો ભંગ થાય છે. માટે હંમેશા ગુરુને પૂછીને યોગ્સાને જાણીને પ્રવૃત્તિ કરવી જોઈએ. | ૫ ||
Page #47
--------------------------------------------------------------------------
________________
अथ आचारोपनिषद् गुर्वाज्ञयाऽकृतेऽपि स्यात्, फलमौचित्यपालनात् । अनाज्ञया कृतेऽपि नो, फलमौचित्यभञ्जनात् ।।६।।
गुर्वाज्ञया प्रवृत्तस्य, श्रद्धया कर्तुमिच्छतः । अदीनस्य भवत्येवं, लाभ एव तपस्विनः ।। ७ ।।
लाभेन योजयन् साधून, हन्ति लाभान्तरायकम् । कुर्वाणस्तत्समाधिं च, सर्वसमाधिमृच्छति ।।८।।
(शार्दूलविक्रीडितम्) चारित्रं प्रतिभग्नतामृतिवशान्, नश्यत्यपाठाच्छ्रुतं, वैयावृत्यरुहं शुभोदयमहो !, नो कर्म नश्येत् क्वचित् । एकस्मिन् महिते मुनौ मुनिजनाः सर्वेऽप्यहो ! पूजिता, दृष्टान्तं भरतादयोऽत्र बहव-स्तस्माद् यतीन् तर्पय । ।
Page #48
--------------------------------------------------------------------------
________________
અથ આયારોપનિષદ્ ગુરુ અમુક અનુષ્ઠાન કરવાની ના પાડે, તો તે ન કરવા છતાં પણ ફળ મળે છે, કારણ કે તેનાથી ઔચિત્યનું પાલન થાય છે અને ગુરુની આજ્ઞા વિના તો તે અનુષ્ઠાન કરે, તો પણ તેનું ફળ મળતું નથી. કારણ કે તેનાથી ઔચિત્યનો ભંગ થાય છે. || 9 ||
જે ગુર્વાજ્ઞાથી પ્રવૃત્ત થાય છે, અને ભક્તિની અભિલાષાથી કરવા ઈચ્છે છે, તેમને કદાચ વહોરવા ગયા પછી વસ્તુ ન મળે તો ય તે અદીન તપસ્વીને તો લાભ જ છે. || ૭ ||
જે સાધુઓને પ્રતિલાલે છે (આહારાદિ આપે છે), તે લાભાંતરાય કર્મનો ક્ષય કરે છે. અને જે તેમને સમાધિ આપે છે, તે સર્વ પ્રકારની સમાધિને પ્રાપ્ત કરે છે. || ૮ ||.
ચારિત્ર એ પ્રતિભગ્નતાથી (દીક્ષા છોડી દેવાથી) કે મરણથી નાશ પામે છે. શ્રત એ પરાવર્તન ન કરવાથી નાશ પામે છે. પણ વૈયાવચ્ચેથી ઉપાર્જિત કરેલ શુભ પરિણામવાળું કર્મ નાશ પામતું નથી. એક મુનિને પૂજવાથી સર્વ મુનિઓની પૂજા (ભક્તિ) કરવાનો લાભ મળે છે. સાધુસેવાના ઉત્તમ ફળના વિષયમાં ભરત ચક્રવર્તી વગેરે ઘણા દષ્ટાંતો છે, માટે મુનિઓની આહાર-પાણી વગેરેથી ભક્તિ કરવી જોઈએ. | ૯ ||.
Page #49
--------------------------------------------------------------------------
________________
४२
अथ आचारोपनिषद
१०. उपसम्पद् ज्ञानाद्यर्थमन्यगच्छ - सूरिप्रभृतिसेवनम् । उपसम्पदिति ख्याता, इत्वरकालीना च सा ।। १ ।।
ज्ञानदर्शनचारित्र-भेदादेषा त्रिधा मता । ज्ञाने तु वर्त्तना सन्धि-र्ग्रहणं चेत्यपि विधा ।। २ ।।
त्रितयं तच्च सूत्रार्थो - भयगतं निरूपितम् । दर्शनेऽप्येवमेवैषा, ज्ञेया नवविधा तथा ।। ३ ।।
वर्त्तना तु स्थिरीकारः, सन्धना घटना मता । प्रदेशान्तरनष्टस्य, ग्रहणं तु नवग्रहः ॥ ४ ॥
चारित्रार्थं सूरेः कश्चिद्, वैयावृत्यं प्रपद्यते । ईत्वरो वा भवेद् यावत् - कथिकोऽप्यथवा तु सः ।।५।।
Page #50
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
૧૦. ઉપસંપદા જ્ઞાન વગેરે માટે અન્ય ગચ્છના આચાર્ય વગેરેની ઉપાસના કરવી, એ ઉપસંપદા સામાચારી તરીકે પ્રસિદ્ધ છે. આ સામાચારી અમુક સમય પૂરતી હોય છે. ll૧II
Uા
જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી એ ત્રણ પ્રકારે છે. જ્ઞાનના વિષયમાં વર્તના, સંધાન અને ગ્રહણ એમ ત્રણ પ્રકારે છે. || ૨ ||
આ ત્રણ પણ સૂત્ર, અર્થ અને તદુભયના વિષયમાં છે. આ રીતે દર્શનના વિષયમાં પણ (૩ X ૩) નવ પ્રકારની આ સામાચારી સમજવી. || 3 ||
' વર્તનાનો અર્થ છે સ્થિરીકરણ. સંધનાનો અર્થ છે જે અમુક અંશો તૂટી ગયા હોય-ભૂલાઈ ગયા હોય, તેનું અનુસંધાન કરવું. અને ગ્રહણ એટલે અપૂર્વ-નવું ભણવું. || 8 ||
કોઈ મુનિ યાત્રિ માટે આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે છે. તે અમુક સમય માટે કે આજીવન પણ હોય છે. | ૫ |
Page #51
--------------------------------------------------------------------------
________________
४४
अथ आचारोपनिषद
तथैव तपसे कश्चि - दुपसम्पदमृच्छति । विकृष्टक्षपकस्स स्या - दविकृष्टतपास्तु वा ॥ ६॥
यदर्थमुपसम्पन्न- स्तमर्थं न करोति यः । स्मारणा क्रियते तस्य, ततोऽपि च विसर्जनम् ।। ७ ।।
यद्वा समाप्तिमानीते, प्रतिपन्नप्रयोजने । स्मारणा क्रियते तस्य ततोऽपि च विसर्जनम् ॥ ८ ॥
(उपजाति) निरूपितेयं श्रमणोपसम्पद्, निगद्यतेऽथ सगृहोपसम्पद् । नावग्रहे केनचिदप्यदत्ते, स्थेयं तृतीयवतरक्षणार्थम् ॥७९॥
Page #52
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્ તે જ રીતે કોઈ તપ માટે ઉપસંપદા સ્વીકારે છે, તે વિકૃષ્ટ (અઠમથી વધુ) તપ કરનારા હોય, કે અવિકૃષ્ટ તપ કરનારા હોય. || 9 ||
જે મુનિએ જેના માટે ઉપસંપદા લીઘી હોય, તે મુનિ તે વસ્તુ ન કરે તો તેમને સ્મરણ કરાવવામાં આવે. છતાં પણ ન કરે, તો તેમને વિદાય આપવામાં આવે. || ૭ ||.
અથવા તો જે પ્રયોજનથી ઉપસંપદા લીધી હોય, તે પ્રયોજન પૂરું થઈ જાય, ત્યારે તે મુનિને સ્મરણ કરાવવામાં આવે છે, અને પછી વિદાય આપવામાં આવે છે. || ૮ ||
આ રીતે શ્રમણ-ઉપસંપદા કહી. હવે ગૃહસ્થ-ઉપસંપદા કહેવાય છે. તેની વિધિ આ છે કે જે અવગ્રહ (ઉતારો) કોઈએ આપ્યો ન હોય ત્યાં ન રહેવું જોઈએ. જેનો અવગ્રહ હોય તેની રજા માંગીને ત્યાં રહેવું જોઈએ. કારણ કે આ રીતે ત્રીજા મહાવતની રક્ષા થાય છે. II II
Page #53
--------------------------------------------------------------------------
________________
४६
अथ आचारोपनिषद्
:: उपसंहारः ::
(मन्दाक्रान्ता)
सामाचारी - मिति दशविधा मागमोक्तां निशम्य, आराध्येयं, ह्युचितसमये, साधुभिः साधु नित्यम् 1 एतत्सेवा, वितरति यथा - ख्यातचारित्रवित्तं, यस्य प्राप्त्या, भवति सफला, प्राप्तकल्याणबोधिः ॥
इति चरमतीर्थपति - करुणासागर - श्रीमहावीरस्वामिशासने श्री अंधेरी गुजराती जैन सङ्घ- श्री आदिपार्श्वचैत्यसान्निध्ये मुनिरसाम्बरनयने (२०६७) वैक्रमेऽब्दे
फाल्गुन- कृष्ण एकादश्यां तपागच्छीयाचार्यदेव-श्रीमद्विजयप्रेम- भुवनभानु- पद्म
हेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यविजयकल्याणबोधिसूरिसंवर्णिता दशविधसामाचारीरहस्यनिरूपिका
नवनिर्मिता संस्कृतप्रकरणरूपा आचारोपनिषद्
Page #54
--------------------------------------------------------------------------
________________
અથ આચારોપનિષદ્
४७
૨ ઉપસંહાર જ આ રીતે આગમમાં કહેલી દશ પ્રકારની સામાચારી સાંભળીને સાધુઓએ હંમેશા ઉચિત સમયે તેની સમ્યક આરાધના કરવી જોઈએ. આ સામાચારીઓની આરાધના યથાખ્યાત ચારિત્ર-સંપત્તિનું અર્પણ કરે છે. જેની પ્રાપ્તિ દ્વારા આપણને મળેલ દુર્લભ કલ્યાણબોધિ (સમ્યમ્ દર્શન, સમ્યજ્ઞાન) સફળ થાય છે.
ઈતિ ચરમ તીર્થપતિ - કરુણાસાગર - શ્રી
મહાવીરસ્વામિશાસને શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - - શ્રી આદિ- પાર્શ્વચેત્ય સાન્નિધ્ય
વિ. સં. ૨૦૧૭ ફાગણ વદ ૧૧ દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય-પ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ સંવર્ણિતા દશવિઘ સામાચારી રહસ્ય નિરૂપિકા નવનિર્મિત સંસ્કૃતપ્રકરણરૂપા
આયારોપનિષદ્
Page #55
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીઓને દિગ્દર્શન
૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
નામાં પ્રયાસમાં – જ્ઞાન એ પ્રકાશક છે. પ્રકાશ વિના પ્રાયઃ એક જ ક્રિયા થતી હોય છે - ઉંઘવાની. મોહનિદ્રાને ખંખેરી નાખવાનું અમોઘ સાધન છે જ્ઞાન. માટે જ તો પ્રભુએ પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાની આજ્ઞા ફરમાવી છે. સાધક આત્માઓને આ આજ્ઞાના પાલન માટે ચોક્કસ દિગ્દર્શનની આવશ્યકતા અનુભવાય છે. માર્ગદર્શન અને લક્ષ્ય વિના તેમના સમય-શક્તિનો ઓછો-વત્તો વેડફાટ પણ થતો હોય છે. માટે અમે એવા દિગ્દર્શન માટે અલ્પ પ્રયાસ કર્યો છે. અત્રે સૂચિત ગ્રંથો સિવાયનું સાહિત્ય અનુપયોગી છે, એવું ન સમજવું. વિશિષ્ટ ઉપયોગી ગ્રંથ રહી ગયા લાગે, તો અમારું ધ્યાન દોરવા વિનંતિ.
આજની પ્રચલિત પદ્ધતિમાં સંસ્કૃતાદિ અભ્યાસ પછી મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સિદ્ધાન્તલક્ષણ... એમ નવ્યન્યાયઅનુમાનખંડમાં આગળ વધવામાં આવે છે. તેમાં અમૂલ્ય અભ્યાસકાળનો મોટો ભાગ જતો રહે અને તેના
Page #56
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
४९ કરતા અનેકગણા ઉપયોગી ગ્રંથોનો અભ્યાસ અભરાઈએ ચડી જાય, એવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં આ દાર્શનિક અભ્યાસ ન કહી શકાય. કારણ કે એ ગ્રંથોમાં છ દર્શનના નામ પણ જાણી શકાતા નથી. વર્તમાન પદ્ધતિમાં એટલો ફેરફાર કરવો આવશ્યક લાગે છે, કે અત્રે પ્રસ્તુત કરેલ સૂચિમાં જ્યાં નબન્યાયનો ક્રમાંક આવે છે, તેની પૂર્વના ગ્રંથોના અભ્યાસ બાદ જ નબન્યાયઅનુમાનખંડનો અભ્યાસ તેના જિજ્ઞાસુઓ કરે. પ્રાચીનન્યાયનો અભ્યાસ પ્રાચીન શાસ્ત્રોના અધ્યયન માટે પૂરતો છે. તેમાં નવ્ય ન્યાયની કોઈ આવશ્યકતા નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
५०
પરિશિષ્ટ
પ્રારંભિક અભ્યાસ ગ્રંથો|| ષોડશક પ્રકરણ પંચપ્રતિક્રમણ સૂત્ર
અષ્ટકપ્રકરણ નવસ્મરણ
યોગશતક ૪ પ્રકરણ
બૃહત્સંગ્રહણી ૩ ભાષ્ય
| વ્યાકરણ - અભ્યાસ ૬ કર્મગ્રંથ
ભાંડારકર - સંસ્કૃતની બે બુક તત્વાર્થસૂત્ર
શિવલાલ - સંસ્કૃતની ત્રણ બુક દશવૈકાલિકસૂત્ર
સિદ્ધહેમશબ્દાનુશાસન
ન્યાયસંગ્રહ કંઠસ્થ કરવા યોગ્ય
ધાતુપાઠ અન્ય ગ્રંથો
પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલા વૈરાગ્યશતક ઈન્દ્રિયપરાજયશતક
કોષ - અભ્યાસ પંચસૂત્ર
ધનંજય નામમાલા જ્ઞાનસાર
અભિધાન ચિંતામણિ નામમાલા વીતરાગસ્તોત્ર
| છંદ-અલંકાર અભ્યાસ શાંતસુધારસ
છંદોડલંકારનિરૂપણ યોગશાસ્ત્ર (૧-૪ પ્રકાશ) ઉપદેશમાલા
કાવ્યાભ્યાસ પ્રશમરતિ
સકલાઉત્ સ્તોત્ર યોગસાર
ભક્તામર સ્તોત્ર અધ્યાત્મકલ્પદ્રુમ
કલ્યાણમંદિર સ્તોત્ર ઉત્તરાધ્યયનસૂત્ર
તિલકમંજરી અધ્યાત્મસાર
હીરસૌભાગ્યમ્
Page #58
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર || દાર્શનિક અભ્યાસ | સિદ્ધાન્તમહોદધિ, ભુવનભાનવીયમ પ્રમાણનયતત્ત્વાલોક ? રઘુવંશ (બે સર્ગ)
રત્નાકરાવતારિકા કિરાતાર્જુનીયમ્ (બે સર્ગ)
સ્યાદ્વાદમંજરી કાદંબરી (શુકનાસોપદેશ સુધી) |ષડ્રદર્શનસમુચ્ચય શિશુપાલવધ (બે સગ)
પ્રમાણમીમાંસા | સંસ્કૃત-પ્રાકૃત વાંચન
ન્યાયાવતાર ધન્ય ચરિત્ર
સ્યાદ્વાદરત્નાકર
સન્મતિતર્ક સુલભચરિત્રાણિ શાંતિનાથચરિત્રમહાકાવ્યમ્
અનેકાંતવાદપ્રવેશ
અનેકાંત જયપતાકા સમરાઈશ્ચકહા સિરિવાલકહા .
દ્વાદશાર નયચક્ર --
ન્યાયદર્શન-મુક્તાવલિ | કર્મશાસ્ત્ર - અભ્યાસ | બૌદ્ધદર્શન-ન્યાયબિંદુ ૬ કર્મગ્રંથ ટીકા
સાંખ્યદર્શન-સાંખ્યતત્ત્વકૌમુદી કર્મપ્રકૃતિ
વેદાંતદર્શન-સિદ્ધાન્તબિંદુ પંયસંગ્રહ
ચાર્વાકદર્શન-તત્ત્વોપદ્ધવસિંહ કસાયપાહુડ
મીમાંસકદર્શન-મીમાંસાન્યાયપ્રકાશ ગોમટસાર
ન્યાયકુસુમાંજલિ સત્પદાદિપ્રરૂપણા
આત્મતત્ત્વવિવેક ઉપશમનાકરણ
સર્વદર્શનસંગ્રહ ખવગસેઢિ
વ્યુત્પત્તિવાદ (નવ્યન્યાયશૈલીમય વ્યાકરણસંબંધી ગ્રંથ)
Page #59
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
TI,
પંચનિગ્રંથી પ્રકરણ ગાંગેયભંગ પ્રકરણ પ્રકીર્ણકસૂત્રાણિ
દિગંબરીય ન્યાય-તર્કશાઆભ્યાસ પ્રમેયકમલમાર્તડ ન્યાયકુમુદચંદ્ર અષ્ટસહસ્ત્રી ન્યાયવિનિશ્ચય સિદ્ધિવિનિશ્ચય સર્વાર્થસિદ્ધિ રાજવાર્તિક શ્લોકવાર્તિક
| પ્રકરણ-અભ્યાસ બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ લોકપ્રકાશ જીવસમાસ ગુણસ્થાનક્રમારોહ સમવસરણ પ્રકરણ દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ લોકનાલિકા દ્વાચિંશિકા પ્રવચનસારોદ્ધાર સિદ્ધપ્રાભૂત સિદ્ધપંચાશિકા અંગુલસપ્તતિ કાલસપ્તતિકા
આગામિક અભ્યાસ ૪૫ આગમ સટીક કલ્પસૂત્ર ઋષિભાષિતસૂત્ર તીર્થોત્રાલિકપ્રકીર્ણક અંગચૂલિકાસૂત્ર વર્ગચૂલિકાસૂત્ર સારાવલી પ્રકીર્ણક
જ્યોતિષ્કરંડકપ્રકીર્ણક નિગોદષáિશિકા બંધષáિશિકા પુદ્ગલષત્રિશિકા પંચલિંગી પ્રકરણ
વૈરાગ્યમય વાંચન ઉપમિતિભવપ્રપંચકથા ભવભાવના અધ્યાત્મકલ્પદ્રુમ કુવલયમાલા કુલકસંગ્રહ
Page #60
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વરૂ પ.પૂ. શ્રી હરિભદ્રસૂરિ | હિંસાષ્ટક
મહારાજાના ગ્રંથો | સમ્યક્તસપ્તતિકા પંચસૂત્ર ટીકા
પૂ. મહો. યશોવિજયજી પંચવસ્તક
મ.સા.ના ગ્રંથો પંચાશક
સમાધિસાગદ્વાબિંશિકા ઉપદેશપદ
સામાચારી પ્રકરણ ધર્મબિંદુ
જ્ઞાનસાર ષોડશક
અધ્યાત્મસાર અષ્ટક
ગુરુતત્ત્વવિનિશ્ચય યોગબિંદુ
માર્ગપરિશુદ્ધિ યોગશતક
ધર્મપરીક્ષા વિંશતિવિંશિકા
પ્રતિમાશતક યોગદષ્ટિસમુચ્ચય
ઉપદેશરહસ્ય લલિતવિસ્તરા
યતિલક્ષણસમુચ્ચય તત્ત્વાર્થવૃત્તિ
વૈરાગ્યકલ્પલતા શ્રાવકધર્મવિધિ
અધ્યાત્મમતપરીક્ષા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય
આરાધક-વિરાધકચતુર્ભગી નાનાચિત્તપ્રકરણ
દ્વાદિંશદ્ દ્વાચિંશિકા જ્ઞાનપંચકવિવરણ
જ્ઞાનાર્ણવ ધૂર્તાખ્યાન
જ્ઞાનબિંદુ લોકતત્ત્વનિર્ણય
નિભાભક્તદોષ સંબોધપ્રકરણ
અસ્પૃશદ્ગતિવાદ ધર્મસંગ્રહણી
દેવધર્મપરીક્ષા સર્વજ્ઞસિદ્ધિ
Page #61
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પરમજ્યોતિપચ્ચીશી વિશષશતક પરમાત્મપચ્ચીશી
કર્મસિદ્ધિ અધ્યાત્મોપનિષદ્
વંદાવૃત્તિ કૂપદષ્ટાંતવિશદીકરણ સંબોધસપ્તતિ સિદ્ધસહસ્રનામકોષ
પ્રવજ્યાવિધાન આર્ષભીયચરિત
તત્વાર્થસિદ્ધસેની વિજયોલ્લાસ મહાકાવ્ય યતિદિનચર્યા
શ્રાદ્ધવિધિપ્રકરણ અન્ય પરીશીલનીય ગ્રંથો
શ્રાદ્ધદિનકૃત્ય ધર્મસંગ્રહ
પુષ્પમાલા યોગશાસ્ત્ર
સંઘાચાર ભાગ શ્રાવકપ્રજ્ઞપ્તિ
હીરપ્રશ્ન ષષ્ટિશતક
સેનાપ્રન યુક્તિપ્રબોધ
વિવિધ ચરિત્ર ગ્રંથો દર્શનશુદ્ધિ હધ્યપ્રદીપ
દિગંબરીયા પૂજાપ્રકરણ
આધ્યાત્મિક ગ્રંથો પ્રશમરતિ
સમયસાર ઉપદેશમાલા
નિયમસાર ઉપદેશરત્નાકર
પંચાસ્તિકાયસાર સિદ્ધસેની દ્વાચિંશિકાઓ
યોગસારપ્રાભૃત પિંડવિશુદ્ધિ
જ્ઞાનાર્ણવ નમસ્કાર સ્વાધ્યાય
સમાધિતંત્ર/સમાધિશતક અનીતિ
પુરુષાર્થસિક્યુપાય
Page #62
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
કાર્તિકેયાનુપ્રેક્ષા
સપ્તભંગીનયપ્રદીપ ઈષ્ટોપદેશ
સ્યાદ્વાદકલ્પલતા સબોધચન્દ્રોદય (શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિ). નવ્યવ્યાય-અનુમાન ખંડ
ન્યાયખંડખાધ
નયોપદેશ વ્યાતિપંચક
અનેકાંતવ્યવસ્થાપ્રકરણ સિદ્ધાન્તલક્ષણ સામાન્યલક્ષણા
પરદર્શનીય સામાન્ય નિરુક્તિ
આધ્યાત્મિક ગ્રંથો અવચ્છેદકનિરુક્તિ
ભગવદ્ગીતા પક્ષતા
અષ્ટાવક્રગીતા સવ્યભિચાર
અવધૂતગીતા વ્યધિકરણ
ભર્તુહરિનિર્વેદ તર્ક પ્રકરણ
દશશ્લોકી મહામહોપાધ્યાય શ્રી |
ઉપનિષૉંગ્રહ(૨૫૦ ઉપનિષદો) યશોવિજયજી મ.સા.
પાતંજલ યોગસૂત્ર ન્યાયગ્રંથો
કંઠસ્થ કરવા યોગ્ય જૈનતર્કભાષા
ગુર્જર કૃતિઓ નયરહસ્ય
આનંદઘનજી ચોવીશી ભાષારહસ્ય
દેવચન્દ્રજી ચોવીશી સ્યાદ્વાદરહસ્ય
યશોવિજયજી ચોવીશી ન્યાયાલોક
જ્ઞાનવિમલસૂરિ ચોવીશી અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ સમકિતના સડસઠ બોલની સઝાય ઉત્પાદાદિસિદ્ધિ વિવરણ
યતિધર્મ બત્રીસી
Page #63
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સવાસો-દોઢસો-સાડા ત્રણસો || સંયમ-ઘડતર ગ્રંથો ગાથાનું સ્તવન
મુનિજીવનની બાળપોથી સમતાશતક
સંવિજ્ઞ સાદુનિયમાવલિ સમાધિશતક
ભુવનભાનુના અજવાળા આનંદઘનજીના પદો
વિશ્વની આધ્યાત્મિક અજાયબી પઠનીય ગુર્જર ગ્રંથો |
સત્ત્વોપનિષદ્
હિતોપનિષદ્ પરમ તેજ
વિરતિદૂત દ્રવ્યગુણપર્યાયનો રાસ જંબૂસ્વામી રાસ અમીચંદની અમીદષ્ટિ સીતાજીના પગલે પગલે
Page #64
--------------------------------------------------------------------------
________________
-યુગો
T
સુધી ઝ
શ્રીભુવનભાનુસૂરિ
જન્મશતાબ્દી વર્ષ
ઝળહળ
૧૯૬૧
golPlat
eleyteel)
{tbenDPJ[ ]]ppe
બાળદીક્ષાસંરક્ષક
૧૯૬૭
Paílle BloJlJ
clinfc pa3e
Yoon tPJhe
શ્રેષ્ઠશ્રમણશિલ્પી
તદેશનાદક્ષ
પ્રવચનપ્રભાવક
વધુ 1751;
વર્ષે
ભુવનભાનુનાં
વૈરાગ્યવારિધિ
2010
સુવિશુદ્ધસંયમી
ગુરુકૃપાપાત્ર
PJtâJJ
અધ્યાત્મયોગી
સુવિશાળ ગચ્છાધિપતિ
વર્ધમાન તપોનિધિ
અપ્રમત્તસાધક
નિર્યામણાનિપુણ
ન્યાયવિશારદ
અજવાળાં
સંઘહિતચિંતક
ભાવભીની
M
શ્રદ્ધાંજલિ
૨૦૧૭
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂરિ પરિષહોમાં
પ્રેમના જમણા હાથ સમાન
કેન્સરની
સમતાસાગર પં. શ્રી પદ્મવિજરાજી ગણિવચ્
પરમ
નિરીહતાનિરધિ
સમતા.
યાતનામાં
સ્વર્ગારોહણ-અર્ધશતાબ્દી વર્ષે ભાવભીની
ય.
૨૦૧૭
સાધના
માસક્ષમણની
વિરાટ સમુદાય સંયમ શિલ્પી
૨૦૬૭
કલિકાળના એક મહાસાધક
શ્રદ્ધાંજલિ
શાસ્ત્રસમુદ્રના પારગામી
તિતિક્ષાની એક પરાકાષ્ઠા
Page #66
--------------------------------------------------------------------------
________________
अथ प्रशस्तिः श्रीमते वीरनाथाय, कारुण्यपुण्यपाथसे । चरमतीर्थनाथाय, परोपकारिणे नमः ||१|| गौतमस्वामिने स्वस्ति, सुधर्मस्वामिने नमः | तत्परम्परयाऽऽयात-यतीन्द्रेभ्यो नमो नमः ||२|| शुभ्राभ्रशुभ्रसन्तत्या-मेतस्यामभवत् किल । विजयानन्दसूरीशः, सुरीशसेव्यतां गतः ||३|| ततोऽपि कमलः सूरिः, संयमकमलाकरः | उपाध्यायस्तथा वीरो, वीर आन्तरविग्रहे ||४|| सर्वागमरहस्यज्ञ-स्ततो दानसूरीश्वरः | ततोऽपि प्रेमसूरीशः, सिद्धान्तैकमहोदधिः ||५|| भुवनभानुसूरीश-स्ततो न्यायविशारदः । पंन्यासोऽस्यानुजः पद्मः, समतारससागरः ||६|| विराजते विनेयोऽस्य, मादृशेषु कृपापरः । वैराग्यदेशनादक्षः, श्रीहेमचन्द्रसूरिपः ।।७।। तत्पादपङ्कजालिना, सूरिकल्याणबोधिना । सन्दृब्धोऽयं प्रबन्धस्तु, कुर्यात् सर्वस्य मङ्गलम् ।।८।।
Page #67
--------------------------------------------------------------------------
________________
સુકૃત અનુમોદના શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત - મુંબઈ. શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર
હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા - મુંબઈ (૪) શ્રી સાયરકંવર યાદવસિંહજી કોઠારી પરિવાર
હ, મીનાબેન વિનયચન્દ કોઠારી (૫) હસમુખભાઈ કેસરીચંદ ચૂડગર (ઈન્ટાસ), અમદાવાદ
શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (૧) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર
હ. બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી) (૨) જાગૃતિબેન કૌશિકભાઈ બાવીશી ડાલીની જયકુમાર મહેતા, મહેંક, કાંદિવલી, મુંબઈ.
શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ શ્રી માટુંગા થે.મૂ. જૈન સંઘ - મુંબઈ શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને
શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. (૩) શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ - મુંબઈ (૪) શ્રી નવજીવન શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ
શ્રી કૃતોદ્ધાર આધારસ્તંભ (૧) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ (૨) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા
(પ્રેરક : પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજા) (૩) શ્રી નડિયાદ શ્વે.મૂ. જૈન સંઘ - નડિયાદ
શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમૈત્રીધામ (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ. તપાગચ્છ જૈન સંઘ,
શ્રી જયાલક્ષ્મી આરાધના ભવન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ
(૧)
Page #68
--------------------------------------------------------------------------
________________
(૬) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સાયન (શિવ), મુંબઈ
શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ,
હ. શ્રી આદિનાથ જૈન સંઘ, નિઝામપુરા, વડોદરા. (૮) શ્રી રિદ્ધિ સિદ્ધિ વર્ધમાન હાઈટ્સ . મૂ. જૈન સંઘ, | ભાયખલા, મુંબઈ. (પ્રેરક : પ.પૂ.મુ. શ્રી જિનપ્રેમવિજયજી મ.)
શ્રી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, પૂના,
(પ્રેરક : પૂ.પં. શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય) (૧૦) શ્રી મુલુંડ થે.મૂ. તપાગચ્છ સમાજ, મુંબઈ
(પ્રેરકઃ પૂ.પં.શ્રી હિરણ્યબોધિવિ. ગણિ, પૂ.મુ. શ્રી હેમદર્શનવિ.મ.) (૧૧) શ્રી વિક્રોલી સંભવનાથ જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈ
(પ્રેરકઃ પૂ.મુ. શ્રી યશકલ્યાણવિ. મ., મુ. શ્રી તીર્થપ્રેમવિ. મ.) (૧૨) શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાનનગરનો ટેકરો, અમદાવાદ.
(પ્રેરક : પૂ.આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા.) (૧૩) શ્રી આદીશ્વરજી મહારાજ મંદિર ટ્રસ્ટ, શ્રી દશા ઓસવાળ સિરોહીયા,
સાથ ગોટીવાળા, ધડા, પૂના. (પ્રેરક : પૂ.મુ. શ્રી અભયરત્નવિ. મ.) (૧૪) શ્રી ગોડીજી ટેમ્પલ ટ્રસ્ટ, પૂના
(પ્રેરક : પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.) (૧૫) આ. શ્રી હેમપ્રભસૂરિજીની આચાર્ય પદવી પ્રસંગે
કસ્તુરધામ પાલીતાણા. (પ્રેરક : પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ.સા.)
- શ્રી શાસન સુકૃત રજતસ્તંભ (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ,
નવરંગપુરા, અમદાવાદ. (હ. શ્રી શ્રેણીકભાઈ કસ્તૂરભાઈ)
૨)
(શ્રુતસમુદ્ધારક) ભાણબાઇ નાનજી ગડા, મુંબઇ, (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાલા બાબુભાઇ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ.
૮)
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પ.પૂ. આચાર્યદેવ
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૧૦) શ્રી સાંતાક્રુઝ શ્વેતાં. મૂર્તિ તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઇ. (પ.પૂ. આચાર્યદેવ
શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૧) શ્રીદેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજ શ્રી
સંયમબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) ૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત.
(પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.
સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩) બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઇ-૬.
| (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી
મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ. તથા
પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ.
આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સૌભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (વૈરાગ્યદેશનાદેક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ, (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન
આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય
શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ
જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી માટુંગા જૈન શ્વેતાં. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઇ. ૨૫) શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી)
૨ ૧)
૨૩)
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૬)
૨૭) ૨૮)
૨૯)
૩૦)
૩૧)
૩૨)
૩૩)
૩૪)
શ્રી વિશા ઓશવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪00 009. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં. ૨૦૧૩ના પાલિતાણા મથે ચાતુર્માસ પ્રસંગે જ્ઞાનનિધિમાંથી) શ્રી સીમંધરજિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ), મુંબઇ. (મુનિરાજશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઇ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઇ. (મુનિરાજશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ. સંઘ, ગોરેગાવ, મુંબઈ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. સા. શ્રી ઈદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઇ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા .પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી કોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર.
૩૫)
૩૬)
૩૮)
૩૯)
૪૦)
૪૧)
૪૨)
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૩) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.)
શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ.
(પૂ. મુનિરાજશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી)
૪૫)
જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ. ૪૬) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે)
૪૭) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી સત્યસુંદર વિ. મ.સા.ની પ્રેરણાથી)
૪૮) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ. (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા.)
શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઇ.
શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરક-મુનિરાજ શ્રી સત્ત્વભૂષણવિજયજી મ.)
૫૧) શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ મુંબઇ. (પ્રેરક : પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.)
૫૨) શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ.
૫૩)
શ્રી વાડિલાલ સારાભાઇ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ
(પ્રેરક : મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસ શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈન સંઘ. (પ્રેરકઃ પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.)
૪૪)
૪૯)
૫૦)
૫૪)
૫૫)
શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક-મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર)
૬૨)
૫૬)
૫૭) શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ
(પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.) ૫૮) શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
૫૯)
૬૦)
૬૧)
સા. શ્રી સૂર્યયશાશ્રીજી તથા સા. શ્રી સુશીલયશાશ્રીના પાર્લા (ઈ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી.
વિજયજી ગણિવર્ય)
શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક-પૂ.મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી મ.)
શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક - પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યરત્નવિજયજી ગણિ)
શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ
(પ્રેરક - પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય)
શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી પાબલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે ૫. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૩) ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય
મુનિરાજશ્રી જિનેશરત્નવિજયજી મ.) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ),
મુંબઈ. ૬૫) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ-મુંબઇ. ૬૬) શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક-પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી
જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭) શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ. ૬૮) શ્રી વિલેપાર્લા . મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ. ૬૯) શ્રી નેનસી કોલોની જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. 90) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર. (પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના
શિષ્ય મુનિરાજશ્રી ભકિતવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનીલાલ,
દિલીપ, હિતેશ. ૭૧) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ
(પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી ધર્મવર્ધક શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ. પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ
આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૩) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી
જિનેશરત્નવિજયજી મ.સા.) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ.
તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) ૭૫) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ.
મ.) ૭૬) શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા. ૭૭) શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈની આરાધક
બહેનો તરફથી (જ્ઞાનનિધિમાંથી) ૭૮) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક - પ.પૂ. વૈરાગ્યદેશનાક્ષ
આચાર્ય ભ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્ય) ૭૯) શાહ જેસિંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે હ. પ્રકાશચંદ્ર જે. શાહ
(આફિ કાવાળા) (પ્રેરક : પ. કલ્યાણબોધિ વિ. ગણિવર)
૭૪)
Page #73
--------------------------------------------------------------------------
________________
८४) श्रासान
૮૮)
૮૦) શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરીટેબલ ટ્રસ્ટ, ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ. ૮૧) શ્રી નવા ડીસા શ્વે.મૂ.પૂ. જૈન સંઘ (બનાસકાંઠા) ૮૨) શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્ય.) શ્રી ઉઝા જૈન મહાજન (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ.
(પ્રેરક - પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫) શ્રી બાપુનગર શ્વે. મૂ. જૈન સંઘ, અમદાવાદ. ૮૬) શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ,
શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ. (પ્રેરક- સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.) શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રેરક - આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી
મ.સા.) ૮૯) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા એવં શ્રી શ્રેયસ્કર મંડલ, મહેસાણા.
શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વિરમગામ (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૧) શ્રી મહાવીર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ ૯૨) શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩) શ્રી ચકલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૪) શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા શ્રી ફૂલચન્દ કલ્યાણચંદ ઝવેરી
ટ્રસ્ટ, સુરત ૯૫) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, બાવર (રાજસ્થાન) (પ્રેરક :
આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬) પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ), (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે.મૂ.જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક
પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૮) શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વે.), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી
હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી
(પ.પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની
સ્મૃતિમાં) ૧૦0) શ્રી કુંદનપુર જૈન સંઘ, કુંદનપુર - રાજસ્થાન, હ. શ્રી શાંતિલાલજી મુથા.
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃતં મોનનમ...
પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય
આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ -સાનુવાદ, સવાર્તિક. ૩. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમસાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ,
સવાર્તિક. ૭. છંદોલંકારનિરૂપણમ્ -કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ ડાયરી. ૮. તત્ત્વોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, ૯. વાદોપનિષદ્ - અષ્ટમી, નવમી, અષ્ટાદશી ૧૦. વેદોપનિષદ્ - દ્રાવિંશિકા પર સંસ્કૃત વૃત્તિ - સાનુવાદ. ૧૧. શિક્ષોપનિષદ્ - | ૧૨. તવોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ તથા
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત
અદ્ભુત સ્તુતિઓના રહસ્ય -સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ.
(માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા. ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત
પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ,
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૬. આર્ષોપનિષદ્-૧ ૧૭. આર્યોપનિષદ્-૨
૧૮. વૈરાગ્યોપનિષદ્
૧૯. સૂક્તોપનિષદ્ -
૨૦. કર્મોપનિષદ્ -
૨૧. વિશેષોપનિષદ્ -
૨૨. હિંસોપનિષદ્ -
૨૩. અહિંસોપનિષદ્ -
૨૪. ધર્મોપનિષદ્ -
૨૫. શમોપનિષદ્ - ૨૬. લોકોપનિષદ્ -
૨૭. આત્મોપનિષદ્ -
૨૮. સામ્યોપનિષદ્ -
૨૯. આગમોપનિષદ્ -
શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત (ઈસિભાસિયાઈ) આગમસૂત્રપર સંસ્કૃત
ટીકા.
શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તૃહરિનિર્વેદ
નાટક-ભાવાનુવાદ.
પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય
તથા રહસ્યાનુવાદ. સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ.
શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સ્વોપજ્ઞ અવસૂરિ અલંકૃતહિંસાષ્ટક ગ્રંથ ૫૨ ગુર્જર ટીકા. અજ્ઞાતકર્તૃક (પ્રવાદત: શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ ૫૨ સંસ્કૃત ટીકા-સાનુવાદ.
વેદથી માંડીને બાઇબલ સુધીના
ધર્મશાસ્ત્રોના રહસ્ય.
નવનિર્મિત સપ્તક પ્રકરણ -સાનુવાદ.
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લોકતત્ત્તનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧).
શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧).
મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાત્રિંશિકા સચિત્ર સાનુવાદ.
વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પરવિશદ વિવરણ.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૦. સ્તોત્રોપનિષદ્ -
૩૧.) દર્શનોપનિષદ્ -
૩૨.|
૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો
૩૬. જ્ઞાનોપનિષદ્૩૭. સંબોધોપનિષદ્
૩૮.
૩૯. ઈષ્ટોપનિષદ્ -
શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર -સચિત્ર સાનુવાદ.
શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ટીકા. ભાગઃ ૧-૨
રામાયણી માટે પર્યાપ્ત
૪૦. વિમોહોપનિષદ્ -
૪૧.
આલંબન. ભાગ-૧-૨-૩.
અષ્ટાવક્ર ગીતા ૫૨ સંસ્કૃત વૃત્તિ. સટીક શ્રી રત્નશેખરસૂરિ કૃત સંબોધસપ્તતિ ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગઃ ૧-૨
શ્રી પૂજ્યપાદસ્વામિષ્કૃત ઈષ્ટોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ.
શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય
નાટક પર વિષમપદ વ્યાખ્યા અને
અનુવાદ. ભાગઃ ૧-૨
૪૨. શ્રામણ્યોપનિષદ્ - દર્શવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણશતક).
૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય ગુર્જર ગ્રંથ.
૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ
રસઝરણા.
૪૫. સૂત્રોપનિષદ્ -
શ્રીસૂત્રકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે.
૪૬. પ્રવ્રજ્યોપનિષદ્ -અજ્ઞાતકર્તૃક પ્રવ્રજ્યાવિધાન ૫૨ ગુર્જર
વૃત્તિ.
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના
વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ -ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
અસ્પૃશદ્ગતિવાદ પર ગુર્જર વૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના
યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક+સાનુવાદ
સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદે શરત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ
સાનુવાદ. પ૨. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ
સાનુવાદ. ૫૩. સબોધોપનિષદ્ - સંબોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત
સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ ૫૫.
શ્રી અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ
ભાગ-૧-૨ ૫૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ
શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. પ૭. આગમની આછી ઝલક ૪૫ આગમ સંક્ષિપ્ત પરિચય ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન
સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આઈ આઈ રે અંજનશલાકા - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે
આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક
વિવરણ ગ્રંથ પર નૂતન સંસ્કૃત વૃત્તિ.
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની
મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ, સાનુવાદ ૬૩. પ્રથમોપનિષદ્ - રત્નાકર પચ્ચીશી-પ્રાચીન ટીકા આદિ
વિશિષ્ટ કૃતિઓનું પ્રથમ પ્રકાશન. ૬૪. અહનામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત
કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ
+ સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ
કૃતિઓ-સચિત્ર સાનુવાદ, ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર
સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ
સાનુવાદ ૬૮. શંખેશ્વર સ્તોત્ર- મહો. યશોવિજયજી મહારાજાની કૃતિ,
સચિત્ર-સાનુવાદ. ૬૯. દાનાદિપ્રકરણ - શ્રી સૂરાચાર્યકૃત પ્રકરણ, ત્રુટિતકાવ્યપૂર્તિ +
અનુવાદ સહ. ૭૦. ધ્યાનોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનો
સંસ્કૃત તાત્પર્યાનુવાદ. ૭૧. પંચસૂત્રોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
લિખિત ઉચ્ચ પ્રકાશના પંથે પુસ્તકનો
સંસ્કૃત તાત્પર્યાનુવાદ. ૭૨. પૂર્વોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર
અંતર્ગત પૂર્ણાષ્ટક સચિત્ર - સાનુવાદ.
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૩. મગ્નોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર
અંતર્ગત મગ્નાષ્ટક સચિત્ર - સાનુવાદ. ૭૪. ગૌતમાષ્ટક - પૂર્વાચાર્યકૃત મહાપ્રભાવક કૃતિ સચિત્ર -
સાનુવાદ, ૭૫. વીરોપનિષદ્ - શ્રીભદ્રબાહુસ્વામીકૃત કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ
વીરનું સ્વરૂપ સચિત્ર - સાનુવાદ. ૭૬. આચારોપનિષદ્ - દેશ સામાચારી વિષયક નવનિર્મિત સંસ્કૃત
પ્રકરણ – સાનુવાદ. ૭૭ થી ૧૨૫
અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ આનંદઘનની આત્માનુભૂતિ પ્રણીત આધ્યાત્મિક પદ આધારિત
પરિશીલન શૃંખલા (સચિત્ર) .
सचित्र हिन्दी प्रकाशन स्टोरी स्टोरी - मोहक एवं बोधक कहानीओ का
अनोखा संग्रह। डायमंड डायरी - जिस के प्रत्येक पेज पर है अद्भुत हीरे। लाइफ स्टायल - जीवन जीने की... जीतने की कला की
प्रस्तुति । एन्जोय जैनीझम - जैन... प्रसन्नता का पथ ।
Page #80
--------------------------------------------------------------------------
________________ આધ્યાત્મિક આનંદ ચારિત્રની પ સુવાસ રમણતાનું રહસ્ય છે નિશ્ચયગર્ભિત વ્યવહારની પ્રત્યક્ષ અનુભૂતિ મોક્ષપંથના પથિકોનું પરમ પાથેય 0 900 00 0 06 (c)) This is a Jain Saint showed by a Jain Saint ક મા ની TET MULTY GRAPHICS (022) 23873222 423884222