________________
२५
અથ આચારોપનિષદ્ આશાતનાનો ભય ન હોવાના કારણે જ દટ પ્રયત્નનો અભાવ થાય છે. માટે આશાતનાનો ભય રાખવો જોઈએ. || 9 ||
જ્યારે મુનિ શયન કે ઉભા રહેવા વગેરેની ક્રિયા કરે, ત્યારે નૈષધિથી સામાચારી હોય, કારણ કે ત્યારે બાહ્ય વ્યાપારોનો નિષેધ છે, અને નૈષેલિકી સામાચારી નિષેધરૂપ છે. || ૭ |.
જેણે મૂળ-ઉત્તર ગુણોના અતિચારોનો નિષેધ કર્યો છે, તેની જ ‘નિસીહિ' સાચી છે. બીજાની “નિસીહિ' તો વચનમાત્ર જ છે. (નિશીહિ એવો શબ્દ જ તેની પાસે છે, તેને અનુરૂપ વસ્તુસ્થિતિ નથી.) || ૮ ||
જે મૂળ-ઉત્તર ગુણગણોથી યુક્ત છે, આવશ્યક સહિત છે, તે અવશ્ય નિષિદ્ધ છે. (પાપોનો નિષેધ કરનાર છે.) અથવા તો પાપોનો ત્યાગ કરનાર જે નિષિદ્ધ આત્મા છે, તે અવશ્ય આવશ્યક સહિત છે. આ રીતે આ બંને સામાચારીના સ્વામી તુલ્ય છે.
IIII