________________
અથ આચારોપનિષદ્ ૨. મિથ્યાકાર
જો કોઈ પણ આચારસ્થાનમાં મુનિથી કાંઇ પણ ખોટું થઇ જાય, તો તે ખોટું છે, એમ જાણીને મિથ્યાકારનો પ્રયોગ કરવો જોઈએ = મિચ્છામિ દુક્કડમ્ દેવું જોઈએ. ||૧||
११
જો પાપ કર્યા પછી અવશ્ય પ્રતિક્રમણ કરવાનું જ છે, તો તેના કરતા બહેતર છે કે પાપ કરવું જ નહીં. અને આ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, કે પાપ કરવું જ નહીં. || ૨ ||
જે ફરીથી પાપ આચરતો નથી, જે મન, વચન, કાયાથી પાપથી પાછો ફર્યો છે, તેનું જ મિચ્છામિ દુક્કડમ્ સાચું છે, એમ શ્રુતમાં કહ્યું છે. II 3 ||
જે મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી પણ ફરીથી તે જ પાપ કરે છે, એ તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, માયા ને પ્રપંચમાં તત્પર છે. || ૪ ||
મિ - શરીર અને મનની મૃદુતાથી
ચ્છા - દોષોનું છાદન કરું છું.
મિ - મર્યાદામાં રહ્યો છું.
૬ - મારા દુષ્ટ આત્માની જુગુપ્સા કરું છું.
દુ