________________
અથ આચારોપનિષદ્
૨૩ ક - હાય ! મેં પાપ કર્યું. ડ - ઉપશમથી તે પાપને ઓળંગી જાઉં છું. '
આ મિચ્છામિ દુક્કડમ્ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ છે. || 9 ||
મિથ્યાકારના પ્રયોગથી જિનાજ્ઞાની આરાધના થાય છે. તેનાથી તીવ્ર સંવેગ થાય છે અને ફરીથી એ પાપ નહીં કરવાનો નિશ્ચય થાય છે. || ૭ ||
જે ઉપરોક્ત અક્ષરોના અર્થને સમ્યફ રીતે જાણે છે, તેને તે તે અર્થ પ્રત્યે વિશિષ્ટ આદર હોય છે. માટે તેને આવા (સંવેગ વગેરે) ભાવનો અવશ્ય ઉલ્લાસ થાય છે. || ૮ |
જે મિચ્છામિ દુક્કડમ્ આપે છે, તેને પાપ પ્રત્યે હેયબુદ્ધિ થાય છે. હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ જાગે છે. તે ફરીથી તે પાપ કરવાનું ટાળે છે. આ રીતે મિચ્છામિ દુક્કડમ્ આપનાર સુખી થાય છે. || ૯ ||