________________
અથ આચારોપનિષદ્
૪. આવશ્યકી ગુર્વાજ્ઞાપૂર્વક શાસ્ત્રનીતિથી મુનિ કોઈ પ્રયોજનથી વસતિ વગેરેની બહાર જાય, ત્યારે “આવશ્યકી’ સામાચારી સમજવી જોઈએ. || ૧ ||
સાધુને તો તેનું પ્રયોજન હોય, કે જે રત્નત્રયીનું સાધક હોય, એ સિવાય તો મુનિ માટે બધું જ અકાર્ય છે. તેથી એના માટે મુનિ આવશ્યકી કરે, તો એ શુદ્ધ નથી. || ૨ ||
અકાર્ય માટે જનાર મુનિ પણ આવસહિ એવું વચન બોલે, તેમાં અવશ્યકાર્યરૂપ વિષય જ નથી. માટે તે નિર્વિષય છે. તેથી ત્યાં માત્ર વયન જ છે, તેને અનુરૂપ ક્રિયા નથી. એવું વચન દોષનું કારણ છે અને મૃષાવાદ છે. || ૩ ||
જે રત્નત્રયીની બહારની વસ્તુ છે, તે વસ્તુ કરવાનો સાધુનો અધિકાર જ નથી. રત્નત્રયીની સાધના કરવી, એટલું જ તેનું સાધુપણું છે. || ૪ |