________________
અથ આચારોપનિષદ્
૬. આપૃચ્છા આત્મહિતકારક કાર્યની પ્રતિજ્ઞાનું ગુરુસમક્ષ વિનયપૂર્વક નિવેદન કરવું, તેને સિદ્ધાન્તમાં આપૃચ્છા કહી છે. || ૧ ||
२७
આપૃચ્છાપૂર્વક કાર્ય કરાય, તે જ કલ્યાણકારક છે, અન્ય નહીં, એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. બધું ગુરુને પૂછીને જ કરવું જોઈએ એવું કલ્પસૂત્રનું અનુશાસન છે. ॥ ૨ ॥
ગુરુ વિધિજ્ઞાતા છે, માટે તેઓ શુદ્ધ વિધિ બતાવે છે. તેથી શિષ્ય શુદ્ધ વિધિનો સ્વીકાર કરે છે. તેનાથી શિષ્યને શુભ ભાવ જાગે છે. || ૩ ||
તેનાથી વિઘ્નો જતા રહે છે, તેનાથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેનાથી પણ સુખની પરંપરા ચાલે છે અને પાપોનો ક્ષય થાય છે. II ૐ II
તેનાથી સદ્ગતિ મળે છે, તેનાથી સદ્ગુરુનું સાનિધ્ય મળે છે. તથા સમ્યક્ત્રવણ વગેરેની પ્રાપ્તિ દ્વારા પરમગતિ થાય છે. ॥ ૫ ॥